ખોટી માન્યતાઓ

[अलबेला शतक (अलबेला पंडित विरचित)]

અર્ધજ્ઞાનથી ઉત્પન્ન થયેલી ખોટી માન્યતાઓથી લોકો મોહિત બની જાય છે. શાસ્ત્રમાર્ગનો ત્યાગ કરીને મનુષ્ય દુઃખ અને કલેશને પ્રાપ્ત કરે છે. એથી શાસ્ત્ર, યુક્તિ અને વિવેક દ્વારા સત્યતત્વનો વિચાર કરવો જોઈએ. ખોટી માન્યતાઓના જાળાને ત્યજી ધર્મમાર્ગમાં સ્થિર રહેવું જોઈએ.

આપણા ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનમાં અમુક ખોટી માન્યતાઓએ ઘર કરી લીધું છે. એને માટે આપણે પોતે જ જવાબદાર છીએ. 



ખોટી માન્યતા / ગેરસમજ

“વેદમાતા ગાયત્રી” એટલે “વેદોની માતા ગાયત્રી” 

વેદો અપૌરુષેય અને શાશ્વત હોવાથી કોઈએ ઉત્પન્ન નથી કર્યા કિન્તુ માત્ર પ્રકટ અને અપ્રકટ થાય છે. વેદમાતા, એ વેદોની માતા (વેદોને જન્મ આપનાર) એવો અર્થ નથી. જેમ ગૌમાતા અને ગંગામાતા છે એવી જ રીતે વેદમાતા છે. ગંગા માતા એટલે ગંગાની માતા એવો અર્થ થાય? (ન જ થાય). વેદ રૂપી ગાય જ્ઞાન રૂપી દુગ્ધનું દોહન આપે છે એટલે  માતા તરીકે ઉપમા આપી છે.

આદિ શંકરાચાર્ય માયાવાદી હતા.

ધન, પરિવાર અને જુવાનીને ગર્વ તું કર મા; એ બધાંને એ તો આંખના પલકારા જેટલા સમયમાં કાળ હરી લેશે. આ બધું માયામય છેાડી, બ્રહ્મપદ જાણી તેમાં તું લીન થા. [11] #shrimadshankaracharya virachit. #mohamudgar DEFINITELY #iskcon IS DELUDED. THEY BELIEVE #aadishankaracharya WAS MAYAWADI. BUT HERE IS A PROOF THAT HE WASN’T. ઇસ્કોન (ISKCON) ભ્રમિત છે. તેઓ માને છે કે આદિ શંકરાચાર્ય માયાવાદી હતા. આદિ શંકરાચાર્ય દ્વારા કહ્યા મુજબ ઉપરોક્ત શ્લોક (મોહ મુદગર) સાબિત કરે છે કે તેઓ માયાવાદી નહોતા.


ભલે સીતા-હરણ કર્યું પણ રાવણ એટલો સારો હતો કે એમને સ્પર્શ નહોતો કર્યો.

રાવણ તેના પુણ્ય પ્રભાવથી તે નલકુબેરના શ્રાપથી ડરતો ન હતો. પણ જ્યારે બ્રહ્માએ એ જ શ્રાપ આપ્યો (કે કોઈ પણ સ્ત્રી સાથે તે બળાત્કાર કરશે તો તેના મસ્તકના 100 ટુકડા થઇ જશે) ત્યારે તે ડરી ગયો, કારણકે બ્રહ્મ વાક્ય મિથ્યા થતું નથી. જો રાવણને બ્રહ્માજીનો શ્રાપ ન મળ્યો હોત, તો તેણે સીતાજીને શુદ્ધ ન રાખ્યા હોત અને તેણે અપ્સરા પછી પુંજિકસ્થલા, રંભા જેવી અપ્સરા તથા અન્ય અનેક રાક્ષસીઓ સાથે બળાત્કારી સંભોગ કર્યું હોત. એવું લાગે છે કે તમે શિવજી દ્વારા લખાયેલ અધ્યાત્મરામાયણ વાંચ્યું નથી, તો જ તમે રાવણની ભલાઈ જોઈ શકશો જે વાસ્તવમાં તેની ઘાતક મજબૂરી હતી. શાસ્ત્રોનું અધૂરું જ્ઞાન ધરાવતા તમારા જેવા લોકોના કારણે એવી સ્થિતિ સર્જાઈ છે કે સુર્પણખા જેવી નાક કટી છોકરીઓ મૂર્ખની જેમ સોશિયલ સાઈટ પર પોસ્ટ કરે છે એ જાણ્યા વિના કે તેમને રાવણ જેવો ભાઈ જોઈએ છે કે જેને સીતાને સ્પર્શ કર્યો નહોતો. આ રહ્યું તેનું પ્રમાણ. વાંચો અને વંચાવો.


