“અલબેલા શતક” સનાતન ભારતીય દર્શન, વેદ, ઉપનિષદ, પુરાણ, જ્યોતિષ, વાસ્તુ, સંસ્કાર અને આધ્યાત્મિક જીવનમૂલ્યોનું સંકલિત તત્ત્વચિંતન છે. તેમાં બ્રહ્મને એકમાત્ર નિત્ય સત્ય અને જગતને માયારૂપ માનતાં, મનુષ્યજીવનનો પરમ હેતુ આત્મજ્ઞાન, ભક્તિ, વિવેક અને મોક્ષપ્રાપ્તિ દર્શાવવામાં આવ્યો છે. ગ્રંથમાં સમજાવવામાં આવ્યું છે કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય વિના આધ્યાત્મિક ઉન્નતિ શક્ય નથી, જ્યારે ગુરુકૃપા, સંયમ, સદાચાર, સંસ્કાર અને ઈશ્વરસ્મરણ મનુષ્યને આંતરિક શાંતિ અને બ્રહ્મસાક્ષાત્કાર તરફ દોરી જાય છે. વેદો, પુરાણો અને ભારતીય શાસ્ત્રોને માત્ર ધાર્મિક ગ્રંથ નહીં પરંતુ જીવન, ચેતના, ધર્મ, બ્રહ્માંડ અને માનવકલ્યાણના શાશ્વત જ્ઞાનરૂપ ભંડાર તરીકે રજૂ કરવામાં આવ્યા છે.
આ ગ્રંથ આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન સાથે ભારતીય જીવનપદ્ધતિનું પણ વિશદ દર્શન કરાવે છે. તેમાં વાસ્તુ, પંચાંગ, જ્યોતિષ, વ્રતોપવાસ, સંસ્કારો, કર્મકાંડ, મુદ્રાઓ, આહાર, સ્વપ્નવિજ્ઞાન, અંતિમ સંસ્કાર, ગોત્ર-પ્રવર અને સમાજજીવનના નિયમો જેવા વિષયોનું શાસ્ત્રોક્ત અને વ્યવહારિક સંકલન છે. સાથે જ, પરોપકાર, દેશપ્રેમ, વડીલોની શિખામણ, બ્રાહ્મણધર્મ, સંસ્કૃતિરક્ષણ અને લોકકલ્યાણ જેવા મૂલ્યોને જીવનના આધારસ્તંભ તરીકે પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. “અલબેલા શતક”નો મુખ્ય સંદેશ એ છે કે મનુષ્યે સંસારના અસ્થાયી મોહમાં બંધાઈ જવાને બદલે વિવેક, ભક્તિ, ધર્મ, સેવા અને આત્મચિંતન દ્વારા પોતાનું જીવન દિવ્ય, શાંત, સંસ્કારી અને મોક્ષમાર્ગી બનાવવું જોઈએ.
(अलबेला पंडित विरचित)
- પ્રકરણ – ઈશ્વર તત્વ ચિંતન અને ભક્તિ મહિમા
- પ્રકરણ -વિવેકી મન
- પ્રકરણ – જ્યોતિષ, પંચાંગ અને વાસ્તુ
- પ્રકરણ – વેદ
- પ્રકરણ – પુરાણ
- પ્રકરણ – ભારતીય જીવન
- સાચી દિશાની સમજ
- ઘરના સામાન્ય વાસ્તુ
- વાસ્તુ દોષ અને નિવારણ
- રસોડાનું વાસ્તુ
- શયનખંડ વાસ્તુ
- હોલ (લિવિંગ રૂમ) નું વાસ્તુ
- ઓફિસનું વાસ્તુ
- પંચાંગ મુહૂર્ત નિર્ણય
- જ્યોતિષ સામાન્ય સમજ
- કુંડળી
- નવ ગ્રહો
- કર્મકાંડ
- ચિહ્નો અને પ્રતીકો
- ઔદિચ્ય બ્રાહ્મણ ઇતિહાસ
- આદર્શ બ્રાહ્મણ
- સંસ્કારથી વિકાર જાય
- પૂજા કરાવો
- ગોત્ર-પ્રવર
- વ્રતોપવાસ
- વાર-તહેવાર
- “આહાર એ જ ઔષધ” એ ભારતીય દૃષ્ટિનું કેન્દ્ર.
- મુદ્રાઓ
- સ્વપ્ન સંકેત
- અંતિમ સંસ્કાર
- મૃત્યુ પછી પણ પુણ્ય
- વડીલો ની શિખામણો
- વ્યવહારિક નિયમો
- પાપ ધોવાના સાધનો
- પંચધા
- संस्कृत भाषा
પ્રકરણ – ઈશ્વર તત્વ ચિંતન અને ભક્તિ મહિમા
આધ્યાત્મિકતા
महात्म्यज्ञानपूर्वा या श्रद्धाभक्तिर्विवेकिनी । वैराग्येशसमीपात्मपुष्ट्यै सा हि कल्पते ॥
न भोगाय न लोकाय न तर्कान्धप्रदर्शने । अध्यात्मतत्त्वबोधाय सतर्कोऽयं समुच्चयः ॥
મહાત્મ્યજ્ઞાનથી પૂર્વિત, વિવેકયુક્ત શ્રદ્ધાભક્તિ જ વૈરાગ્ય, ઈશ્વરસામીપ્ય અને આત્મપુષ્ટિ માટે યોગ્ય બને છે. આ આધ્યાત્મિક માર્ગ ભોગ, લોકપ્રદર્શન કે અંધ તર્ક માટે નહિ, પરંતુ આધ્યાત્મિક તત્ત્વના બોધ માટેનો “સતર્ક” સમુચ્ચય છે.
ઈશ્વર તત્વ પ્રબોધ
मायाचक्रे जगत्सर्वं भ्रमतीव निरन्तरम् । ब्रह्मैकं नित्यसत्यं तु लीलेयं विश्वकल्पना ॥
यः सन्निधौ हरेर्नित्यं भक्त्या तिष्ठति मानवः । स मायाग्रन्थिमुत्सृज्य शान्तिं मोक्षं च विन्दति ॥
આ સમગ્ર જગત માયાના ચક્રમાં સતત ભ્રમતું દેખાય છે. એકમાત્ર બ્રહ્મ જ નિત્ય સત્ય છે; આ વિશ્વ તો તેની લીલારૂપ કલ્પના છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક સદા ભગવાનના સન્મુખ રહે છે, તે માયાના બંધનને છોડીને શાંતિ અને મોક્ષને પ્રાપ્ત કરે છે.
अदृश्योऽपि यथा वायुः स्पर्शरूपेण गम्यते । तथैव सर्वभूतस्थ ईश्वरः स्यान्न संशयः ॥
मायया मोहितो लोकः दृश्ये सत्यं प्रपद्यते । आत्मदीपे प्रबुद्धे तु ब्रह्मैवावशिष्यते ॥
જે રીતે અદૃશ્ય વાયુ તેનો સ્પર્શ થકી અનુભવાય છે, એ જ રીતે અદૃશ્ય હોવા છતાં ઈશ્વર સર્વ જીવોમાં વિરાજે છે — તેમાં સંશય નથી. માયાથી મોહિત થયેલો લોક માત્ર દેખાતી વસ્તુને જ સત્ય માને છે; પરંતુ જ્યારે આત્માનો દીપક પ્રગટે છે, ત્યારે અંતે બ્રહ્મ જ શેષ રહે છે.
इन्द्रियैर्न न बुद्ध्या च न यन्त्रैर्न च चिन्तया । भक्तिशुद्धहृदा ज्ञेय ईश्वरः सर्वगोऽव्ययः ॥
मायामोहविनिर्मुक्तो यः स्वात्मनि विलोकयेत् । स एव परमां शान्तिं ब्रह्मभावं च विन्दति ॥
ઈશ્વર ઇન્દ્રિયો, બુદ્ધિ, યંત્રો કે માત્ર વિચારોથી જાણી શકાય એવા નથી. શુદ્ધ ભક્તિ અને પવિત્ર હૃદયથી જ સર્વવ્યાપક અને અવિનાશી ઈશ્વરને જાણી શકાય છે. જે મનુષ્ય માયા અને મોહથી મુક્ત થઈ પોતાના આત્મામાં પરમાત્માને જુએ છે, તે જ પરમ શાંતિ અને બ્રહ્મભાવને પ્રાપ્ત કરે છે.
