दानेन धर्मग्रन्थानां सेवया रोगपीडिते । अन्नजलप्रदानेन पुण्यं मृत्योऽपि वर्धते ॥
वृक्षारोपणविद्यादैः परोपकारतत्परः । यः जीवने सदा दद्यात् तस्य लोकद्वयं शुभम् ॥
[अलबेला शतक (अलबेला पंडित विरचित)]
ધાર્મિક ગ્રંથદાન, રોગીઓની સેવા, અન્ન અને જળદાનથી મૃત્યુ પછી પણ પુણ્ય વધતું રહે છે. જે મનુષ્ય વૃક્ષારોપણ, વિદ્યાદાન અને પરોપકારમાં તત્પર રહી જીવનભર આપતો રહે છે, તેનું આ લોક અને પરલોક બંને શુભ બને છે.
શું સંસારમાં આપણે લેવા માટે જ આવ્યા છીએ? આપતા ક્યારે શીખીશું?
- કોઈને ધાર્મિક ગ્રંથ ભેટ આપો, જયારે પણ કોઈ એનો પાઠ કરશે, તમને પુણ્ય મળશે
- હોસ્પિટલમાં એક વીલચેર દાન આપો, જે દર્દી એને વાપરશે પુણ્ય તમને મળશે
- કોઈ અન્નક્ષેત્ર માટે માસિક વ્યાજ વાળી ફિક્સ ડિપોઝીટ બનાવી દો, એના વ્યાજ થી જે કોઈ ભોજન કરશે, તમને પુણ્ય મળશે
- કોઈ પબ્લીક પ્લેસમાં વોટર કૂલર લગાવી દો, હંમેશા પુણ્ય મળશે
- કોઈ અનાથને સુશિક્ષિત કરો, એના વંશજો તમને આશીર્વાદ આપશે.
- પોતાના બાળકને પરપકારી બનાવો, સદા પુણ્ય મળતું રહેશે.
- બને તેટલા વૃક્ષો વાવો, તેનાથી કોઈને મળતો પ્રાણવાયુ, ફળો, છાંયડો તમને પુણ્ય અપાવશે.
- સહુથી સહેલું, આ બાબત વિષે લોકોને જાણ કરો, કોઈ પણ અમલમાં મૂક્યું તો તમને પુણ્ય મળશે.
આપનારને કુદરત વધુ આપે છે. આવો આજ થી જ રોજ કઈ ને કઈ આપવાનું ચાલુ કરી દઈએ, અને મૃત્યુ પછીનું જીવન તથા પરલોક સુધારીએ.