જનોઈ સંસ્કાર કન્યા ને કરી શકાય

ખોટી માન્યતાને ખંડિત કરતુ તર્ક અને ટીકા

  • એક જ શબ્દ પર્યાપ્ત છે.  “अयोग्यम्”
  • સનાતન હિન્દૂ ધર્મ ઉપર પહેલેથી બહારના (દુશ્મનોના) અને અંદરથી (મૂર્ખ લોકો દ્વારા) પ્રહારો થતા જ રહયા છે. અને આવી ઉટપટાંગ શાસ્ત્ર વિરોધી (સ્વાર્થી) વૃત્તિઓ આપણી યુગો પુરાણી સુંદર સંસ્કૃતિને ખૂબ  જ નુકસાન પહોંચાડે છે. ઊંધા માથે પણ ચાલી શકાય પણ લોકો એવું ચાલતા નથી.  જ્યાં છોડ વાવવાની જરૂર છે ત્યાં વાવતા નથી અને બરફમાં ખેતી કરવા જાય છે. આખા જગતના બટુકને પહેલા જનોઈ આપો ! કોણે રોક્યા છે?
  • ચુસ્ત ખ્રિસ્તી ધર્મ બીજા લગ્નની પરવાનગી નથી આપતો. પણ એમાંથી બીજા સંપ્રદાયો નીકળ્યા અને ધર્મ પાલન કરવા અસમર્થ પોતાના સ્વાર્થ હેતુ તેમાં પરિવર્તન લાવી તેને ભ્રષ્ટ કરે છે. હવે સહુથી વધુ બીજા લગ્નો એ ધર્મ માં થાય છે.
  • જે વસ્તુ જેને માટે હોય તેને જ માટે હોય. જમણી આંખ ડાબી આંખ ની જગ્યા ન લઇ શકે. ડાબી જમણી ની નહિ. તેમ સ્ત્રી અને પુરુષ માટે પણ સીમાઓ નિશ્ચિત છે. પુરુષો સીમંતો સંસ્કાર ન કરાવે. તેમ સ્ત્રીઓ / કન્યાઓ યજ્ઞોપવિત સંસ્કાર માટે નથી. સ્ત્રીઓ એ પલાથીૅ વાળી ને ન બેસવું પણ બન્ને પગ જમણી તરફ વાળી ને બેસવું એવો નિયમ છે. સાષ્ટાંગ પ્રણામ પણ સ્ત્રીઓ માટે નથી.
  • એવું નથી કે તેઓ યોગ્ય નથી. પરંતુ તેમની યોગ્યતા અનેક ઘણી વધુ છે. કન્યા સાક્ષાત ગાયત્રી સ્વરૂપ છે. જેમની ઉપાસના વેદ માતા તરીકે કરવાની હોય તેમને વેદ માતા ની ઉપાસના કરવા માટે કહેવા આપણે કોણ?
  • પૂજનમાં કઈ દેવી ને આપણે જનોઈ આપીએ છીએ? દેવી ને સૌભાગ્ય દ્રવ્ય અપાય.
  • સમાજ વ્યવસ્થા જળવાઈ  રહે તે  માટે નિયમ ઘડેલ  છે. સ્ત્રી ત્રિકાળ સંધ્યા ઇત્યાદિ કાર્ય કરે તો ઘર ના કર્યો કરવાની ફરજ કોણ બજાવે? માત્ર સૂત્ર ધારણ કરીયે થી સંસ્કાર થયા એવું નથી સંસ્કાર થયા બાદ ત્રિકાળ સંધ્યા ફરજ્યાત છે જો સ્ત્રી અમાં પડે તો ઘર સંસાર અટવાઈ જાય
