જિજ્ઞાસુ ને પ્રશ્ન થવો સ્વાભાવિક છે – “ભગવાન છે કે નથી”. મનુષ્ય ત્યાં જ માને છે જ્યાં તેનો સ્વાર્થ સરે છે. નિ:સ્વાર્થ ભાવે માન્યતા હોય તેને જ સાચી શ્રધ્ધા કહેવાય, અન્યથા અંધશ્રદ્ધા કહેવાય.
જે ઈશ્વરમાં માને છે તેને સાબિતીની જરૂર નથી. અને જેણે ઈશ્વરમાં ન માનવા માટેનો નિર્ધાર કર્યો છે તેને કોઈ પણ સાબિતી પર્યાપ્ત નથી. અત્યાર સુધીના શોધાયેલા યંત્રોમાં, પાંચ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ઘણી એવી બાબતો છે જે પકડાતી નથી છતાં તેની હયાતી છે. માટે ઈશ્વર નથી તે કહેવું એ અંધારામાં તીર ચલાવવા જેવું છે.
2. Binary System નો તર્ક
કમ્પ્યૂટર (સંગણક યંત્ર) માં Binary System કહે છે 1 અથવા 0. અર્થાત, જો 1 છે તો 0 નથી. અને જો 0 છે તો 1 નથી. ચાલો ફરજ પાડીએ, સાબિત કરી આપો કે… “ઈશ્વર નથી”. ઉ.દા. એવું ઘણું હયાત છે જે અદ્રશ્ય છે, અપ્રત્યક્ષ છે, અવ્યક્ત છે. બુદ્ધિ માં ન બેસે તો જરૂરી નથી કે હયાત નથી, માટે ઈશ્વર હોવાની શક્યતાને નકારી શકાતી જ નથી. આમ “ઈશ્વર નથી” એ સાબિત કરવું અશક્ય હોવાને લીધે Binary System પ્રમાણે જુઓ તો સાબિત થાય છે કે “ઈશ્વર છે”.
॥ यत्र भ्रम तत्र न ब्रह्म यत्र ब्रह्म कुतर्भ्रम ॥
अनधिष्ठितस्य पूतिभावप्रसन्गान्न तत्सिध्धि:|| [साङ्ख्य दर्शन – 6.60]
વિના આત્મા શરીર સડી જવાને લીધે આત્મા વગર શરીરની રચના સંભવ નથી. એવી જ રીતે સમસ્ત સૃષ્ટિ જેનું શરીર છે તે પરમાત્મા વિના સૃષ્ટિની રચના સંભવ નથી. (The holistic approach).
4. સર્જનનો સિધ્ધાંત
વગર સંકલ્પે સર્જન શક્ય જ નથી, અને સંકલ્પ, એ ચૈતન્ય (Conscious entity) દ્વારા જ થાય છે. આ સૃષ્ટિ પણ એક સર્જન હોવાથી એનો સંકલ્પ કરનાર ચૈતન્યની હયાતી સૃષ્ટિના પહેલેથી જ હતી. અજન્મા હોવાથી આ ચૈતન્યને, “જે જન્મે છે તે મરે છે” નો નિયમ લાગુ ના પડવાથી તે અમર છે. અને શૂન્યમાંથી સર્વ સર્જન કરનારની સર્વસક્ષમતા સાબિત થાય છે જેથી એને આપણે ઈશ્વર કહીએ છીએ. આમ સર્જનતાના સિધ્ધાંત (Principle of Creation) પ્રમાણે પણ “ઈશ્વર છે”.