ભક્તિમાન એ જ શક્તિમાન
रामनामापि रामादधिकं जगतः स्मृतम्। तद्वद् हि हनुमद्भक्तिर्हनूमदपि गौरवी॥
જેમ રામનું નામ રામ કરતાં પણ મહાન છે, તે જ રીતે હનુમાનજીની રામ પ્રત્યેની ભક્તિ હનુમાનજી કરતાં પણ વધુ મહિમાવાન છે.
અધ્યાત્મ એક ઉચ્ચતમ સાધન
न लोकस्यानुकूल्याय अध्यात्मं साधनं मतम् । स्वचित्तनिवृत्त्यर्थं तदाश्रयविवर्जनम् ॥
અધ્યાત્મ દુનિયાને સુધારવા માટેનું સાધન નથી; પણ પોતાનાં મનની નિવૃત્તિ અને દુનિયા ઉપરની આધારતા દૂર કરવા માટે છે.
Spirituality doesn’t make things in physical world better for observer. It rather makes the observer himself better who is observing all this physicality and deluded by it. Why should Shastras care for and bring any value to the mundane life of ignorant Jiva in physical world? Never! It is not designed for that. It is designed for upliftment of the Jiva, not better his ignorant life. Its purpose then, otherwise would be self-defeating.
अनुभवैर्विश्वदत्तैश्च स्वात्मतत्त्वं प्रबुध्यते । विलीने विश्वविभ्रान्तौ ब्रह्मैक्यं प्रतिपद्यते ॥
આ વિશ્વ દ્વારા પ્રાપ્ત થતા વિવિધ અનુભવોના માધ્યમથી જીવ પોતાના સાચા આત્મતત્ત્વને ઓળખે છે. જ્યારે વિશ્વની ભિન્નતારૂપ ભ્રાંતિ વિલીન થઈ જાય છે, ત્યારે તે બ્રહ્મ સાથેની અદ્વૈત એકતાને પ્રાપ્ત કરે છે.
પ્રકરણ -વિવેકી મન
વિવેક છે ઈશ્વર પ્રાપ્તિ નો માર્ગદર્શક.
ज्ञानभक्तिविरागैश्च विवेको मार्गदर्शकः । गुरुकृपाप्रसादेन ब्रह्मैक्यं लभते नरः ॥
श्रद्धया भक्तियोगेन समर्पणसमन्वितः । समाधियोगयुक्तात्मा ब्रह्मभावं निगच्छति ॥
જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સાથે વિવેક મનુષ્યને માર્ગદર્શન આપે છે. ગુરુકૃપાના પ્રસાદથી મનુષ્ય બ્રહ્મ સાથેનું ઐક્ય પ્રાપ્ત કરે છે. શ્રદ્ધા અને ભક્તિયોગથી યુક્ત, સમર્પણભાવ ધરાવતો અને સમાધિરૂપ યોગમાં સ્થિર થયેલો આત્મા અંતે બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે.
ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ મુખ્યત્વે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય — આ ત્રણ સ્તંભો પર આધારિત છે. જ્ઞાનથી મનુષ્ય “હું કોણ?” એનું તત્ત્વચિંતન કરી આત્મસ્વરૂપને ઓળખે છે. ભક્તિથી અહંતા અને મમતા ઓગળી આત્માનું પરમાત્મા સાથે મિલન થાય છે. વૈરાગ્ય મનુષ્યને સંસારની અસારતાનો બોધ કરાવી, વિવેક દ્વારા તેને માર્ગભ્રષ્ટ થવાથી બચાવે છે. સાત્વિક ગુણો — સંયમ, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, સદાચાર અને સંતોષ — વિવેકને પ્રબળ બનાવે છે. ગુરુકૃપા દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે, પરંતુ પ્રેમ અને શ્રદ્ધા વિના જ્ઞાન શુષ્ક બની જાય છે. વૈરાગ્યને વિશ્વાસ અને સમર્પણનો આધાર જોઈએ, નહિતર નિરાશા ઉત્પન્ન થાય છે. ભક્તિ, સેવા અને સ્મરણથી ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે, જે અંતે દિવ્યદ્રષ્ટિ, યોગ, સમાધિ અને બ્રહ્મસાક્ષાત્કાર તરફ દોરી જાય છે. યોગ અને સમાધિના અભ્યાસથી જીવ ધીમે ધીમે તુરીય અને તુરીયાતીત અવસ્થામાં પ્રવેશે છે, જ્યાં જીવ અને બ્રહ્મનો ભેદ વિલીન થઈ જાય છે. સમગ્ર માર્ગમાં “વિવેક” એ જ સૌથી મહત્ત્વનું સાધન છે, જે મનુષ્યને દરેક તબક્કે ઈશ્વરમાર્ગમાં સ્થિર રાખે છે.
વિવેક વાપરો
अधर्मिणोऽपि दृश्यन्ते किञ्चिद्गुणसमन्विताः । न तु ते पूजनीयाः स्युर्गुणग्राह्यो हि साधुभिः ॥
सर्वगुणनिधौ रामे चेत् चेतः स्थाप्यते बुधैः । दोषिणां तु गुणो ग्राह्यो न तु दोषसमन्वयः ॥
અધર્મી અને દુષ્ટ મનુષ્યોમાં પણ ક્યારેક થોડાક સદ્ગુણો જોવા મળે છે, પરંતુ તેથી તેઓ પૂજનીય અથવા આદર્શ બની જતા નથી. સજ્જનો તો માત્ર ગ્રહણ કરવા યોગ્ય ગુણોને જ સ્વીકારે છે. બુદ્ધિમાન લોકોનું ચિત્ત સર્વગુણોના ભંડાર એવા પ્રભુ શ્રી રામ માં સ્થિર થવું જોઈએ. જો દુષ્ટોમાં કોઈ સદ્ગુણ હોય, તો માત્ર તે ગુણ જ ગ્રહણ કરવો — તેમના દોષો અને સમગ્ર દુષ્ટ વ્યક્તિત્વને ક્યારેય સ્વીકારવું નહીં.
મનને મિત્ર કેવી રીતે બનાવવું
मनः सेतुर्बुद्धीन्द्रिययोर्नराणां विषयेषु धावत्यथ वा विवेके । वर्तमानचिन्तनयुक्तचित्तः स्वमित्रभावं लभते प्रशान्तम् ॥
મન બુદ્ધિ અને ઇન્દ્રિયો વચ્ચેનો સેતુ છે. જો તે વિષયોમાં દોડે તો પતન તરફ જાય અને જો વિવેકમાં સ્થિર થાય તો પ્રગતિ કરે છે. જે મનુષ્ય વર્તમાનનું ચિંતન કરે છે, તેનું મન શાંત બની મિત્રરૂપ થાય છે.
મનશાંતિ જ સુખ
न घटनाफलं सुखं नापि तस्य स्थितिर्मता । चित्तविक्षेपशान्त्यैव सुखमित्यभिधीयते ॥
સુખ ઘટના કે તેના પરિણામથી નથી મળતું, ન તો તેની સ્થિતિથી; પણ માત્ર મનના વિકષેપની શાંતિથી જ સુખ કહેવાય છે.
અવિદ્યાનિવૃત્તિથી બ્રહ્મદર્શનનો દૃષ્ટાંત
रङ्गोपनेत्रनिवृत्तौ यथार्थं दृश्यते जगत् । अविद्यानिवृत्तौ तु ब्रह्मरूपं जगद्भवेत् ॥
જ્યારે રંગીન ચશ્મા દૂર થાય છે ત્યારે જગત જેમ છે તેમ દેખાય છે; અને જ્યારે અવિદ્યા દૂર થાય છે ત્યારે જગત બ્રહ્મરૂપ તરીકે અનુભવાય છે.
વિવેકથી યથાર્થદર્શનનું તત્ત્વ
दृष्ट्या भौतिकया वस्तु मनोविषयतां व्रजेत् । विवेकेन तु तत्त्वं स्यात् यथाभूतं प्रकाशते ॥
ભૌતિક દૃષ્ટિથી વસ્તુ મનનો વિષય બની જાય છે; પણ વિવેકથી તત્વ જેમ છે તેમ સ્પષ્ટરૂપે પ્રગટ થાય છે.
પ્રકરણ – જ્યોતિષ, પંચાંગ અને વાસ્તુ
ગ્રહદશામાં શાસ્ત્રોક્ત નિવારણ કરવું
यथा ऋतूनां परिवर्तमाने शीतोष्णदुःखं शमयन्ति धीराः । तथा ग्रहाणां परिवर्तकाले दुःखस्य शान्त्यै विधयः क्रियन्ते ॥
જેમ ઋતુ બદલાય ત્યારે ઠંડી અને ગરમીના કષ્ટને ઓછા કરવા માટે ઉપાય કરીએ છીએ, તેમ જ ગ્રહોની દશા બદલાય ત્યારે કષ્ટને શાંત કરવા માટે શાસ્ત્રોક્ત ઉપાય કરવો જોઈએ.