  • લગ્ન પહેલા ત્રણ સૂત્રોની જનોઈ અને લગ્ન પશ્ચાત પત્ની માટે ત્રણ બીજા સૂત્રો (એમ છ સૂત્રો) ની જનોઈ પહેરવાની હોય છે. હવે પત્ની માટેના ત્રણ સૂત્રો પત્ની પોતે કેવી રીતે ધારણ કરે?
  • યજ્ઞોપવિત સાથે શિખાનું એટલું જોડાણ છે. સ્ત્રીઓને શિખા હોતી નથી. સંધ્યા તેમજ કોઈ પણ પૂજન કે યજ્ઞ માં સીવેલા વસ્ત્રો નો નિષેધ છે.
  • તેમને બ્રહ્મચર્ય નો પાઠ કેમ પઢાવવો છે? એક બાજુ બ્રહ્મચર્ય અને સાથે સાથે રજસ્વ માસિક ધર્મનું જ્ઞાન આપનાર આપણે કોણ? બિચારી કન્યા ને દ્વિધા થાય. આપડાં ને એમને દ્વિધામાં મૂકવાનો દોષ લાગે.
  • સ્ત્રી પેલે થી બ્રહ્મચર્યમાં સક્ષમ છે. એમને તો બ્રહ્માજીનો પરિવાર આગળ ચાલે માટે પ્રજોત્પત્તિ માટે તેમની સ્તુતિ અને તેમને પૂજવા જોઈએ. વિનંતી થાય.
  • સ્ત્રીઓની બુદ્ધિ સ્વચ્છ શુદ્ધ હોય, તેમને જનોઈ આપી અર્થાત્ ચળકાટ વાળી સપાટીને ચળકાટ આપવાનો વ્યર્થ પ્રયત્ન.
  • ફક્ત ઋષિ પત્ની જ વૈદીક મંત્ર નો ઉચ્ચાર કરતા હતા બધા नही. માત્ર પતિ ની સાથે યજ્ઞમાં બેઠી હોઈ ત્યારે દરેક મંત્રો સાંભળી શક્તિ હતી માટે એ વેદ મંત્રો થી પરિચિત હતી. અને એ સમયે એ બધું નિત્ય થતું હતું માટે અભ્યાસ થઈ જવો સ્વાભાવિક છે.
  • મનુસ્મૃતિ યાગ્ય વલ્ક્યસ્મૃતિ વગેરે કોઈ પણ સ્મૃતિ જુઓ
    કોઈ પણ સ્મૃતિ આ અજ્ઞા નથી આપતી. ગીતાજી કહે છે કે કાર્ય અકાર્ય નો નિર્ણય શાસ્ત્ર છે.
    • કર્મ એટલે પોતાનો ધર્મ. ઉ.દા. દ્વિજ ત્રિકાળ સંધ્યા કરે.
    • અકર્મ એટલે જે કરવાનું હોય તે ન કરે. ઉ.દા. દ્વિજ ત્રિકાળ સંધ્યા ન કરે.
    • વિકર્મ એટલે શાસ્ત્ર વિરુદ્ધ કર્મ. ઉ.દા. સ્ત્રીઓ જનોઈ ધારણ કરી ત્રિકાળ સંધ્યા કરે. 

