શયનખંડ (બેડરૂમ) નું વાસ્તુ સુવાનો ખંડ નૈઋત્ય ખૂણે રાખવો અને શક્ય ન હોય તો દક્ષિણની દિશાને પલંગ અડાડેલો રાખવો. અગ્નિકોણમાં કદીયે સૂવું નહિ. સૂતી વખતે માથું દક્ષિણ દિશામાં જ રાખવું અથવા પૂર્વ દિશામાં પણ ચાલે. પગ હંમેશા ઉત્તર અથવા પૂર્વ તરફ રહે સૂતી વખતે. બીમ ની નીચે ન સૂવું. સૂતી વખતે અરીસામાં આપણું પ્રતિબિંબ પડે એવું ન રાખવું અને જો અરીસો ન હટાવી શકાય તો સૂતી વખતે તેના ઉપર પડદો ઢાંકી દેવો નહીતો બીમારી આવે. રંગ શયન ખંડ માં પીળો રંગ ન વાપરવો અન્યથા પ્રેમ નથી રહેતો. બને એટલો લાલ રંગ વાપરો. બેડ / પલંગ દરવાજાની સામે પલંગ ન રાખવો. પલંગ પર માળિયું ન રાખવું. બેડકદીયે કાળો ન રાખવો. બેડ લોખંડ કે પ્લાસ્ટિક નો ન રાખવો. બેડ લાકડાનો રાખવો. સુવાની પથારી ચાદરમાં જંગલી જાનવરો (જેવાકે સિંહ, હાથી ઇત્યાદિ) ના ચિત્રો નહી રાખવા. Share this Now!શેરPrintTweetટેલિગ્રામવોટ્સેપEmailPocketLike this:Like Loading...