પ્રકરણ – વેદ
વેદ પરિચય
अनादिनिधनाः वेदा ब्रह्मधर्मप्रकाशकाः । श्रुतिरूपेण लोकेऽस्मिन् ऋषिमार्गेण रक्षिताः ॥
ऋग्यजुःसामाथर्वाख्या वेदा लोकहितावहाः । स्तुतिप्रार्थनारूपेण नयन्ति तमसोऽपि नः ॥
વેદો અનાદિ અને અવિનાશી છે. તેઓ બ્રહ્મ અને ધર્મનું પ્રકાશન કરનાર છે. ઋષિઓએ શ્રુતિપરંપરાથી તેમને વિશ્વમાં સુરક્ષિત રાખ્યા છે. ઋગ, યજુઃ, સામ અને અથર્વ — આ ચારેય વેદો લોકકલ્યાણ કરનાર છે. સ્તુતિ અને પ્રાર્થનાના સ્વરૂપે તેઓ અમને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢે છે.
ઋગ્વેદ
ऋचां निधिर्महावेदो ज्ञानदीपप्रकाशकः । अध्यात्मप्रार्थनाद्यैश्च लोकधर्मप्रबोधकः ॥
शाखाभिर्विस्तृतं ज्ञानं सूक्तैरर्थविभूषितम् । ऋग्वेदः श्रुतिमार्गस्य सनातनपथप्रदः ॥
ઋચાઓનો મહાન ભંડારરૂપ ઋગ્વેદ જ્ઞાનના દીપકને પ્રગટ કરનાર છે. તે આધ્યાત્મિકતા, પ્રાર્થના વગેરે દ્વારા લોકધર્મનો બોધ કરાવે છે. તેની શાખાઓ દ્વારા જ્ઞાનનો વિસ્તાર થયો છે અને સૂક્તો દ્વારા અર્થની સુંદર અભિવ્યક્તિ થાય છે. ઋગ્વેદ સનાતન શ્રુતિમાર્ગનો માર્ગદર્શક છે.
ઋગ્વેદ વૈદિક સાહિત્યનો આદિ અને પ્રાચીન જ્ઞાનપ્રવાહ છે. તેમાં બ્રહ્મજ્ઞાન, યજ્ઞ, પ્રાર્થના, દાર્શનિક ચિંતન, દેવતાઓની ઉપાસના અને માનવજીવનના આધ્યાત્મિક તથા સામાજિક તત્ત્વોનું સંકલન થયેલું છે. ઋગ્વેદ માત્ર મંત્રસંગ્રહ નથી, પરંતુ — જ્ઞાનનું પ્રતીક, અધ્યયનનું પ્રેરણાસ્ત્રોત, શાસ્ત્રીય પરંપરાનું મૂળ અને આધ્યાત્મિક ચેતનાનું વૈદિક સ્વરૂપ છે. તેની વિવિધ શાખાઓ વૈદિક જ્ઞાનની પરંપરા અને ગુરુ-શિષ્ય સંરક્ષણ વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે તેના સૂક્તો દર્શાવે છે કે વૈદિક દૃષ્ટિ માત્ર ઉપાસનાત્મક જ નહીં પરંતુ દાર્શનિક, માનસિક, કાવ્યાત્મક અને સામાજિક પણ હતી.
યજુર્વેદ
यज्ञभावसमायुक्तं कृतज्ञहृदयान्वितम् । यजुर्वेदः शुभं मार्गं ब्रह्मतत्त्वे नियच्छति ॥
शाखाभिर्विस्तृतं ज्ञानं मन्त्रैरर्थप्रबोधितम् । कर्मभक्तिसमायोगाद् मोक्षमार्गप्रदायकम् ॥
યજ્ઞભાવથી યુક્ત અને કૃતજ્ઞ હૃદયવાળાને યજુર્વેદ શુભ માર્ગ બતાવી બ્રહ્મતત્ત્વ તરફ દોરી જાય છે. તેની શાખાઓ દ્વારા જ્ઞાનનો વિસ્તાર થયો છે અને મંત્રો દ્વારા તત્ત્વનો બોધ થાય છે. કર્મ અને ભક્તિના સંયોગથી તે મોક્ષમાર્ગનો પ્રદર્શક બને છે.
યજુર્વેદ એ યજ્ઞ, કર્તવ્ય, ઉપાસના અને સંસ્કારનું વૈદિક વિજ્ઞાન છે. તે મનુષ્યને માત્ર ક્રિયા શીખવતો નથી, પરંતુ શુદ્ધ ભાવના, કૃતજ્ઞતા, ઉત્તમ વિચાર,અને ઈશ્વરસન્નિધિની અનુભૂતિ સાથે કર્મ કરવા પ્રેરિત કરે છે. યજુર્વેદનો મર્મ એ છે કે — જ્યારે કર્મ ભક્તિરૂપ બને, ભાવના પવિત્ર બને, અને જીવન યજ્ઞમય બને, ત્યારે મનુષ્ય પરમતત્ત્વ તરફ ગતિ કરે છે. તેની વિવિધ શાખાઓ વૈદિક પરંપરાની ઊંડાણપૂર્ણ શિક્ષણપ્રણાલીનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે મંત્રાનુક્રમસૂચિ દર્શાવે છે કે વૈદિક અભ્યાસ માત્ર ભાવનાત્મક નહીં પરંતુ અત્યંત વ્યવસ્થિત, સંરચિત અને વૈજ્ઞાનિક પણ હતો.
અથર્વવેદ
ब्रह्मविद्याप्रदः शान्तेः रक्षायाश्च प्रवर्तकः । अथर्ववेदो लोकेषु हितमार्गप्रदर्शकः ॥
आरोग्यधर्मसंयुक्तं लौकिकामुष्मिकं शुभम् । मन्त्रसूक्तसमायुक्तं ज्ञानरत्नाकरं महत् ॥
અથર્વવેદ બ્રહ્મવિદ્યા આપનાર, શાંતિ અને રક્ષાનો પ્રચારક તથા લોકહિતનો માર્ગ દર્શાવનાર છે. તે આરોગ્ય, ધર્મ, લોકજીવન અને પરલૌકિક કલ્યાણ સાથે સંકળાયેલ શુભ જ્ઞાનથી ભરપૂર છે. મંત્રો અને સૂક્તોથી સમૃદ્ધ એવો અથર્વવેદ મહાન જ્ઞાનસાગર છે.
અથર્વવેદ જીવનના આધ્યાત્મિક અને વ્યવહારિક બંને ક્ષેત્રોને આવરી લેતો સ્થિરજ્ઞાનનો વૈદિક ભંડાર છે. તે માત્ર બ્રહ્મવિદ્યાનો જ નહીં પરંતુ શાંતિ, રક્ષા, આરોગ્ય, ઉપચાર, ગૃહસ્થજીવન, રાજ્યવ્યવસ્થા, અને લોકકલ્યાણનો પણ વેદ છે. અથર્વવેદ દર્શાવે છે કે સનાતન વૈદિક દૃષ્ટિ જીવનને દ્વિખંડિત કરતી નથી. ઈહલોક અને પરલોક, ઉપચાર અને ઉપાસના, વિજ્ઞાન અને આધ્યાત્મ — આ બધાનો સમન્વય એમાં રહેલો છે. તેમાં મનુષ્યના શરીર, મન, સમાજ અને બ્રહ્મચેતનાના કલ્યાણ માટેના મંત્રો, સૂક્તો અને તત્ત્વજ્ઞાનનું વિશાળ સંકલન છે. આથી અથર્વવેદને “લોકજીવનનો વેદ” અને “બ્રહ્મવિદ્યાનો વેદ” બંને કહેવાય છે.
સામવેદ
नादस्वरसमायुक्त उपासनाप्रवर्तकः । सामवेदः परं ब्रह्म भावमार्गे प्रकाशयेत् ॥
मन्त्राणां गानरूपेण चेतस ऊर्ध्वगामिता । भक्तिरसप्रवाहेण मोक्षमार्गं प्रदर्शयेत् ॥
નાદ અને સ્વરથી યુક્ત સામવેદ ઉપાસનાનો પ્રવર્તક બની પરબ્રહ્મ તરફનો ભાવમાર્ગ પ્રકાશિત કરે છે. મંત્રો ગાનરૂપ ધારણ કરતા ચિત્તની ઉર્ધ્વગતિ થાય છે. ભક્તિરસના પ્રવાહ દ્વારા તે મોક્ષમાર્ગનું પ્રદર્શન કરે છે.