શાસ્ત્રો ને ન નકારો.  હિંમત હોય તો એમ કહો કે અમારે શાસ્ત્ર વિરુધ્દ જવું છે. શાસ્ત્ર ખોટા છે એવું ના કહો. પછી તમને કોઈ રોકશે કે ટોકશે નહિ. જે કરવું હોય કરો. ઊંધે માથે ચાલો. 

Albela Karma Kandi Group


વાઘ બારસ – માતાજીના વાઘને લગતું છે. 

ખોટી માન્યતાને ખંડિત કરતુ પ્રમાણ 

વાઘને અને આ દિવસને કશું જ લાગતું વળગતું નથી.

આ દિવસે સરસ્વતીમાતાને વંદન થાય.

વાક + દેવી = વાગ્દેવી (સરસ્વતી)
વાક + બારસ = વાગબારસ (નહિ કે વાઘ બારસ)

અર્થાત વાગબારસ ને વાગબારસ જ કહો.
એને વાક-બારસ કહેવાની આવશ્યકતા નથી.
માત્ર અર્થ “વાગ” નો “વાઘ” નથી કરવાનો

ઉચ્ચારણ બદલવાની આવશ્યકતા નથી.
માત્ર અર્થ નો અનર્થ ન કરવો.

જો કોઈ કેલેન્ડર કે પંચાંગ માં “વાઘ બારસ” લખ્યું હોય તો તે ખોટું છે.
“વાગબારસ” હોવું જોઈએ.

જોઈ લો ઓનલાઇન સંસ્કૃત ડીક્ષનેરીમાં “વાગ્દેવી”

http://spokensanskrit.org/index.php?mode=3&script=hk&tran_input=vagh&direct=au


કૃષ્ણ મહાન નહોતા, અવતારી પુરુષ નહોતા, પરમાત્મા કે ભગવાન નહોતા, એક રાજકારણી હતા, મનુષ્ય હતા.

ખોટી માન્યતાને ખંડિત કરતુ પ્રમાણ 

દુ:ખની વાત છે કે અમુક ભણેલ ગણેલ છતાં મૂઢ બુદ્ધિ લોકો એવું માને છે. અમુક પોતાને શિવભક્તો કહેડાવનાર પણ આવી ભૂલ કરી બેસે છે. ભગવાન શ્રીકૃષ્ણ સાક્ષાત પરમાત્મા અને અવતારી પુરુષ હતા. તેઓ મહાન હતા. આ રહયા અનંતમાંથી ભેગા કરેલ સંક્ષિપ્તમાં અમુક પ્રમાણોં.

પ્રભુ શ્રીરામનું પ્રમાણ

દશાવતાર માં ભગવાન વિષ્ણુનો જ અવતાર શ્રીરામ અને શ્રીકૃષ્ણ હતા. કૃષ્ણ અને રામમાં ભેદ નથી. તો જો રામ મહાન હતા તો કૃષ્ણ કઈ રીતે ખરાબ હોઈ શકે? અને અવતારોમાં પણ જો ભેદ જુઓ છો.

ગોપીઓનું પ્રમાણ

તો શું ગોપીઓ ખોટી અને ખરાબ હતી કે જે કૃષ્ણની અનન્ય ભક્ત હતી?

રાધાજી નું પ્રમાણ – પાપ મોચક 11 નામો (રાધા યશોદાજીને કહે છે).

राम नारायणाSनन्त मुकुन्द मधुसूदन | कृष्ण केशव कन्सारे हरे वैकुण्ठ वामन ||

इत्येकादश नामानि पठेद् वा पाठयेदिति | जन्मकोटिसहस्त्राणां पातकादेव मुच्यते ||

રામ, નારાયણ, અનંત, મુકુંદ, મધુસુદન, કૃષ્ણ, કેશવ, કંસારે, હરે, વૈકુંઠ, વામન આ અગ્યાર નામોનું જે પાઠ કે પઠન કરે છે તે સહસ્ત્ર કોટી (એક હજાર કરોડ) જન્મોના પાપોથી મુક્ત થઇ જાય છે.

