અથર્વ વેદ એટલે “સ્થિર-જ્ઞાન” વાળો વેદ
અથર્વ વેદ ધ્યાન
अथर्वणाभिदो वेदो धवलो मर्कटानन: |
अक्षसूत्रं च खटवाङ्गं बिभ्राणो यजनप्रिय ||
જે ઉજ્જવળ વર્ણ વાળા તથા મર્કટ (વાનર) સમાન મુખવાળા છે, જેમણે અક્ષમાળા અને ખટવાંગ ધારણ કર્યા છે, જેમને યજનકર્મ અત્યંત પ્રિય છે એવા અથર્વણઃ નામના વેદભગવાન કહેલા છે.
અથર્વવેદમાં આમુષ્મિક (પારલૌકિક) એટલે કે “બ્રહ્મવિદ્યા”, અને ઐહિક (ઈહલૌકિક) એટલે કે “દુન્યવી” એમ બંને વિદ્યા એમાં ઉત્તમ સ્વરૂપે વિદ્યમાન છે.
અથર્વવેદમાં કુલ 5987 મંત્રો છે.
અથર્વવેદની નવ શાખાઓ છે.
1. પૈપ્પલાદ શાખા
2. તૌદ શાખા
3. મૌદ શાખા
4. શૌનક શાખા
5. જાજલ શાખા
6. જલદ શાખા
7. બ્રહ્મવદ શાખા
8. દેવદર્શ શાખા
9. ચારણવૈદ્ય શાખા