સામવેદ ઉપાસના, નાદ અને ચેતનાની ઉર્ધ્વગતિનો વેદ છે. તે વૈદિક જ્ઞાનને સ્વર, સંગીત અને આંતરિક ભાવજાગૃતિ દ્વારા જીવંત બનાવે છે. સામવેદનો મુખ્ય મર્મ એ છે કે — મંત્ર જ્યારે સ્વર સાથે જોડાય, ભાવ જ્યારે ઉપાસનામાં રૂપાંતરિત થાય, અને ચિત્ત જ્યારે નાદમાં લીન થાય, ત્યારે મનુષ્યની ચેતના પરમાત્મા તરફ ઉર્ધ્વગતિ કરે છે. આથી સામવેદને ઉપાસના-પ્રધાન વેદ, ગાનમય વેદ, અને ભારતીય સંગીતનું મૂળ કહેવાય છે. તેના ગાનભેદ, સ્વરપરંપરા અને આચાર્યપ્રવાહ દર્શાવે છે કે વૈદિક સંસ્કૃતિમાં ધ્વનિ, છંદ અને સ્વર માત્ર કળા નહીં પરંતુ આધ્યાત્મિક સાધના હતા.
પ્રકરણ – પુરાણ
વૈજ્ઞાનિક જોડાણ
सनातनी भारती विद्या पुराणेषु प्रतिष्ठिता । यदद्य दृश्यते लोके तत्तत्रैव पुरातनम् ॥
कालचक्रस्वभावेन पुनः पुनरुदेति हि । अतो विज्ञानवृत्तान्ता मिथकेष्वपि दृश्यते ॥
સનાતન ભારતીય વિદ્યા પુરાણોમાં સ્થાપિત છે. આજે વિશ્વમાં જે કંઈ દેખાય છે, તે પ્રાચીન રૂપે ત્યાં પહેલેથી જ રહેલું છે. કારણ કે કાળનું સ્વરૂપ ચક્રાકાર છે અને વસ્તુઓ ફરી ફરી પ્રગટ થાય છે, તેથી આધુનિક વિજ્ઞાનની ઘટનાઓ પણ પુરાણોમાં પ્રતિબિંબિત જોવા મળે છે.
सृष्टेर्धर्मप्रवाहस्य ऋषिदेवप्रवर्तकाः । पुराणेषु च वंशास्ते संस्कृतेः कीर्तिहेतवः ॥
ઋષિઓ અને દેવતાઓ સૃષ્ટિમાં ધર્મપ્રવાહને આગળ વધારનાર છે; અને પુરાણોમાં વર્ણવાતી તેમની વંશપરંપરાઓ ભારતીય સંસ્કૃતિની કીર્તિ અને અખંડ પરંપરાના આધારરૂપ છે.
પુરાણ અને વિજ્ઞાનનું કાળચક્ર
क्षणभङ्गुरमेतज्जगत् कालचक्रवशं गतम् । धर्म एव स्थिरो नित्यं ब्रह्मतत्त्वं सनातनम् ॥
આ સમગ્ર જગત ક્ષણભંગુર છે અને કાળચક્રના અધીન છે; માત્ર ધર્મ અને બ્રહ્મતત્વ જ શાશ્વત અને અચળ છે.
સૃષ્ટિની ઉત્પત્તિ
निर्गुणं निर्विकारं च ब्रह्म मायावृतं यदा । तदा महत्तत्त्वमभूद् सृष्टेः प्रथमकारणम् ॥
महतस्तु समुत्पन्ने शक्तिद्वयमनुत्तमम् । जडा चेतनरूपा च त्रिगुणात्मा ह्यहङ्कृतिः ॥
अज्ञानादेव संसृतिः ज्ञानाद्ब्रह्मणि स्थितिः । अध्यासनाशने नित्यं मोक्षमार्गः प्रकाशते ॥
નિર્ગુણ અને નિર્વિકાર બ્રહ્મને જ્યારે માયા આવરી લે છે, ત્યારે મહત્તત્વ ઉત્પન્ન થાય છે, જે સૃષ્ટિનું પ્રથમ કારણ છે. મહત્તત્વમાંથી બે ઉત્તમ શક્તિઓ પ્રગટે છે — જડ અને ચેતન. પ્રકૃતિજન્ય અહંકાર ત્રિગુણોથી યુક્ત બને છે. અજ્ઞાનથી સંસારની ઉત્પત્તિ થાય છે અને જ્ઞાનથી બ્રહ્મમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. અધ્યાસના નાશથી મોક્ષનો માર્ગ પ્રકાશિત થાય છે.
બ્રહ્માંડની રચના
दशदिक्षु स्थितं विश्वमण्डाकारं सनातनम् । दिक्पालैः पाल्यते नित्यं शेषफणासु धार्यते ॥
लोकाश्चतुर्दश प्रोक्ता वैकुण्ठादधः क्रमात् । भूर्लोके कर्मभूमिः स्यान्मोक्षसिद्धेः परं पदम् ॥
अतलादिपातालान्ता दैत्यनागनिवासिनः । बलेः राज्यं पाताले च शेषोऽधारः प्रकीर्तितः ॥
पृथिव्यापः समायाता आपो वायौ प्रतिष्ठिताः । सर्वं ब्रह्मणि संव्याप्तं तदतीतं निरामयम् ॥
આ સનાતન બ્રહ્માંડ દસ દિશાઓમાં અંડાકાર સ્વરૂપે સ્થિત છે. દિક્પાલો તેનું રક્ષણ કરે છે અને શેષનાગ તેને પોતાના ફણાઓ ઉપર ધારણ કરે છે. વૈકુંઠથી નીચે ચૌદ લોકોની રચના વર્ણવાઈ છે. તેમાં ભૂલોક કર્મભૂમિ અને મોક્ષપ્રાપ્તિનું વિશેષ સ્થાન છે. અતળથી પાતાળ સુધીના લોકોમાં દૈત્ય અને નાગો વસે છે. પાતાળમાં બલિરાજાનું રાજ્ય છે અને શેષનાગ સમગ્ર આધારરૂપ છે. પૃથ્વી જળમાં, જળ વાયુમાં સ્થિત છે; અંતે સમગ્ર સૃષ્ટિ બ્રહ્મમાં વ્યાપ્ત છે, જે સર્વથી પર અને નિર્મળ છે.
ભૂમંડળ
सप्तपुरीपवित्राश्च सरांसि क्षेत्रपर्वताः । वेदपुराणगीताश्च भारतस्य महद्विभुः ॥
सिन्धवो गिरयो दिव्या नवग्रहसमन्विताः । भौतिकं दैविकं चैव धर्मेणैक्यं प्रपद्यते ॥
तीर्थयात्रातपोयोगैर्विश्वं पावनमीरितम् । भारतीयेषु शास्त्रेषु भूर्भुवः स्वः प्रतिष्ठितम् ॥
સપ્તપુરીઓ, પવિત્ર સરોવરો, ક્ષેત્રો અને પર્વતો — આ બધાનું મહિમાવર્ણન વેદો અને પુરાણોમાં થયું છે; એ ભારતની દિવ્ય મહિમાને દર્શાવે છે. નદીઓ, દિવ્ય પર્વતો અને નવગ્રહો — આ બધું ભૌતિક અને દૈવિક જગતનું એકીકરણ છે, જે ધર્મ દ્વારા પરસ્પર જોડાયેલું છે. તીર્થયાત્રા, તપ અને યોગ દ્વારા સમગ્ર વિશ્વને પવિત્ર માનવામાં આવ્યું છે. ભારતીય શાસ્ત્રોમાં ભૂઃ, ભુવઃ અને સ્વઃ — ત્રણેય લોકની આધ્યાત્મિક સ્થાપના વર્ણવાઈ છે.
નરકો
पापानुसारतो जीवा नरकेषु पतन्ति हि । यातनाभिर्विशुद्धात्मा पुनर्धर्मे प्रवर्तते ॥
तामिस्ररौरवाद्येषु दुःखरूपेषु यन्त्रणाः । अधर्महिंसालोभानां फलरूपेण दर्शिताः ॥
कामक्रोधलोभास्त्रयो नरकस्य द्वारकाः । संयमः सत्क्रिया धर्मो मोक्षमार्गस्य कारणम् ॥
જીવો પોતાના પાપો અનુસાર નરકોમાં પડે છે. ત્યાં યાતનાઓ દ્વારા ચિત્ત શુદ્ધ થયા પછી તેઓ ફરી ધર્મમાર્ગ તરફ વળે છે. તામિસ્ર, રૌરવ વગેરે નરકોમાં દર્શાવાયેલી યાતનાઓ અધર્મ, હિંસા અને લોભ જેવા પાપોના ફળરૂપે વર્ણવવામાં આવી છે. કામ, ક્રોધ અને લોભ — આ ત્રણ નરકના દ્વાર છે. સંયમ, સત્કર્મ અને ધર્માચાર જ મોક્ષમાર્ગના આધાર છે.
