“ઈશ્વર છે” ની સાબિતીઓ

[अनुप गीता (अलबेला पंडित विरचित)]

જે રીતે અદૃશ્ય વાયુ તેનો સ્પર્શ થકી અનુભવાય છે,
એ જ રીતે અદૃશ્ય હોવા છતાં ઈશ્વર સર્વ જીવોમાં વિરાજે છે — તેમાં સંશય નથી।

માયાથી મોહિત થયેલો લોક માત્ર દેખાતી વસ્તુને જ સત્ય માને છે;
પરંતુ જ્યારે આત્માનો દીપક પ્રગટે છે, ત્યારે અંતે બ્રહ્મ જ શેષ રહે છે।


જિજ્ઞાસુ ને પ્રશ્ન થવો સ્વાભાવિક છે – “ભગવાન છે કે નથી”. મનુષ્ય ત્યાં જ માને છે જ્યાં તેનો સ્વાર્થ સરે છે. નિ:સ્વાર્થ ભાવે માન્યતા હોય તેને જ સાચી શ્રધ્ધા કહેવાય, અન્યથા અંધશ્રદ્ધા કહેવાય.


મિત્રો, ધ્યાન આપજો:
જેમ દિવસ છે તો રાત્ર પણ છે;  એમ, ભારતીય દર્શન (આધ્યાત્મવાદ) ની સાથે સાથે પ્રાચીન કાળથી ચાર્વાક દર્શન (જડવાદ) ની વિચારધારા પણ નિરંતર પ્રવાહિત થતી રહી છે. આ વિચારધારા ને ભૌતિકવાદી તત્વજ્ઞાન અથવા નાસ્તિક દર્શન પણ કહે છે, કારણ એણે પરલોક, ઈશ્વર તથા વેદ ત્રણેને નકાર્યા. તેના સિધ્ધાંત બહુ જ મનોહર છે. (ચર્વ = ચાવવું) જેમ કુતરો શુષ્ક હાડકાને ચાવ ચાવ કરે અને પોતાના જ પેઢાંને વાગવાથી નીકળતા લોહીને તે હાડકાનો રસ સમજી વધુ ચાવે તેમ આનંદ આપણે બાહ્ય પદાર્થમાં માની તેનું ઇન્દ્રિયો દ્વારા સેવન કરીએ એ પરથી આ નમાલા સિધ્ધાંતનું નામ ચાર્વાક પડ્યું.
 —
અધુરૂમાં પૂરું, આપણી આધ્યાત્મિકતાને વર્ષોથી, દ્રાવિડ, યૂનાની, સીથિયન, મુગલ, ઈસાઈ, આગ્નેય, નેગ્રીટો, ઈરાની, યવન, શક, કુશાણ, પહ્રવ, હૂણ, અરબ, તુર્ક,  આવી અનેક આક્રન્તાઓ (બાહ્ય શક્તિઓ) નાં માર વાગી વાગીને આપણી સંસ્કૃતિને જીર્ણ કરી.
પ્રતીકાત્મક ભાષા માં કહીએ તો, કાળા વાદળો એટલા છવાયા કે દિવસ અપ્રત્યક્ષ બન્યો. ચાર્વાક મત વશ; રાત્રીની પ્રત્યક્ષતા ઉપરાંત દિવસની અપ્રત્યક્ષતાને લોકો સરળતાથી સ્વીકારતા થયા. અને અપ્રત્યક્ષને અસત્ય માની, જાણે કે સૂર્યના અસ્તિત્વને નકારવા લાગ્યા.
આધ્યાત્મિક જીવનના અભાવમાં આત્માની પુષ્ટિ થવાનું અટકી જતાં ભૌતિક્તાવાદે વિકૃત સ્વરૂપ લઇ લીધું. પરિણામરૂપ ધનનંદ જેવા વ્યભિચારી રાજાઓ અનીતિથી સત્તા પર આવી ગયા. તેમનો વિરોધ કરનારા અને સમાજનું કલ્યાણ ઇચ્છનારા એવા સુશિક્ષિત બ્રાહ્મણોનો બહિષ્કાર કર્યો. વેદાધ્યાયી બ્રાહ્મણો માટે આજીવિકા મુશ્કેલ બનતા તેઓ વેદ છોડી આજીવિકા ચલાવનારા જ્ઞાન તરફ વળ્યા અને વેદોનો પ્રકાશ મંદ પડી ગયો.
 —
એટલે જ મૂર્ખ નાસ્તિકો જાહેરમાં ઈશ્વરના અસ્તિત્વને નકારવાની હિંમત કરે છે, અને ગરીબ અસહાય આસ્તિક લોકો મૌન ધારણ કરે છે.
 —
આ રહ્યો તેવા લોકોને નિરુત્તર કરી દેતો ઉત્તર. વાંચો અને વિચારો. 
1. સાબીતિઓનો અભાવ