[ब्रह्मवैवर्तपुराण – 111.19-20]

મહાભારત યુદ્ધના પરિણામનું નું પ્રમાણ

|| सत्मेव जयते || જો શ્રીકૃષ્ણ અસત્ય અને અધર્મના પક્ષમાં હોત, તો પાંડવોની હાર અને કૌરવોની જીત થઇ હોત.

હનુમાનજી નું પ્રમાણ

જો શ્રીકૃષ્ણ તથા અર્જુન એટલા ધિક્કારને પાત્ર હતા, તો પછી એમના રથની ધજા ઉપર સ્વયં હનુમાનજી વિરાજમાન કેમ થયા? ન જ થાય. પરંતુ એવું નથી, તે આવ્યા અને અર્જુનના રથને વિજયરથ બનાવ્યો.

ભગવદગીતા નું પ્રમાણ

શું  ભગવદગીતાના જ્ઞાનનું પ્રમાણ પર્યાપ્ત નથી શ્રીકૃષ્ણની મહાનતા જાણવા માટે?

ભાગવતનું પ્રમાણ

ભાગવત પુરાણ ૧.૩.૨૮ “ઉપર જણાવેલાં બધાજ અવતારો ભગવાનનાં અંશાવતાર છે, અથવાતો અંશાવતારનાં અંશ છે, પરંતુ શ્રી કૃષ્ણ તે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે.”  [https://gu.wikipedia.org/wiki/કૃષ્ણ#જીવનનો_ઉત્તરાર્ધ]

શીવપુરાણ નું પ્રમાણ

કૃષ્ણ જ્યારે શિવભક્ત બાણાસુરને તેની 996 ભુજાઓ કાપી દીધા પશ્ચાત તેને મારી નાખવા ઉદ્ધત થયા ત્યારે શિવે એમને રોક્યા કારણ બાણાસુર એમનો ભક્ત હતો અને એને અભય આપેલ. ત્યારે શિવ સ્વયં કહે છે – હે કૃષ્ણ ! તમે “સાક્ષાત પરમાત્મા” અને સંપૂર્ણ પ્રાણીઓના હિતમાં રત રહેનાર છો.

[शिवपुराण रुद्रसंहिता – पञ्चम (युध्दः) खण्ड अध्याय 55-56]


ભગવાન શ્રી રામ ક્ષત્રિય હતા એટલે માંસાહારી હતા.

સ્વયં મહર્ષિ વાલ્મિકીએ તેમની રામાયણમાં ઉલ્લેખ કર્યો છે – કે તેઓ શાકાહારી હતા. અશોકવાટિકામાં સીતાજી જ્યારે હનુમાનજીને પ્રભુ શ્રીરામના કુશળ પૂછે છે ત્યારે હનુમાનજી ઉત્તર આપે છે.

न मान्सं राघवो भुङ्ग्ते न चैव मधु सेवते | वन्यं सुविहितं नित्यं भक्तमश्नाति पञ्चमम् || [वाल्मीकि रामायण, सुन्दरकाण्ड, ३६.४१] 

कोई भी रघुवंशी न तो मांस खाता है और न मधुका ही सेवन करता है; फिर भगवान् श्रीराम इन वस्तुओ का सेवन क्यों करते? वे सदा चार समय उपवास करके पांचवे समय शास्त्रविहित जंगली फल-मूल और नीवार आदि भोजन करते हैं|


રાવણ જેવું શક્તિશાળી અને સામર્થ્યવાન કોઈ નહોતું.

ખોટી માન્યતાને ખંડિત કરતુ પ્રમાણ 

1. સીતા સ્વયંવરમાં જ તે ધનુષ નહોતો ઉપાડી શક્યો.

2. કૈલાસ પર્વત ઉપાડવા ગયો ત્યાં મહાદેવના અંગુઠાના વજન હેઠળ કૈલાસને હલાવી પણ નહોતો શક્યો.

3. વાલીએ રાવણને બગલમાં દબાવી અનેક નદીઓ માં ડૂબકી લગાવી આવી ને પછી છોડેલો.

