મૃત્યુ પછી પણ પુણ્ય કમાવાના સાધનો

[अलबेला शतक (अलबेला पंडित विरचित)]

ધાર્મિક ગ્રંથદાન, રોગીઓની સેવા, અન્ન અને જળદાનથી મૃત્યુ પછી પણ પુણ્ય વધતું રહે છે. જે મનુષ્ય વૃક્ષારોપણ, વિદ્યાદાન અને પરોપકારમાં તત્પર રહી જીવનભર આપતો રહે છે, તેનું આ લોક અને પરલોક બંને શુભ બને છે.

શું સંસારમાં આપણે લેવા માટે જ આવ્યા છીએ? આપતા ક્યારે શીખીશું?


  1. કોઈને ધાર્મિક ગ્રંથ ભેટ આપો, જયારે પણ કોઈ એનો પાઠ કરશે, તમને પુણ્ય મળશે
  2. હોસ્પિટલમાં એક વીલચેર દાન આપો, જે દર્દી એને વાપરશે પુણ્ય તમને મળશે
  3. કોઈ અન્નક્ષેત્ર માટે માસિક વ્યાજ વાળી ફિક્સ ડિપોઝીટ બનાવી દો, એના વ્યાજ થી જે કોઈ ભોજન કરશે, તમને પુણ્ય મળશે
  4. કોઈ પબ્લીક પ્લેસમાં વોટર કૂલર લગાવી દો, હંમેશા પુણ્ય મળશે
  5. કોઈ અનાથને સુશિક્ષિત કરો, એના વંશજો તમને આશીર્વાદ આપશે.
  6. પોતાના બાળકને પરપકારી બનાવો, સદા પુણ્ય મળતું રહેશે.
  7. બને તેટલા વૃક્ષો વાવો, તેનાથી કોઈને મળતો પ્રાણવાયુ, ફળો, છાંયડો તમને પુણ્ય અપાવશે.
  8. સહુથી સહેલું, આ બાબત વિષે લોકોને જાણ કરો, કોઈ પણ અમલમાં મૂક્યું તો તમને પુણ્ય મળશે.

આપનારને કુદરત વધુ આપે છે. આવો આજ થી જ રોજ કઈ ને કઈ આપવાનું ચાલુ કરી દઈએ, અને મૃત્યુ પછીનું જીવન તથા પરલોક સુધારીએ.


I am there for my countrymen