જે ઈશ્વરમાં માને છે તેને સાબિતીની જરૂર નથી. અને જેણે ઈશ્વરમાં ન માનવા માટેનો નિર્ધાર કર્યો છે તેને કોઈ પણ સાબિતી પર્યાપ્ત નથી. અત્યાર સુધીના શોધાયેલા યંત્રોમાં, પાંચ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ઘણી એવી બાબતો છે જે પકડાતી નથી છતાં તેની હયાતી છે. માટે ઈશ્વર નથી તે કહેવું એ અંધારામાં તીર ચલાવવા જેવું છે.


2. Binary System નો તર્ક

કમ્પ્યૂટર (સંગણક યંત્ર) માં Binary System કહે છે 1 અથવા 0. અર્થાત, જો 1 છે તો 0 નથી. અને જો 0 છે તો 1 નથી. ચાલો ફરજ પાડીએ, સાબિત કરી આપો કે… “ઈશ્વર નથી”. ઉ.દા. એવું ઘણું હયાત છે જે અદ્રશ્ય છે, અપ્રત્યક્ષ છે, અવ્યક્ત છે. બુદ્ધિ માં ન બેસે તો જરૂરી નથી કે હયાત નથી, માટે ઈશ્વર હોવાની શક્યતાને નકારી શકાતી જ નથી. આમ “ઈશ્વર નથી” એ સાબિત કરવું અશક્ય હોવાને લીધે Binary System પ્રમાણે જુઓ તો સાબિત થાય છે કે “ઈશ્વર છે”.

॥ यत्र भ्रम तत्र न ब्रह्म यत्र ब्रह्म कुतर्भ्रम ॥


3. આત્મા નું ઉદાહરણ 

 अनधिष्ठितस्य पूतिभावप्रसन्गान्न तत्सिध्धि:|| [साङ्ख्य दर्शन – 6.60] 

વિના આત્મા શરીર સડી જવાને લીધે આત્મા વગર શરીરની રચના સંભવ નથી. એવી જ રીતે સમસ્ત સૃષ્ટિ જેનું શરીર છે તે પરમાત્મા વિના સૃષ્ટિની રચના સંભવ નથી. (The holistic approach).


4. સર્જનનો સિધ્ધાંત

વગર સંકલ્પે સર્જન શક્ય જ નથી, અને સંકલ્પ, એ ચૈતન્ય (Conscious entity) દ્વારા જ થાય છે. આ સૃષ્ટિ પણ એક સર્જન હોવાથી એનો સંકલ્પ કરનાર ચૈતન્યની હયાતી સૃષ્ટિના પહેલેથી જ હતી. અજન્મા હોવાથી આ ચૈતન્યને, “જે જન્મે છે તે મરે છે” નો નિયમ લાગુ ના પડવાથી તે અમર છે. અને શૂન્યમાંથી સર્વ સર્જન કરનારની સર્વસક્ષમતા સાબિત થાય છે જેથી એને આપણે ઈશ્વર કહીએ છીએ. આમ સર્જનતાના સિધ્ધાંત (Principle of Creation) પ્રમાણે પણ “ઈશ્વર છે”.