મનુષ્ય શરીર
पञ्चकोशमयं देहं प्राणवायुसमन्वितम् । ज्ञानेन्द्रियकर्मयुक्तं चेतनायाः निवेशनम् ॥
मनोबुद्धिसमायुक्तं सूक्ष्मलिङ्गं प्रकीर्तितम् । पञ्चविंशतितत्त्वोत्थं स्थूलदेहं प्रचक्षते ॥
सूक्ष्मस्थूलसमायोगाज्जीवदेहः प्रजायते । देहो साधनरूपोऽयं ब्रह्मज्ञानस्य कारणम् ॥
મનુષ્યનું શરીર પંચકોષોથી બનેલું છે, જેમાં પાંચ પ્રાણવાયુઓ કાર્યરત છે. જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોથી યુક્ત આ શરીર ચેતનાનું નિવાસસ્થાન છે. મન અને બુદ્ધિ સાથેનું સત્તર તત્ત્વોથી બનેલું શરીર સૂક્ષ્મ લિંગ શરીર કહેવાય છે, જ્યારે પચ્ચીસ તત્ત્વોથી ઉત્પન્ન થયેલું શરીર સ્થૂળ શરીર કહેવાય છે. સૂક્ષ્મ અને સ્થૂળ શરીરના સંયોગથી જીવનું ચેતનમય શરીર પ્રગટ થાય છે. આ શરીર બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો સાધનરૂપ માર્ગ છે.
પૌરાણિક નામાવલી
नाम दैवं सुसंस्कारं संस्कृतेः पुनरुज्जीवनम्। यत्र नाम शुभं तत्र चरित्रं भवति शुभम्॥
દૈવી અને સાત્વિક નામ સંસ્કૃતિના પુનર્જીવનનું કારણ બને છે. જ્યાં નામ શુભ હોય છે, ત્યાં વ્યક્તિનું ચારિત્ર્ય પણ શુભ બને છે.
પ્રકરણ – ભારતીય જીવન
સાચી દિશાની સમજ
दिशाज्ञानं विना शास्त्रं न फलति कदाचन। यथार्थदिक्समायुक्तं गृहं सौख्यप्रदं भवेत्॥
દિશાનું યોગ્ય જ્ઞાન વિના વાસ્તુશાસ્ત્ર ફળ આપતું નથી. સાચી દિશાની સમજ સાથે રચાયેલ ગૃહ સુખ અને સમૃદ્ધિ આપે છે.
ઘરના સામાન્ય વાસ્તુ
दिशाविन्यासयोगेन वास्तुशान्तिः प्रवर्तते । शुभस्थाने स्थितं सर्वं सौख्यसम्पत्प्रदायकम् ॥
तुलसीदेवचित्राणि यथास्थानं निवेशितम् । कलहं नाशयेत् गेहे सौहार्दं च विवर्धयेत् ॥
યોગ્ય દિશા અને ગોઠવણીથી વાસ્તુમાં શાંતિ ઉત્પન્ન થાય છે. શુભ સ્થાને રાખેલી વસ્તુઓ સુખ અને સમૃદ્ધિ આપે છે. તુલસી અને દેવચિત્રોને યોગ્ય સ્થાને સ્થાપિત કરવાથી ઘરમાં કલહનો નાશ થાય છે અને પરસ્પર સદભાવ તથા એકતા વધે છે.
વાસ્તુ દોષ અને નિવારણ
भूमौ शल्यसमायुक्ते रोगदुःखभयप्रदे । शुद्धिं पूजां च शान्तिं च कृत्वा सौख्यं प्रजायते ॥
જે ભૂમિમાં અશુદ્ધ શલ્ય (હાડકાં, ભસ્મ વગેરે) રહેલ હોય તે રોગ, દુઃખ અને ભય આપનારી બને છે. પરંતુ યોગ્ય શુદ્ધિકરણ, પૂજન અને શાંતિ વિધિ કરવામાં આવે તો ત્યાં સુખ અને કલ્યાણ ઉત્પન્ન થાય છે.
રસોડાનું વાસ્તુ
अग्निकोणे भवेत् पाकं, पूर्वदिग्वदनो यजेत्। अन्नशुद्धिर्गृहस्थस्य, तत्रैव समृद्धयः॥
રસોડું અગ્નિકોણમાં હોવું જોઈએ અને રસોઈ કરતી વખતે મુખ પૂર્વ તરફ રાખવું જોઈએ. જ્યાં અન્નની શુદ્ધિ અને તત્ત્વ સંતુલન હોય છે, ત્યાં જ ઘરનું સુખ અને સમૃદ્ધિ સ્થિર રહે છે.
શયનખંડ વાસ્તુ
नैऋत्ये शयनं श्रेष्ठं दक्षिणे शिर एव च । शुद्धे शान्तिगृहे नित्यं सुखनिद्रा प्रजायते ॥
નૈઋત્ય દિશામાં આવેલ શયનખંડ અને દક્ષિણ તરફ માથું રાખીને કરેલું શયન શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્વચ્છ અને શાંત ગૃહમાં સદા સુખદ નિદ્રા પ્રાપ્ત થાય છે.
હોલ (લિવિંગ રૂમ) નું વાસ્તુ
सौहार्दस्यानुकूलो यः सभाखण्डः सुविन्यसः । प्रकाशवायुसम्पूर्णः सुखशान्तिप्रदो गृहे ॥
शुभचित्रैः सुशोभितो निर्मलो विघ्नवर्जितः । अतिथीनां प्रियः सद्यो हर्षवृद्धिकरो भवेत् ॥
જે બેઠકખંડ સુવ્યવસ્થિત હોય, જેમાં પૂરતો પ્રકાશ અને શુદ્ધ હવાનો પ્રવાહ હોય, તે ઘરમાં સુખ, શાંતિ અને સૌહાર્દનો વિકાસ કરે છે. શુભ ચિત્રો, સ્વચ્છતા અને અવરોધરહિત ગોઠવણીથી શોભિત એવો દીવાનખંડ પરિવાર માટે આનંદદાયક બને છે તથા મહેમાનોને પણ પ્રિય લાગે છે. એવો બેઠકખંડ ઘરમાં હર્ષ, પ્રસન્નતા અને પરસ્પર પ્રેમમાં વૃદ્ધિ કરનાર બને છે.
ઓફિસનું વાસ્તુ
ईशाने देवतास्थानं नैऋत्ये स्थिरसंपदः । वास्तुयुक्ते गृहे कार्ये वृद्धिः शान्तिः सुखं भवेत् ॥
ઈશાન ખૂણું દેવસ્થાન માટે અને નૈઋત્ય ખૂણું સ્થિર સંપત્તિ માટે શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર ગોઠવાયેલા ગૃહ અથવા કાર્યસ્થળમાં વૃદ્ધિ, શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે.
પંચાંગ મુહૂર્ત નિર્ણય
तिथिवारनक्षत्रैः कार्यं शास्त्रानुसारतः । मुहूर्ते शुभकर्माणि सिद्धिं यान्ति निरन्तरम् ॥
पञ्चके ग्रहणे चैव त्याज्यं कार्यमशोभनम् । शास्त्रदृष्ट्या कृतं कर्म सर्वमङ्गलकारकम् ॥
તિથિ, વાર અને નક્ષત્રનો શાસ્ત્ર મુજબ વિચાર કરીને કાર્ય કરવું જોઈએ. શુભ મુહૂર્તમાં કરાયેલા શુભ કાર્યો સતત સિદ્ધિ આપે છે. પંચક અને ગ્રહણ વગેરે સમયમાં અશુભ અથવા શુભ કાર્યો ટાળવા જોઈએ. શાસ્ત્રદ્રષ્ટિથી કરાયેલ કાર્ય સર્વ મંગલકારક બને છે.