કળા-ચિત્રને કાગળનો, કાગળને પાટીયાનો, પાટીયાને ભૂમિનો અને ભૂમિને પૃથ્વીનો આધાર છે. ઉડતા પંખીને હવાનો, હવાને પૃથ્વી નો આધાર છે. આપણે પણ પૃથ્વીના આધારે ઊંચા ઊંચા બહુમાળી મકાનો બનાવવાને સમર્થ થઇએ છીએ. આધાર વિના અસ્તિત્વ નથી કે નથી ટકતી કોઈ વસ્તુ. પ્રત્યેક વસ્તુને કોઈ ને કોઈ આધાર છે. આધારને પણ કોઈનો આધાર છે. બુદ્ધિને એટલું તો અવશ્ય માનવું જ પડશે કે – સમસ્ત સૃષ્ટિ જે અનાદિકાળથી ટકેલી છે, કોઈ તો અંતે એવું એક તત્વ અચૂક હશે જે સ્વયં સર્વ આધારોનો આધાર છે. અંતમાં – સંપૂર્ણ, પૂરેપૂરું, સ્વતંત્ર, આપખુદ, અબાધિત, બિનશરતી એવું કઈક તત્વ અવશ્ય હોવું જોઈએ, જેને બીજા કોઈ આધારની જરૂર નથી. એવું શું છે જે બદલાતું નથી? એવું શું છે જે કોઈના ઉપર પણ આધારિત નથી? ઇન્દ્રિયો દ્વારા જોવાય એવું કઈ જ નથી. આપણું મન અને બુદ્ધિ પણ બદલાતા રહે છે. “કઈ જ સ્થિર નથી” એનો સાક્ષી આત્મા એ સ્થિર છે. એ જ આત્મા જે કોઈ પણ કાળે, કોઈ પણ સ્થાને બદલાતો નથી. પૃથ્વીને આકાશનો, આકાશને ચિત્તનો અને ચિત્તને આત્માનો આધાર છે. (આત્મા એ જ પરમાત્મા).
શું પત્થર યુગમાં જઈ કોઈ ને કહેશો કે – સેંકડો લોકોને સાથે લઇને હવામાં ઉડે એવું વાહન હોઈ શકે તો શું એ લોકો માનશે? નહિ જ માને. અરે! 100 વર્ષ પહેલા, જ્યારે વિમાન નહોતું શોધાયું ત્યારે પણ કોઈ (સિવાય આપણા પુરાણો) માનતું નહોતું. તો પછી આખા બે યુગ પહેલા પાણી ઉપર “રામ” નામના પત્થર તરે એવું અત્યારના લોકો કેવી રીતે માની શકે? પણ તેનાથી સત્ય બદલાઈ તો નથી જતું ને !! એ યુગમાં મનુષ્યો, પ્રાણીઓની ભક્તિ એટલા ઉચ્ચ સ્તરે હતી કે જડ માં પણ ચેતનતા આવી જતી.
લોકો ગણિત (શાસ્ત્રો) ને દોષ દે છે કે તેમાં ગફલત છે. પણ માયા એવી છે કે ગફલત તો આપણી દ્રષ્ટિમાં છે પણ તે જણાતી નથી.ગણિત તો માત્ર પ્રામાણિક પણે વસ્તુ ઉઘાડી પાડે છે.
દોષ વસ્તુમાં નથી અલબત્ત જોનાર માં છે. આપણે “1” ને પૂર્ણ સમજીએ છીએ (કારણકે તેનાથી આપણા બધા [જાગતિક / જગતના] સમીકરણો બરાબર કાર્ય કરે છે). પરંતુ જ્યારે તેના ત્રણ ભાગ કરો અને જોડવાનો પ્રયત્ન કરો એટલે ખબર પડે કે – 0.01 ગાયબ છે.
તોય આપણે મોઢા ઉપર સ્મિત આપીને ગણિતને જ દોષ આપી ને આગળ વધીએ છીએ અને જીવન ચાલ્યા કરે છે.
લોકો ગણિત (શાસ્ત્રો) ને દોષ દે છે કે તેમાં ગફલત છે. પણ માયા એવી છે કે ગફલત તો આપણી દ્રષ્ટિમાં છે પણ તે જણાતી નથી.ગણિત તો માત્ર પ્રામાણિક પણે વસ્તુ ઉઘાડી પાડે છે.
દોષ વસ્તુમાં નથી અલબત્ત જોનાર માં છે. આપણે “1” ને પૂર્ણ સમજીએ છીએ (કારણકે તેનાથી આપણા બધા [જાગતિક / જગતના] સમીકરણો બરાબર કાર્ય કરે છે). પરંતુ જ્યારે તેના ત્રણ ભાગ કરો અને જોડવાનો પ્રયત્ન કરો એટલે ખબર પડે કે – 0.01 ગાયબ છે.
તોય આપણે મોઢા ઉપર સ્મિત આપીને ગણિતને જ દોષ આપી ને આગળ વધીએ છીએ અને જીવન ચાલ્યા કરે છે.