4. બાણાસુરે દોડીને રાવણને એક જંતુની જેમ પકડી લીધેલો, પછી પુલસ્ત્ય ઋષિએ છોડાવેલો.

5. રાજા બલી ને જીતવા પાતાળમાં જયારે રાવણ ગયો ત્યારે તેના બાળકોએ રાવણને ઘોડા સાથે બાંધી દીધેલો.

6. રંભા અને પુંજિકસ્થલા ઉપર બળાત્કાર ગુજાર્યા પછી કુપિત બ્રહ્માજીએ શ્રાપ આપેલ એટલે કોઈ સ્ત્રીને જબરદસ્તી સ્પર્શ કરતા ડરતો હતો. એટલે જ સીતાજી સાથે પણ ડરનો માર્યો મર્યાદામાં રહેતો.

7. એની જ સભામાં વાલીપુત્ર અંગદે જમાવેલ પગને ઉચકવા અસમર્થ હતો.

8. સર્વજ્ઞ અને સર્વ સમર્થ રામે તો યુદ્ધમાં એને વિભીષણ ની ભ્રાતા લાગણી ચકાસવા સારું રમાડેલો,છેવટે જયારે વિભીષણ બોલ્યો કે અમૃત કુમ્ભ ને મારો તો એક ક્ષણ પણ ન લગાવી.

9. પોતાની આસુરી બુદ્ધિ વશ એ રામની સરળ ભક્તિ કરવા અસમર્થ હતો એ પોતે જાણતો હતો.

10. હનુમાને પોતે વાલ્મિકી રામાયણમાં સુંદરકાંડમાં રાવણને કહ્યું છે કે તારા જેવા સહસ્ત્ર રાવણ પણ મારા જેવા રામભક્ત સામે ટકી ન શકે. હું એકલો જ તારા સહીત સમસ્ત લંકાનો નાશ કરવા સમર્થ છું પરંતુ મને રામ-આજ્ઞા નથી.


હનુમાનજી ને કદી દંડવત પ્રણામ ન કરવા, નહીતો તેમના ચરણોમાં રહેલ શનિની પનોતી લાગે.

હનુમાનજીને શનિદેવે વચન આપ્યું છે કે – હનુમાનજીના ભક્તોને શનિદેવ કદી હેરાન નહિ કરે. દંડવત પ્રણામ એ નવધા ભક્તિનું એક સ્વરૂપ છે (વંદન). એટલે નિર્ભય બની, શ્રધ્ધાસહિત હનુમાનજીને દંડવત પ્રણામ કરી શકાય છે. એમાં કોઈ દોષ ન લાગે. અને, શનિદેવ સ્વયં કોઈનું બૂરું નથી કરતા, એમની વક્રદ્રષ્ટિ મનુષ્યોના કુકર્મોનું ફળ એક સાથે આપી દે છે. બસ! માટે દેવો પણ નિર્દોષ છે, દોષ આપણા કરેલા કર્મોનો જ છે.


શ્રાદ્ધ પક્ષમાં નિત્ય પૂજા વર્જિત છે. 

નિત્ય પૂજા અને શ્રાદ્ધ પક્ષ વચ્ચે એવો કોઈ સંબંધ નથી જે આવી સમસ્યા ઉભી કરે. આમ તો નિત્ય પૂજામાં પણ પિતૃ તર્પણ આપવાનું રહેતું હોય છે. હા, જો દુર્ભાગ્ય વશ ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તો અલગ વાત છે. માટે પિતૃપક્ષ (શ્રાદ્ધના દિવસો) માં પણ પોતાની નિત્ય પૂજા ચાલુ રાખવી.


ઈશ્વર નથી 

ખોટી માન્યતાને ખંડિત કરતુ પ્રમાણ 

સાબિત કરી આપો કે ઈશ્વર નથી. જુઓ – “ઈશ્વર છે.


ઈશ્વરને મનુષ્યોએ બનાવ્યો છે.