જ્યોતિષ સામાન્ય સમજ
भूमिं केन्द्रं समाश्रित्य ज्योतिःशास्त्रं प्रवर्तते । ग्रहगत्या फलज्ञानं दृश्यतत्त्वानुसारतः ॥
राशिद्वादशभेदेन भावचक्रं विनिर्मितम् । ईश्वराधीनबुद्धिः स्याज्ज्योतिषे नातिनिर्भरः ॥
પૃથ્વીને કેન્દ્રમાં રાખીને જ્યોતિષશાસ્ત્ર કાર્ય કરે છે અને ગ્રહોની દૃશ્ય ગતિ અનુસાર ફળજ્ઞાન આપે છે. બાર રાશિઓ દ્વારા ભાવચક્ર (કુંડળી) ની રચના કરવામાં આવી છે. મનુષ્યએ જ્યોતિષનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ અતિ નિર્ભર ન બની અંતે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવો જોઈએ.
કુંડળી
द्वादशैर्भावभेदैश्च जीवितं परिकीर्तितम् । कुण्डलीभिर्विचारोऽयं सुखदुःखफलप्रदः ॥
केन्द्रत्रिकोणसंस्थाश्च ग्रहाः शक्तिप्रदायकाः । षष्ठाष्टव्ययभावस्था बाधां कुर्वन्ति देहिनाम् ॥
બાર ભાવો દ્વારા મનુષ્યજીવનના વિવિધ વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે. વિવિધ કુંડળીઓ સુખ અને દુઃખના ફળનો વિચાર કરાવે છે. કેન્દ્ર અને ત્રિકોણમાં રહેલા ગ્રહો વિશેષ શક્તિ અને પ્રભાવ આપે છે, જ્યારે ષષ્ઠ, અષ્ટમ અને વ્યય (દ્વાદશ) ભાવમાં રહેલા ગ્રહો જીવનમાં અવરોધ અને કષ્ટો ઉત્પન્ન કરે છે.
નવ ગ્રહો
द्वादशैर्भावभेदैश्च जीवितं परिकीर्तितम् । कुण्डलीभिर्विचारोऽयं सुखदुःखफलप्रदः ॥
केन्द्रत्रिकोणसंस्थाश्च ग्रहाः शक्तिप्रदायकाः । षष्ठाष्टव्ययभावस्था बाधां कुर्वन्ति देहिनाम् ॥
બાર ભાવો દ્વારા મનુષ્યજીવનના વિવિધ વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે. વિવિધ કુંડળીઓ સુખ અને દુઃખના ફળનો વિચાર કરાવે છે. કેન્દ્ર અને ત્રિકોણમાં રહેલા ગ્રહો વિશેષ શક્તિ અને પ્રભાવ આપે છે, જ્યારે ષષ્ઠ, અષ્ટમ અને વ્યય (દ્વાદશ) ભાવમાં રહેલા ગ્રહો જીવનમાં અવરોધ અને કષ્ટો ઉત્પન્ન કરે છે.
કર્મકાંડ
वेदशास्त्रप्रदीप्तेन संस्कारेण विशुद्धधीः । सत्कर्मणा जागरूका दिव्यता मानवस्य हि ॥
देवस्तुत्याहुतिभ्यां च यज्ञकर्मप्रवर्तनम् । आधिदैविकसंसर्गः कर्मकाण्डस्य विज्ञानम् ॥
भौतिकादधिदैवं च मनसा संयुनक्ति यत् । ईश्वरप्राप्तिसाधनं कर्मकाण्डं प्रचक्षते ॥
વેદ અને શાસ્ત્રોથી પ્રેરિત સંસ્કારો મનુષ્યની બુદ્ધિને શુદ્ધ કરે છે, અને સત્કર્મોથી તેની અંદરની દિવ્યતા જાગૃત થાય છે. દેવતાઓની સ્તુતિ, આહુતિ અને યજ્ઞ દ્વારા આધિદૈવિક શક્તિઓ સાથેનો સંબંધ સ્થાપિત થાય છે — એ જ કર્મકાંડનું વિજ્ઞાન છે. જે મન દ્વારા આધિભૌતિક અને આધિદૈવિક જગતને જોડીને ઈશ્વરપ્રાપ્તિનું સાધન બને છે, તેને કર્મકાંડ કહેવામાં આવે છે.
ચિહ્નો અને પ્રતીકો
स्वस्तिकं च प्रणवं चैव देवताराधनं शुभम्। चिह्नैः प्रतीकभावेन ब्रह्मैक्यं प्रतिपाद्यते॥
સ્વસ્તિક, પ્રણવ (ॐ) અને દેવતારાધનના શુભ ચિહ્નો દ્વારા પ્રતીકરૂપે બ્રહ્મના એકત્વનું જ્ઞાન વ્યક્ત થાય છે.
ઔદિચ્ય બ્રાહ્મણ ઇતિહાસ
उत्तरदेशसंभूता वेदविद्याविशारदाः । मूलराजेन यज्ञार्थं समाहूता द्विजोत्तमाः ॥
गुजरात्रं समागत्य सहस्रशः प्रतिष्ठिताः । कालान्तरे च चतुरशीतिशाखासमुद्भवाः ॥
गोत्राचारविशुद्धाः शास्त्रयज्ञपरायणाः । भूदेव इति विख्याताः लोकधर्मप्रवर्तकाः ॥
ઉત્તર પ્રદેશમાંથી આવેલા વેદજ્ઞાનમાં નિષ્ણાત શ્રેષ્ઠ બ્રાહ્મણોને રાજા મૂળરાજે યજ્ઞ માટે આદરપૂર્વક આમંત્રિત કર્યા. તેઓ ગુજરાતમાં આવી હજારોની સંખ્યામાં સ્થાયી થયા અને સમય જતા વિવિધ પરિસ્થિતિઓના કારણે અનેક શાખાઓમાં વિભાજિત થઈ ચોર્યાસી જેટલા કુળરૂપે પ્રસિદ્ધ થયા. શુદ્ધ ગોત્રપરંપરા અને શાસ્ત્ર-યજ્ઞમાં નિરત આ દ્વિજો લોકધર્મના સંચાલક બની “ભૂદેવ” તરીકે વિખ્યાત થયા.
ब्राह्मणा ज्ञानसम्पन्ना देशधर्मपरायणाः । त्यागसेवारताः सन्तो भारतस्य विभूतयः ॥
स्वातन्त्र्ययज्ञे बहवो न्यवेदयन् स्वजीवितम् । धर्मराष्ट्रहितार्थाय कीर्तिर्व्याप्ता महीतले ॥
संघे शक्तिः कलौ नॄणां सेवा संस्कारपालनम् । परोपकारनिरता ब्राह्मणाः शुभदायिनः ॥
न वै द्वेषाय संयोगो न हिंसायै कदाचन । लोककल्याणहेतोस्तु एकता श्रेयसी मता ॥
બ્રાહ્મણો જ્ઞાનથી સમૃદ્ધ, દેશ અને ધર્મને અર્પિત, ત્યાગ અને સેવા કરનાર સંતસ્વભાવના મહાન પુરુષો છે; તેઓ ભારતની વિભૂતિ છે. સ્વાતંત્ર્યના યજ્ઞમાં અનેક મહાન પુરુષોએ પોતાના જીવનનું અર્પણ કર્યું. ધર્મ અને રાષ્ટ્રહિત માટે તેમનું યશ સમગ્ર પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. કલિયુગમાં સંગઠનમાં શક્તિ છે. સેવા, સંસ્કાર અને પરોપકારમાં નિરત બ્રાહ્મણો સમાજ માટે કલ્યાણદાયક બને છે. એકતા ક્યારેય દ્વેષ કે હિંસા માટે નથી; પરંતુ લોકકલ્યાણ અને સદુદ્દેશ્ય માટે થયેલી એકતા જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આદર્શ બ્રાહ્મણ
सन्ध्यायज्ञजपहोमैः शुद्धचित्तो जितेन्द्रियः । दयालुः शीलसंपन्नो ब्राह्मणो ब्रह्मवित्तमः ॥
सन्तोषी क्षमया युक्तो दानी धर्मपरायणः । भूतहिते सदा सक्तो निर्वैरः समदर्शनः ॥
वेदसंस्कृतिरक्षार्थं यः स्वजीवनमर्पयेत् । ईश्वरार्पितकर्मा स आदर्शब्राह्मणः स्मृतः ॥
જે બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા, યજ્ઞ, જપ અને હોમ દ્વારા ચિત્તને શુદ્ધ રાખે છે, ઇન્દ્રિયોને વશમાં રાખે છે અને દયા તથા સદાચારથી યુક્ત છે — તે શ્રેષ્ઠ બ્રાહ્મણ કહેવાય છે. સંતોષ, ક્ષમા, દાન, ધર્મપરાયણતા અને સર્વજીવોના હિતમાં નિરંતર પ્રવૃત્તિ એના લક્ષણો છે. જે વેદ, સંસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરી સર્વ કર્મોને ઈશ્વરને અર્પણ કરે છે, તે જ આદર્શ બ્રાહ્મણ ગણાય છે.