ભારતમાં 1 (જગત) ની સાથે 0.01 (ઈશ્વર) ને સાથે લઇ 1.01 (ધાર્મિક જીવન) પદ્ધતિ હતી. પણ તેમાં માથા ફૂટ બહુ હોવાને લીધે સરળતા માટે લોકો 0.01 ને કાઢીને જ 1 ને જ પૂર્ણ માને છે. પૂર્ણ 1.01 છે. નહિ કે 1
ત્રણ થી ભાગવા એ ગુણોને છુટા પાડવા બરાબર છે. મૃત્યુ વખતે એ છુટા પડે છે. પરંતુ સંસાર 1/2 અથવા 1/4 કરીને પોતાના સમીકરણો બનાવી ને જીવનનું ગણિત બનાવી નાખે છે.
બાહ્ય જગતમાં જે કઈ દેખાય છે અને ઇન્દ્રિયો દ્વારા અનુભવાય છે તે સત્ય ના હોઈ મિથ્યા છે.

આમ જડવાદનું આ પ્રકારે ખંડન કરવાથી આધ્યાત્મવાદ (ઈશ્વરવાદ) સાબિત થાય છે; અને માટે જ, “ઈશ્વર છે”.
9. સંત તુલસીદાસની ચોપાઈ ગણિતમાં રોપાઈ
नाम चतुर्गेन पंचयुग कृत धै गुनी बसु भखी
આમ ગણિત પણ ઈશારો કરીને કહે છે કે “ઈશ્વર છે”.
10. શાસ્ત્ર કહે છે; ઈશ્વર છે.
असन्नेव स भवति | असद्ब्रह्मेति वेद चित | अस्ति ब्रह्मेति चेद्वेद | सन्ततमेनं ततो विदुरिति |
બ્રહ્મ કે ઈશ્વર નથી એવું સમજવા વાળા અસત થઇ જાય છે અર્થાત ભ્રષ્ટ પ્રકૃતિના થઇ જાય છે. સંતપુરુષોનો ઈશ્વરની સત્તામાં પૂર્ણ વિશ્વાસ હોય છે.
[तैत्तिरीयोपनिषद – 6.1]
જેમ લોઢાની આરી લોઢાને કાપે એમ સુક્ષ્મ (આધ્યાત્મ) બુદ્ધિથી જડ (ભૌતિક્તાવાદી) બુદ્ધિ કાપીએ. આવો આપણા શાસ્ત્રોની મદદથી વર્ષો જુના સંશયો એક પછી એક દૂર કરી, એક નિશ્ચયાત્મક બુદ્ધિ બનાવીએ કે ઈશ્વર છે અને આ ચાર્વાક સિધ્ધાંતને તેની સીમા બતાવી દઈએ. આક્રાન્તાઓના કર્યા પર પાણી ફેરવીએ, “ઈશ્વરમાં અડગ શ્રધ્ધા” જેવી દુર્લભ શક્તિ કેળવીએ. અને ત્યાર બાદ, વટ થી આપણા ઈશ્વર પ્રાપ્તિ નો માર્ગ પ્રશસ્ત કરીએ.
ખુબજ સુંદર સહજ રીતે સમજાવ્યું.
LikeLike
Nice!!! The attempt made is really worthy… I appreciate this.. and also inspirational for me.
LikeLike
🌸👌🌸🌸🙏🌸🌸
અદ્ભુત
માટે જ કહેવાયેલુ છે કે……
યાવદ્દગર્જન્તિ શાસ્ત્રાણી જંબૂકા વીપીને યથા ।
ન ગર્જતી મહાશક્તિ યાવદ્દવેદાન્તકેસરી ।।
🌸🙏🌸🌺🙏🌺🌹🙏🌹
LikeLike
Nice!!! The attempt made is really worthy… I appreciate this.. and also inspirational for me. ખુબજ સુંદર સહજ રીતે સમજાવ્યું. ખુબ ખુબ અભિનંદન પાઠવું છું
LikeLike
“એટલે જ મૂર્ખ નાસ્તિકો જાહેરમાં ઈશ્વરના અસ્તિત્વને નકારવાની હિંમત કરે છે, અને ગરીબ અસહાય આસ્તિક લોકો મૌન ધારણ કરે છે.” – આજ વાક્યને ઉલ્ટું કરીને પણ વાંચી શકાય!
રમેશભાઇની જય હો!।
હરિઑમ તતસત..
LikeLike
Jay ho bhai
LikeLike