ખોટી માન્યતાને ખંડિત કરતુ પ્રમાણ 

જે જે મનુષ્યો તકલીફ માં છે, એમને જઈ ને પૂછો આવું અભિમાન માત્ર એવા લોકો રાખે છે જેઓની હાલની પરિસ્થિતિ સુખદાયક છે.


પોતાનું નામ રાશિ ઉપરથી ન રાખતા ઘણા લોકો બીજી રાશિ ઉપરથી નામ રાખતા હોય છે જેથી કરીને બીજા દ્વારા કરતા “ટોટકા” જાદુ ટોણા ની અસર ઓછી થાય. જો પોતાની રાશિ ઉપરથી નામ હોય તો અસર વધુ થાય.

ગ્રહો, રાશિ અને ફળ સાથે છેડછાડ ન થાય. જો બીજી રાશિનું નામ રાખે, તો ચન્દ્ર નું ફળ બંને રાશિ માં ભોગવવું પડે જે સારૂ અને ખરાબ બંને હોઈ શકે. એટલે કે કોઈ છટકબારી નથી  આમ નહિ તો તેમ તમારે ભાગ્યમાં સંચિત રહેલ કર્મફળ તો ભોગવવું જ રહ્યું. ખાસ કરીને ત્યારે કે જ્યારે પનોતી આવે. બે રાશિ વાળાએ બે પનોતી ભોગવવી પડે છે જે બહુ કષ્ટદાયક હોય છે.


અભિમંત્રિત એવી નંગ / રત્ન જડિત પહેરેલી વીંટી કાઢી દેવાથી કે થોડા દિવસ ન પહેરી પાછી પહેરવા જાઓ તો એની શક્તિ / પ્રભાવ જતા રહે છે.

૧. શાસ્ત્રીય (Scriptural) દૃષ્ટિ

बृहत्पाराशर होरा शास्त्र, बृहत्संहिता અને रत्नपरीक्षा જેવા ગ્રંથોમાં મુખ્ય ભાર નીચેની બાબતો પર છે:

  • યોગ્ય રત્નની પસંદગી.
  • નિર્દોષ (અખંડ) રત્ન.
  • શુભ મુહૂર્ત.
  • ગ્રહમંત્ર જપ.
  • ધારણવિધિ.

પરંતુ, “દરેક વખતે વીંટી ઉતારીને ફરી પહેરો ત્યારે સંપૂર્ણ અભિમંત્રણ કરવું જ પડે” એવું સ્પષ્ટ વિધાન મળતું નથી.

૨. વૈદિક સંસ્કારના સિદ્ધાંતથી

જનોઈનું ઉદાહરણ – એકવાર ઉપનયન થયા પછી રોજ નવી દીક્ષા લેવાની જરૂર નથી. પ્રાણપ્રતિષ્ઠાનું ઉદાહરણ – દરરોજ નવી પ્રાણપ્રતિષ્ઠા થતી નથી. સંસ્કાર સિદ્ધાંત – હિંદુ ધર્મમાં એક વખત યોગ્ય રીતે થયેલો સંસ્કાર સહેલાઈથી નષ્ટ થઈ જતો નથી. આ વિચારને मनुस्मृति માં પણ વિવિધ સંસ્કારોના સંદર્ભમાં જોઈ શકાય છે. આથી, માત્ર વીંટી ઉતારવાથી અભિમંત્રણ નષ્ટ થઈ જાય, એવું માનવા માટે મજબૂત પરંપરાગત આધાર ઓછો દેખાય છે.

