વેદ એટલે ધર્મ અને બ્રહ્મનું પ્રતિપાદન કરનાર અપૌરુષેય પ્રમાણરૂપ વાક્ય.
- ધર્મ = વ્યક્તિ અને સમાજને ધારણ કરે
- બ્રહ્મ = પરમતત્વ
- અપૌરુષેય = જે મનુષ્યે ન રચ્યું હોય
અનાદિ કાળથી વિદ્યમાન પુરાણોની વિચારધારા પ્રમાણે સમસ્ત સંતુષ્ટિના રચેતા બ્રહ્માજીએ સર્જન માટે વેદોનો આધાર લીધો. માટે જ સમસ્ત વિશ્વમાં જે કાંઈ જ્ઞાન છે તે નિશ્ચિત રૂપે મૂળ વેદમાંથી જ આવ્યું છે. રહસ્યવાદી એક વિશિષ્ટ શૈલીમાં પ્રગટેલ એવા વેદને ગણિત કે વિજ્ઞાનની રીતે નહિ પરંતુ રહસ્યવાદી અભિગમથી સમજી, તપશ્ચર્યા અને ધ્યાનના માધ્યમ દ્વારા આત્મસાત કરી શકાય છે.
વેદોનું મહત્વ
अन्यथा वेदपाण्डित्य शास्त्रमाचारमन्यथा ।
अन्यथा कुवचः शान्तं लोकाः क्लिश्यन्ति चान्यथा ॥ [चाणक्य नीति ५.१०]
વેદોના તત્વજ્ઞાન, શાસ્ત્રોના વિધાન અને સદાચાર તથા સંતોના ઉત્તમ ચરિત્ર તરફ શ્રદ્ધા અને સમ્માન વાળો ભાવ હોવો જોઈએ. એને મિથ્યા તથા કલ્પિત કહી એને કલંકિત કરવા વાળા, એની ઉપર કાદવ ઉછાળનારા લોકો, આ લોક જ નહિ પણ પરલોકમાં પણ ભારે કષ્ટ ઉઠાવે છે.
વૈદિક જ્ઞાન અનંત છે. તે એક જ જીવનમાં પૂર્ણ થઈ શકતું નથી. ગમે તેટલો અભ્યાસ તેને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી શકતો નથી.
મહાન પ્રાચીન ભારતીય ઋષિ ભારદ્વાજે વેદના અભ્યાસ માટે ઘણા સમય સમર્પિત કર્યા હતા અને સમય જતાં તેમાંથી મોટા ભાગ પર નિપુણતા મેળવી હતી. જ્યારે તેમને લાગ્યું કે તેમનું જ્ઞાન પૂર્ણ થઈ ગયું છે, ત્યારે તેમણે દેવતાઓના રાજા ઇન્દ્ર પાસે વધુ સમય માંગ્યો જેથી તેઓ વેદનો અભ્યાસ ચાલુ રાખી શકે અને આખરે વેદને સંપૂર્ણ રીતે સમજી શકે. જવાબમાં, ઇન્દ્ર ભારદ્વાજને એક વિશાળ પર્વતમાળા પર લઈ ગયા જે વેદોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમને બતાવ્યું કે તેમણે જે શીખ્યા છે, તે પર્વતની વિશાળતાની તુલનામાં માત્ર એક મુઠ્ઠીભર માટી હતી – જેનો અર્થ એ છે કે વૈદિક જ્ઞાનની અનંત ઊંડાઈ અને પહોળાઈ જે કોઈ પણ વ્યક્તિ અનંત જીવનકાળમાં ક્યારેય સંપૂર્ણ રીતે નિપુણતા મેળવી શકતો નથી.

[कल्याण – वर्ष 73, वेद-कथाङ्ग्क, संख्या 1-2]
વેદો ને માટે “શ્રુતિ” શબ્દનો અધિક વ્યવહાર થાય છે. પ્રાચીન સમયમાં ગુરુમુખે સાંભળી શિષ્યો વેદોને કંઠસ્થ કરતા અને પ્રત્યેક શિષ્ય સાક્ષાત વેદ બની જતો. આ પરંપરા દ્વારા વેદો સાચવી રાખતા. ઋષિવંશોના શ્રવણ માધ્યમ દ્વારા વેદોની પરંપરા પ્રાપ્ત હોવાને લીધે વેદો ને “શ્રુતિ” ની ઉપમા મળી.
ચારેય વેદોને સમાન બંધારણમાં ગોઠવવાથી તેમની આંતરિક વિશિષ્ટતા ખૂબ સુંદર રીતે સ્પષ્ટ થાય છે:
| 1 | ઋગ્વેદ → જ્ઞાન અને સ્તુતિ → ૨૧ શાખા |
| 2 | યજુર્વેદ → યજ્ઞ અને કર્મ |
| 3 | સામવેદ → ઉપાસના અને નાદ |
| 4 | અથર્વવેદ → શાંતિ, રક્ષા અને જીવનવ્યવહાર. |
આ ચારેય મળીને વૈદિક સંસ્કૃતિનું પૂર્ણ ચતુષ્ઠય બનાવે છે.
વેદોનું ખોટું અર્થઘટન થતું રોકવા માટે એના વિશે થોડી માહિતી આવશ્યક છે.
1. વેદોના કોઈ અર્થઘટનમાં સાંપ્રદાયિકતા દેખાય તો સમજવું કે ભાષ્યંતર યોગ્ય નથી.
2. વેદોમાં ઈશ્વરની સ્તુતિ, વખાણ, પ્રાર્થના, ઉપાસના, તથા ઈશ્વરના ગુણો નું વર્ણન છે.
3. વેદોમાં સિધ્ધાંતો અને વ્યવહારની વ્યાખ્યા છે, સંસ્કારોની સંહિતા છતી કરે છે.
4. વેદો એ દેવોની વિશિષ્ટતા હોવા છતાં એમનું ઐક્ય દર્શાવે છે.