 5. આધાર નો નિયમ

કળા-ચિત્રને કાગળનો, કાગળને પાટીયાનો, પાટીયાને ભૂમિનો અને ભૂમિને પૃથ્વીનો આધાર છે. ઉડતા પંખીને હવાનો, હવાને પૃથ્વી નો આધાર છે. આપણે પણ પૃથ્વીના આધારે ઊંચા ઊંચા બહુમાળી મકાનો બનાવવાને સમર્થ થઇએ છીએ. આધાર વિના અસ્તિત્વ નથી કે નથી ટકતી કોઈ વસ્તુ. પ્રત્યેક વસ્તુને કોઈ ને કોઈ આધાર છે. આધારને પણ કોઈનો આધાર છે. બુદ્ધિને એટલું તો અવશ્ય માનવું જ પડશે કે – સમસ્ત સૃષ્ટિ જે અનાદિકાળથી ટકેલી છે, કોઈ તો અંતે એવું એક તત્વ અચૂક હશે જે સ્વયં સર્વ આધારોનો આધાર છે. અંતમાં – સંપૂર્ણ, પૂરેપૂરું, સ્વતંત્ર, આપખુદ, અબાધિત, બિનશરતી એવું કઈક તત્વ અવશ્ય હોવું જોઈએ, જેને બીજા કોઈ આધારની જરૂર નથી.  એવું શું છે જે બદલાતું નથી? એવું શું છે જે કોઈના ઉપર પણ આધારિત નથી? ઇન્દ્રિયો દ્વારા જોવાય એવું કઈ જ નથી. આપણું મન અને બુદ્ધિ પણ બદલાતા રહે છે. “કઈ જ સ્થિર નથી” એનો સાક્ષી આત્મા એ સ્થિર છે. એ જ આત્મા જે કોઈ પણ કાળે, કોઈ પણ સ્થાને બદલાતો નથી. પૃથ્વીને આકાશનો, આકાશને ચિત્તનો અને ચિત્તને આત્માનો આધાર છે. (આત્મા એ જ પરમાત્મા).


6. યુગનો પ્રભાવ 

શું પત્થર યુગમાં જઈ કોઈ ને કહેશો કે – સેંકડો લોકોને સાથે લઇને હવામાં ઉડે એવું વાહન હોઈ શકે તો શું એ લોકો માનશે? નહિ જ માને. અરે! 100 વર્ષ પહેલા, જ્યારે વિમાન નહોતું શોધાયું ત્યારે પણ કોઈ (સિવાય આપણા પુરાણો) માનતું નહોતું. તો પછી આખા બે યુગ પહેલા પાણી ઉપર “રામ” નામના પત્થર તરે એવું અત્યારના લોકો કેવી રીતે માની શકે? પણ તેનાથી સત્ય બદલાઈ તો નથી જતું ને !!  એ યુગમાં મનુષ્યો, પ્રાણીઓની ભક્તિ એટલા ઉચ્ચ સ્તરે હતી કે જડ માં પણ ચેતનતા આવી જતી.


7. સ્વાર્થી માન્યતા 
જો ( ઈશ્વરમાં) માની લેનાર મૂર્ખ; તો બધા જ મૂર્ખ છે.
જો વગર બુદ્ધિએ માની લેવું એ મૂર્ખતા છે, તો સહુથી પહેલા 1 + 1 = 2 અને 4 / 2 = 2 એ તમે માની લીધું જ છે.પણ આખું ગણિત જેના ઉપર આધારિત છે એ જ ગણિત અમુક જગ્યાએ નિષ્ફળ જાય છે. ઉદાહરણ- એક નાં ત્રણ ભાગ કરો અને તે ત્રણ ભાગને ફરીથી જોડો તો એક નથી થતો. 1 / 3 = 0.3333333……
હવે ત્રણ “0.33333…. ” ને જોડો તો “0.9999999….” થશે પણ એક નથી જ થાય. અહીં તમારી ગણિતની મૂળભૂત માન્યતા કામ નથી લાગતી. પણ તમારા સ્વાર્થને ખાતર તમે ગણિતની તમારી 1 + 1 = 2 ની માન્યતાઓ જતી નથી કરતા. બસ આવી જ રીતે, સંસારનું મિથ્યાત્વ, સંસારની અસારતા અનેકાનેક વાર, પ્રસંગોપાત, છતી થતા હોવા છતાં આપણે સંસારને પકડી રાખ્યો છે કારણ તેનાથી આપણા ઘણા સ્વાર્થ સધાય છે. મનુષ્ય ત્યાં જ માને છે જ્યાં તેનો સ્વાર્થ સરે છે. નિ:સ્વાર્થ ભાવે માન્યતા હોય તેને જ શ્રધ્ધા કહેવાય. શ્રધ્ધા એ સંપત્તિ છે જે દરેકની પાસે નથી. માટે ઈશ્વરમાં નહિ માનનાર મનુષ્ય “નર્યો સ્વાર્થી જ છે” એ સાબિત થાય છે. તો હવે  તમે એમ કહેશો કે “માની લેનાર મૂર્ખ નથી” પણ “સ્વાર્થી નથી તે મૂર્ખ છે”. તો સાંભળો: જે જે વ્યક્તિને ઈશ્વરમાં શ્રધ્ધા નથી, તે તે વ્યક્તિએ પોતાનો સાચો સ્વાર્થ જાણ્યો જ નથી. આત્માની ઉન્નતી, એ જ સાચો સ્વાર્થ કહેવાય આથી જે જે શ્રધ્ધાહીન છે તે મૂર્ખ છે.