૩. જ્યોતિષીય વ્યવહાર (Practical Jyotisha)

પરિસ્થિતિસામાન્ય મત
થોડા દિવસ ન પહેરવીકોઈ મોટી સમસ્યા નથી
ફરી પહેરવી૧૦૮ જપ કરવો શુભ
જપ ન કરોતો પણ પ્રભાવ સંપૂર્ણ જતો નથી
લાંબા સમય સુધી ન પહેરવીપુનઃ શુદ્ધિ સારી
અશૌચ અથવા સ્મશાનપુનઃશુદ્ધિ યોગ્ય
રત્ન તૂટી જાયફરી વિચારવું જોઈએ
નવી વીંટીમાં જડાવવુંપુનઃવિધિ કરવી સારી

આ ત્રણેય મતો એક અલગ દાર્શનિક દિશા આપે છે. તેમનો સાર:

(અ) રત્નનો સ્વભાવ

રત્નનું

  • બંધારણ,
  • રંગ,
  • સ્ફટિકીય રચના,
  • કુદરતી ઉત્પત્તિ

તેના પોતાના ગુણધર્મો છે. આ વિચાર ભારતીય રત્નશાસ્ત્રમાં પણ મળે છે.

(બ) મંત્રનો પ્રભાવ

મંત્ર સાધક ઉપર કાર્ય કરે છે. અર્થાત્ : રત્ન + મંત્ર + સંકલ્પ. ત્રણેય મળીને કાર્ય કરે. આ વિચાર તંત્ર અને મંત્રશાસ્ત્ર સાથે સુસંગત છે.

(ક) ધારણકર્તા રત્નને બદલે છે?

રત્ન પહેરનારને અસર કરે છે. પહેરનાર રત્નને અસર કરતો નથી. આ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ સુસંગત મત છે.

આ મત જ્યોતિષીય દૃષ્ટિએ મહત્વનો છે. તે જણાવે છે કે

  • લગ્નેશનું રત્ન.
  • દશાનાથનું રત્ન.
  • બાદકેશનું રત્ન.
  • રોગોપચાર માટેનું રત્ન.

પ્રાકૃતિક રત્નનો પોતાનો સ્વભાવ હોય છે. યોગ્ય વિધિ અને મંત્રથી સંકલ્પશક્તિ જોડાય છે. થોડા સમય માટે ઉતારવાથી મૂળ પ્રભાવ નષ્ટ થતો નથી. અશૌચ, સ્મશાન, લાંબા વિરામ, રત્ન તૂટવું વગેરેમાં પુનઃશુદ્ધિ કરવી યોગ્ય છે. દરેક વખત સંપૂર્ણ અભિમંત્રણ કરવું આવશ્યક નથી.

રત્નનું મૂળ બળ તેના સ્વભાવથી છે. મંત્ર અને સંકલ્પ તેને વિશેષ ફળદાયી બનાવે છે. થોડા સમય માટે ઉતારી દેવાથી તેનો પ્રભાવ નષ્ટ થતો નથી. પરંતુ વિશેષ પરિસ્થિતિઓમાં પુનઃ શુદ્ધિ અને જપ કરવો શ્રેયસ્કર છે.

જુદા જુદા આચાર્યોના અભિપ્રાય હોવા છતાં, કોઈપણ મતે “થોડા દિવસ વીંટી ઉતારવાથી તેની શક્તિ સંપૂર્ણપણે જતી રહે છે અને ફરી સંપૂર્ણ સિદ્ધિ અનિવાર્ય છે” એવો કઠોર દાવો કર્યો નથી. ચર્ચાની મુખ્ય સર્વસંમતિ એ તરફ ઝુકે છે કે રત્નનું સ્વાભાવિક પ્રભાવ અને આરંભિક સંસ્કાર ટકી રહે છે, જ્યારે પુનઃજપ અથવા પૂજા શ્રદ્ધા, સંકલ્પ અને ધાર્મિક શુદ્ધિના પરિપ્રેક્ષ્યમાં શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે.

વિશેષ આભાર: શ્રી ભરતકુમાર જોષી, શ્રી ભાર્ગવ ભાઈ પંડ્યા, શ્રી અનિલ ભાઈ ઠાકર, શ્રી ઉપેન્દ્ર ભાઈ, શ્રી પ્રકાશભાઈ રાવલ, શ્રી હેમાંગ ભાઈ ગૌર Albela Karma Kandi Group