गीर्वाणवाणी सुभगा वेदमाता सनातनी । ज्ञानभक्तिप्रदा नित्यं संस्काराणां सरस्वती ॥
यस्यां शास्त्राणि सर्वाणि यस्यां धर्मः प्रतिष्ठितः । सा संस्कृतभाषा लोके भूयाद् भूत्यै निरन्तरम् ॥
[अलबेला शतक (अलबेला पंडित विरचित)]
गीर्वाणवाणी — દેવવાણી, सुभगा — કલ્યાણકારી, મનોહર, वेदमाता — વેદોની માતા, सनातनी — સનાતન, અનાદિ, ज्ञानभक्तिप्रदा — જ્ઞાન અને ભક્તિ આપનારી, संस्काराणां सरस्वती — સંસ્કારોની સરસ્વતી, यस्यां शास्त्राणि सर्वाणि — જેમાં સર્વ શાસ્ત્રો રહેલા છે, यस्यां धर्मः प्रतिष्ठितः — જેમાં ધર્મ પ્રતિષ્ઠિત છે, सा संस्कृतभाषा — એ સંસ્કૃત ભાષા, भूयाद् भूत्यै निरन्तरम् — સર્વના કલ્યાણ માટે સદાય વિકસતી રહે.
દેવવાણી, વેદોની માતા અને સનાતન એવી સંસ્કૃત ભાષા જ્ઞાન, ભક્તિ અને સંસ્કારોની સરસ્વતી છે. જેમાં સર્વ શાસ્ત્રો અને ધર્મનું નિવાસ છે, એવી સંસ્કૃત ભાષા વિશ્વના કલ્યાણ માટે સદાય ફૂલતી-ફાલતી રહે.
॥ जयतु संस्कृतम् ॥ ॥ जयतु भारतम् ॥
સંસ્કૃત ભાષા વિશ્વની અતિપ્રાચીન, વૈજ્ઞાનિક અને સમૃદ્ધ ભાષાઓમાંની એક છે. ભારતીય જ્ઞાનપરંપરા, વેદો, ઉપનિષદો, પુરાણો, દર્શનશાસ્ત્ર, કાવ્ય, નાટ્ય, વ્યાકરણ, આયુર્વેદ, જ્યોતિષ અને યોગશાસ્ત્રનો વિશાળ ભંડાર સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ છે. સંસ્કૃત માત્ર એક ભાષા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને જ્ઞાનની મુખ્ય વાહિકા છે. પ્રાચીન ભારતના શિક્ષણ, ઉપાસના, તત્ત્વચિંતન અને શાસ્ત્રીય સંવાદનું મુખ્ય માધ્યમ સંસ્કૃત હતું. આજે પણ મંત્રોચ્ચાર, પૂજા, યજ્ઞ, શાસ્ત્રાધ્યયન અને પરંપરાગત શિક્ષણમાં તેનું વિશેષ સ્થાન છે.
આ વિભાગમાં સંસ્કૃત ભાષાના વ્યવહારિક અને સાંસ્કૃતિક પાસાઓનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે:
@PMOIndia #CelebratingSanskrit #MannKiBaat