સંસ્કારથી વિકાર જાય
संस्कारैर्मलिनो भावः शनैः शुद्धिं निगच्छति । संस्कृतो मानवो लोके धर्ममार्गे प्रवर्तते ॥
आत्मबलं विवेकं च संस्काराः सम्प्रयच्छति । तेनैव मानवो भूत्वा दिव्यभावं निगच्छति ॥
સંસ્કારો દ્વારા મનના મલિન ભાવો ધીમે ધીમે શુદ્ધ થાય છે. સુસંસ્કારી મનુષ્ય ધર્મમાર્ગમાં પ્રવૃત્ત થાય છે. સંસ્કારો આત્મબળ અને વિવેક પ્રદાન કરે છે. અને એ જ દ્વારા મનુષ્ય દિવ્યભાવને પ્રાપ્ત કરે છે.
પૂજા કરાવો
देवप्रार्थनया कार्यं सिद्ध्यति दिव्यभावतः। भूदेवैः क्रियमाणा पूजा फलदा भवति सदा॥
દેવતાઓની પ્રાર્થનાથી કાર્યની સિદ્ધિ દિવ્ય ભાવથી પ્રાપ્ત થાય છે, અને ભૂદેવો (બ્રાહ્મણો) દ્વારા કરાયેલ પૂજા હંમેશા ફળદાયી બને છે.
ગોત્ર-પ્રવર
गोत्रं ऋषिकुलोत्पन्नं प्रवरैर्भासितं शुभम् । वेदशाखासमायुक्तं धर्ममूलं सनातनम् ॥
प्रवराः श्रेष्ठऋषयः कुलदीप्तिप्रवर्धकाः । सगोत्रसप्रवरयोर्विवाहो न विधीयते ॥
वेदः शाखा तथा सूत्रं देवता च स्वधर्मता । एतज्ज्ञात्वा नरः सम्यक् स्वमूलं वेत्ति वैदिकम् ॥
स्मार्तमार्गः सनातन्यो वेदमूलः सनातनः । स्वशाखाचारनिष्ठेन जीवनं सुफलं भवेत् ॥
ગોત્ર ઋષિવંશથી ઉત્પન્ન થયેલું પવિત્ર સંસ્કારરૂપ ચિહ્ન છે. પ્રવરો દ્વારા તે તેજસ્વી બને છે અને વેદ-શાખાથી જોડાઈને સનાતન ધર્મનું મૂળ સ્વરૂપ ધારણ કરે છે. પ્રવરો તે શ્રેષ્ઠ ઋષિઓ છે જેમણે કુળપરંપરાને મહિમાવંત બનાવી. તેથી સગોત્ર અને સપ્રવરના લગ્ન શાસ્ત્રમાં નિષિદ્ધ ગણાયા છે. પોતાનો વેદ, શાખા, સૂત્ર, દેવતા અને સ્વધર્મ જાણનાર મનુષ્ય જ પોતાના વૈદિક મૂળને સાચી રીતે સમજી શકે છે. સ્માર્ત અને વૈદિક માર્ગ જ સનાતન મૂળધારા છે. પોતાની શાખા અને આચારમાં સ્થિર રહેનારનું જીવન સફળ બને છે.
વ્રતોપવાસ
एकादश्यो हरिप्रीत्या पापमोहभयापहाः । वैराग्यभक्तिमोक्षाणां पुण्यलोकप्रदाः शुभाः ॥
यज्ञदानतपोतीर्थफलसारसमन्विताः । विष्णुसायुज्यदाः सर्वाः कलौ धर्मस्य जीवनम् ॥
હરિપ્રિય એવી એકાદશીઓ પાપ, મોહ અને ભયનો નાશ કરનારી છે. તે વૈરાગ્ય, ભક્તિ, મોક્ષ અને પુણ્યલોક પ્રદાન કરનારી શુભ તિથિઓ છે. યજ્ઞ, દાન, તપ અને તીર્થોના સારરૂપ ફળોથી યુક્ત આ તમામ એકાદશીઓ કલિયુગમાં ધર્મનું જીવંત સ્વરૂપ બની, અંતે વિષ્ણુસાયુંજ્ય પ્રદાન કરે છે.
વાર-તહેવાર
वारोत्सवव्रतानां च संस्कृतेः पालनं शुभम् । मासपक्षतिथिभेदैर्धर्ममार्गः प्रवर्तते ॥
देवपूजा गुरुस्मृतिः पितृतर्पणमेव च । स्नेहदानोपवासाश्च लोकशुद्धिप्रदाः सदा ॥
रामकृष्णशिवादीनां जन्मलीलोत्सवैः सह । भक्तिर्वर्धेत संस्कारो धर्मो राष्ट्रं च पुष्यति ॥
उत्सवैः संयुतं जीवनं सौहार्दानन्दकारकम् । भारतीयस्य संस्कृतेः संरक्षणं परमं फलम् ॥
વાર, તહેવાર અને વ્રતો ભારતીય સંસ્કૃતિ અને ધર્મના પાલનનું શુભ સાધન છે. માસ, પક્ષ અને તિથિ અનુસાર વિવિધ ઉત્સવો ધર્મમાર્ગને જીવંત રાખે છે. દેવપૂજા, ગુરુસ્મરણ, પિતૃતર્પણ, ઉપવાસ અને સ્નેહદાન મન અને સમાજની શુદ્ધિ કરે છે. રામ, કૃષ્ણ, શિવ વગેરેના ઉત્સવો ભક્તિ અને સંસ્કારને વધારતા સમાજ અને રાષ્ટ્રને પોષણ આપે છે. આવા ઉત્સવો જીવનમાં આનંદ, સૌહાર્દ અને સંસ્કૃતિનું રક્ષણ કરે છે.
“આહાર એ જ ઔષધ” એ ભારતીય દૃષ્ટિનું કેન્દ્ર.
आरोग्यं मूलमाहारो नित्यं पथ्यं हितं स्मृतम् । आयुर्वेदप्रदीपेन जीवने स्यादरो गता ॥
આહાર જ આરોગ્યનું મૂળ છે; હિતકારક અને પથ્ય ખોરાકનું નિત્ય સેવન કરવું જોઈએ. આયુર્વેદરૂપ દીપકના પ્રકાશથી જીવનમાં નિરોગિતા પ્રાપ્ત થાય છે.
મુદ્રાઓ
मुद्राभिः प्राणसन्तुल्यं मनःशान्तिर्विवर्धते । देहे चैतन्यसम्पत्तिः संस्कारोऽपि प्रवर्धते ॥
पञ्चतत्त्वसमायोगान्मुद्राः सिद्धिप्रदाः शुभाः । आरोग्यं ध्यानसौख्यं च ददति योगसेविनाम् ॥
મુદ્રાઓ દ્વારા પ્રાણશક્તિનું સંતુલન થાય છે અને મનની શાંતિમાં વધારો થાય છે. શરીરમાં ચૈતન્ય, સ્ફૂર્તિ અને સારા સંસ્કારોની વૃદ્ધિ થાય છે. પંચમહાભૂતોના સંયોગથી રચાયેલ મુદ્રાઓ શુભ અને સિદ્ધિદાયી માનવામાં આવે છે. યોગાભ્યાસ કરનાર લોકોને તે આરોગ્ય, ધ્યાનમાં સુખ અને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે.
સ્વપ્ન સંકેત
स्वप्ने शुभाशुभं ज्ञेयं शास्त्रैः सूक्ष्मं निरूपितम् । देवदर्शनसंपत्तिः सौभाग्यस्य प्रबोधिका ॥
शङ्खपद्मध्वजादीनि राज्यलक्ष्मीप्रदायकम् । प्रातः स्नात्वा द्विजे प्रोक्तं स्वप्नफलं शुभावहम् ॥
સ્વપ્નોમાં શુભ અને અશુભ સંકેતો રહેલા હોય છે, જેને શાસ્ત્રોએ સૂક્ષ્મ રીતે સમજાવ્યા છે. દેવતા, શંખ, કમળ, ધ્વજ વગેરેના દર્શન રાજ્ય, લક્ષ્મી અને ઐશ્વર્યના સૂચક ગણાય છે. આવા શુભ સ્વપ્નો પછી પ્રાતઃસ્નાન કરી બ્રાહ્મણ અથવા જ્ઞાનીને કહેવામાં આવે તો તે શુભ ફળદાયક બને છે.