લોકો ગણિત (શાસ્ત્રો) ને દોષ દે છે કે તેમાં ગફલત છે. પણ માયા એવી છે કે ગફલત તો આપણી દ્રષ્ટિમાં છે પણ તે જણાતી નથી.ગણિત તો માત્ર પ્રામાણિક પણે વસ્તુ ઉઘાડી પાડે છે.
દોષ વસ્તુમાં નથી અલબત્ત જોનાર માં છે. આપણે “1” ને પૂર્ણ સમજીએ છીએ (કારણકે તેનાથી આપણા બધા [જાગતિક / જગતના] સમીકરણો બરાબર કાર્ય કરે છે).  પરંતુ જ્યારે તેના ત્રણ ભાગ કરો અને જોડવાનો પ્રયત્ન કરો એટલે ખબર પડે કે – 0.01 ગાયબ છે.
તોય આપણે મોઢા ઉપર સ્મિત આપીને ગણિતને જ દોષ આપી ને આગળ વધીએ છીએ અને જીવન ચાલ્યા કરે છે.
લોકો ગણિત (શાસ્ત્રો) ને દોષ દે છે કે તેમાં ગફલત છે. પણ માયા એવી છે કે ગફલત તો આપણી દ્રષ્ટિમાં છે પણ તે જણાતી નથી.ગણિત તો માત્ર પ્રામાણિક પણે વસ્તુ ઉઘાડી પાડે છે.
દોષ વસ્તુમાં નથી અલબત્ત જોનાર માં છે. આપણે “1” ને પૂર્ણ સમજીએ છીએ (કારણકે તેનાથી આપણા બધા [જાગતિક / જગતના] સમીકરણો બરાબર કાર્ય કરે છે).  પરંતુ જ્યારે તેના ત્રણ ભાગ કરો અને જોડવાનો પ્રયત્ન કરો એટલે ખબર પડે કે – 0.01 ગાયબ છે.
તોય આપણે મોઢા ઉપર સ્મિત આપીને ગણિતને જ દોષ આપી ને આગળ વધીએ છીએ અને જીવન ચાલ્યા કરે છે.

ભારતમાં 1 (જગત) ની સાથે 0.01 (ઈશ્વર) ને સાથે લઇ 1.01 (ધાર્મિક જીવન) પદ્ધતિ હતી. પણ તેમાં માથા ફૂટ બહુ હોવાને લીધે સરળતા માટે લોકો 0.01 ને કાઢીને જ 1 ને જ પૂર્ણ માને છે. પૂર્ણ 1.01 છે. નહિ કે 1
ત્રણ થી ભાગવા એ ગુણોને છુટા પાડવા બરાબર છે. મૃત્યુ વખતે એ છુટા પડે છે. પરંતુ સંસાર 1/2 અથવા 1/4 કરીને પોતાના સમીકરણો બનાવી ને જીવનનું ગણિત બનાવી નાખે છે.


હવે ઈશ્વર નથી તે કહેતા ચાર્વાક મતનું ખંડન કરીએ


7 thoughts on ““ઈશ્વર છે” ની સાબિતીઓ

  1. 🌸👌🌸🌸🙏🌸🌸
    અદ્ભુત
    માટે જ કહેવાયેલુ છે કે……
    યાવદ્દગર્જન્તિ શાસ્ત્રાણી જંબૂકા વીપીને યથા ।
    ન ગર્જતી મહાશક્તિ યાવદ્દવેદાન્તકેસરી ।।
    🌸🙏🌸🌺🙏🌺🌹🙏🌹

    Like

  2. “એટલે જ મૂર્ખ નાસ્તિકો જાહેરમાં ઈશ્વરના અસ્તિત્વને નકારવાની હિંમત કરે છે, અને ગરીબ અસહાય આસ્તિક લોકો મૌન ધારણ કરે છે.” – આજ વાક્યને ઉલ્ટું કરીને પણ વાંચી શકાય!

    રમેશભાઇની જય હો!।
    હરિઑમ તતસત..

    Like

Leave a comment