અંતિમ સંસ્કાર
अन्त्येष्टिक्रियाधर्मः पितृयात्राप्रबोधकः । गीतास्मृत्युपदेशैश्च शोकमोहविनाशकः ॥
सूतिकाचारसंयुक्तो दाहपिण्डक्रियात्मकः । मृत्योः पारं नयेज्जीवं सद्गतिं धर्मसंयुताम् ॥
અંત્યેષ્ટિ અને ઉત્તરક્રિયાનો ધર્મ જીવાત્માને પિતૃગતિ તરફ પ્રબોધિત કરનાર છે. ગીતા, સ્મૃતિ અને ભગવાનના ઉપદેશો શોક અને મોહનો નાશ કરે છે. સૂતકાચાર, અગ્નિસંસ્કાર, પિંડદાન વગેરે વિધિઓથી યુક્ત આ સંસ્કાર જીવને મૃત્યુ પાર સદગતિ તરફ લઈ જાય છે.
મૃત્યુ પછી પણ પુણ્ય
दानेन धर्मग्रन्थानां सेवया रोगपीडिते । अन्नजलप्रदानेन पुण्यं मृत्योऽपि वर्धते ॥
वृक्षारोपणविद्यादैः परोपकारतत्परः । यः जीवने सदा दद्यात् तस्य लोकद्वयं शुभम् ॥
ધાર્મિક ગ્રંથદાન, રોગીઓની સેવા, અન્ન અને જળદાનથી મૃત્યુ પછી પણ પુણ્ય વધતું રહે છે. જે મનુષ્ય વૃક્ષારોપણ, વિદ્યાદાન અને પરોપકારમાં તત્પર રહી જીવનભર આપતો રહે છે, તેનું આ લોક અને પરલોક બંને શુભ બને છે.
વડીલો ની શિખામણો
वृद्धवाक्यामृतं पुण्यं जीवनस्य हितावहम् । धर्मदानजपाचारैः शुद्धिर्भवति मानवः ॥
सन्ध्याव्रतपुराणाद्यैः सत्सङ्गगुरुसेवनैः । वृद्धोपदेशपालनात् सौख्यं धर्मश्च वर्धते ॥
વડીલોના વચનો અમૃત સમાન અને જીવનહિતકારક હોય છે. ધર્મ, દાન, જપ અને સદાચારથી મનુષ્યનું જીવન પવિત્ર બને છે. સંધ્યા, વ્રત, પુરાણવાંચન, સત્સંગ અને ગુરુસેવા સાથે વડીલોની શિખામણનું પાલન કરવાથી સુખ અને ધર્મ બંનેમાં વૃદ્ધિ થાય છે.
વ્યવહારિક નિયમો
काले देशे च पात्रे च नियमाचारपालनम् । शौचसंयमयुक्तेन जीवनं भवति शुभम् ॥
वारतिथ्यादिनिर्णीतैर्मुहूर्तैः कर्मसाधनम् । धर्मो लोकहितार्थाय शास्त्रमर्गेण रक्ष्यते ॥
इन्द्रियनिग्रहाचारः श्रद्धाभक्तिसमन्वितः । मर्यादायां स्थितो लोको दुःखदोषैः प्रमुच्यते ॥
સમય, સ્થળ, પાત્ર અને પ્રસંગ અનુસાર નિયમો તથા આચારનું પાલન કરવાથી જીવન શુભ અને સુવ્યવસ્થિત બને છે. વાર, તિથિ, મુહૂર્ત વગેરેના વિચારથી કરેલ કાર્ય સિદ્ધિદાયક બને છે અને શાસ્ત્રોક્ત માર્ગ લોકકલ્યાણ માટે ધર્મનું રક્ષણ કરે છે. સંયમ, શૌચ, ભક્તિ અને મર્યાદાથી યુક્ત મનુષ્ય દુઃખ અને દોષોથી મુક્ત થઈ શ્રેષ્ઠ જીવન જીવે છે.
પાપ ધોવાના સાધનો
पापौघध्वंसनार्थाय भक्तिर्ज्ञानं तपो जपः । नामस्मरणसंध्याद्यैः शुद्ध्यते मानवो ध्रुवम् ॥
रामकृष्णहरेर्नाम द्वादशज्योतिर्लिङ्गकम् । एकादशीव्रतं पुण्यं दहत्यघमिवानलः ॥
पश्चात्तापाग्निना दग्धं दुष्कृतं नश्यति क्षणात् । ब्रह्मज्ञानप्रभाभासा कर्मबन्धो विनश्यति ॥
પાપોના નાશ માટે ભક્તિ, જ્ઞાન, તપ, જપ અને ભગવાનના નામસ્મરણ મુખ્ય સાધનો છે. સંધ્યા, વ્રત અને પવિત્ર ઉપાસનાથી મનુષ્ય નિશ્ચિત રીતે શુદ્ધ બને છે. શ્રીરામ, શ્રીકૃષ્ણ, હરિના નામો, દ્વાદશ જ્યોતિર્લિંગનું સ્મરણ અને એકાદશી વ્રત અગ્નિ જેમ પાપોને ભસ્મ કરી નાખે છે. પશ્ચાતાપરૂપ અગ્નિ દુષ્કૃત્યોને દહન કરે છે અને “હું બ્રહ્મ છું” એવા જ્ઞાનના પ્રકાશથી કર્મબંધનોનો નાશ થાય છે.
પંચધા
पञ्चतत्त्वसमायुक्तं भारतीयं परं स्मृतम् । वेदोपनिषदां सारं जीवनस्य समं शुभम् ॥
पञ्चरूपेण सर्वत्र ब्रह्माण्डं परिदृश्यते । धर्मार्थमोक्षमार्गेषु पूर्णतां सन्दधाति तत् ॥
પાંચ તત્ત્વોથી યુક્ત આ ભારતીય પરંપરા પરમ સ્મૃતિરૂપ છે. વેદ અને ઉપનિષદનો સાર જીવનને શુભ અને સમતોલ બનાવે છે. બ્રહ્માંડ સર્વત્ર પંચરૂપમાં પ્રગટ થાય છે, અને તે ધર્મ, અર્થ અને મોક્ષના માર્ગોમાં પૂર્ણતા પ્રદાન કરે છે.
संस्कृत भाषा
गीर्वाणवाणी सुभगा वेदमाता सनातनी । ज्ञानभक्तिप्रदा नित्यं संस्काराणां सरस्वती ॥
यस्यां शास्त्राणि सर्वाणि यस्यां धर्मः प्रतिष्ठितः । सा संस्कृतभाषा लोके भूयाद् भूत्यै निरन्तरम् ॥
દેવવાણી, વેદોની માતા અને સનાતન એવી સંસ્કૃત ભાષા જ્ઞાન, ભક્તિ અને સંસ્કારોની સરસ્વતી છે. જેમાં સર્વ શાસ્ત્રો અને ધર્મનું નિવાસ છે, એવી સંસ્કૃત ભાષા વિશ્વના કલ્યાણ માટે સદાય ફૂલતી-ફાલતી રહે.
संस्कृत साहित्य
न चौरहार्यं न च राजहार्यं न भ्रातृभाज्यं न च भारकारि । व्यये कृते वर्धत एव नित्यं विद्याधनं सर्वधनप्रधानम् ॥
વિદ્યારૂપી ધનને ચોર ચોરી શકતો નથી, રાજા છીનવી શકતો નથી, ભાઈઓમાં વહેંચવું પડતું નથી અને તે ભારરૂપ પણ નથી. તેનો જેટલો ઉપયોગ કરીએ તેટલું તે વધે છે. તેથી વિદ્યાનું ધન સર્વ ધનોમાં શ્રેષ્ઠ છે.
॥ अलबेलाशतकसारः ॥
ब्रह्मैकं जगदेतन्मायाविलसितं चिरम् । विवेकभक्तिसंयुक्तो धर्मेणात्मानमुद्धरेत् ॥
वेदशास्त्रपुराणेषु संस्कारेषु हितेषु च । लोकसेवापरो नित्यं मोक्षमर्गं समश्नुते ॥
એકમાત્ર બ્રહ્મ જ પરમ સત્ય છે; આ સમગ્ર જગત માયાની લીલા રૂપે પ્રગટ થયેલું છે. મનુષ્યે વિવેક, ભક્તિ અને ધર્મના આધારથી પોતાના આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. વેદ, શાસ્ત્ર, પુરાણ, સદ્ સંસ્કારો અને લોકહિતકારક આચરણમાં સ્થિર રહી, પરોપકાર અને સેવા કરતા જીવ અંતે મોક્ષમાર્ગને પ્રાપ્ત કરે છે।


