વેદ પરિચય

  • ધર્મ = વ્યક્તિ અને સમાજને ધારણ કરે 
  • બ્રહ્મ = પરમતત્વ 
  • અપૌરુષેય = જે મનુષ્યે ન રચ્યું હોય 

મહાન પ્રાચીન ભારતીય ઋષિ ભારદ્વાજે વેદના અભ્યાસ માટે ઘણા સમય સમર્પિત કર્યા હતા અને સમય જતાં તેમાંથી મોટા ભાગ પર નિપુણતા મેળવી હતી. જ્યારે તેમને લાગ્યું કે તેમનું જ્ઞાન પૂર્ણ થઈ ગયું છે, ત્યારે તેમણે દેવતાઓના રાજા ઇન્દ્ર પાસે વધુ સમય માંગ્યો જેથી તેઓ વેદનો અભ્યાસ ચાલુ રાખી શકે અને આખરે વેદને સંપૂર્ણ રીતે સમજી શકે. જવાબમાં, ઇન્દ્ર ભારદ્વાજને એક વિશાળ પર્વતમાળા પર લઈ ગયા જે વેદોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમને બતાવ્યું કે તેમણે જે શીખ્યા છે, તે પર્વતની વિશાળતાની તુલનામાં માત્ર એક મુઠ્ઠીભર માટી હતી – જેનો અર્થ એ છે કે વૈદિક જ્ઞાનની અનંત ઊંડાઈ અને પહોળાઈ જે કોઈ પણ વ્યક્તિ અનંત જીવનકાળમાં ક્યારેય સંપૂર્ણ રીતે નિપુણતા મેળવી શકતો નથી.

ArbiPoemOnVedas

[कल्याण – वर्ष 73, वेद-कथाङ्ग्क, संख्या 1-2]


વેદોને શ્રુતિ કેમ કહેવાય છે?
વેદ = સંપૂર્ણ વાંગ્મય = સંહિતા = શ્રુતિ

વેદો ને માટે “શ્રુતિ” શબ્દનો અધિક વ્યવહાર થાય છે. પ્રાચીન સમયમાં ગુરુમુખે સાંભળી શિષ્યો વેદોને કંઠસ્થ કરતા અને પ્રત્યેક શિષ્ય સાક્ષાત વેદ બની જતો.  આ પરંપરા દ્વારા વેદો સાચવી રાખતા. ઋષિવંશોના શ્રવણ માધ્યમ દ્વારા વેદોની પરંપરા પ્રાપ્ત હોવાને લીધે વેદો ને “શ્રુતિ” ની ઉપમા મળી.


ચારેય વેદોને સમાન બંધારણમાં ગોઠવવાથી તેમની આંતરિક વિશિષ્ટતા ખૂબ સુંદર રીતે સ્પષ્ટ થાય છે:

1ઋગ્વેદ → જ્ઞાન અને સ્તુતિ → ૨૧ શાખા
2યજુર્વેદ → યજ્ઞ અને કર્મ
3સામવેદ → ઉપાસના અને નાદ
4અથર્વવેદ → શાંતિ, રક્ષા અને જીવનવ્યવહાર.

આ ચારેય મળીને વૈદિક સંસ્કૃતિનું પૂર્ણ ચતુષ્ઠય બનાવે છે.


શાશ્વત અને અજન્મા એવા અપૌરુષેય આ વેદોને જયારે ભગવાને પ્રકટ કર્યા ત્યારે એનો માત્ર એક જ અર્થ હતો. પણ આમ તો વેદોના (ત્રિગુણ બુદ્ધિ વશ) જેટલા અર્થ કાઢવા હોય તેટલા નીકળે  (કહેછે પ્રત્યેક વેદોના પ્રત્યેક શ્લોકના ઓછામાં ઓછા 12 અર્થઘટન થઇ શકે).
તે છતાં, દેખીતી રીતે વેદોમાં મુખ્યત્વે બે બાબતો જોવા મળશે.
1. ઈશ્વરના વખાણ, વર્ણન, શ્રેષ્ઠતાના ગુણગાન.
2. ઈશ્વરને પ્રાર્થના, વિનંતી, માંગણી.

વેદોનું ખોટું અર્થઘટન થતું રોકવા માટે  એના વિશે થોડી માહિતી આવશ્યક છે.

1. વેદોના કોઈ અર્થઘટનમાં સાંપ્રદાયિકતા દેખાય તો સમજવું કે ભાષ્યંતર યોગ્ય નથી.

2. વેદોમાં ઈશ્વરની સ્તુતિ, વખાણ, પ્રાર્થના, ઉપાસના, તથા ઈશ્વરના ગુણો નું વર્ણન છે.

3. વેદોમાં સિધ્ધાંતો અને વ્યવહારની વ્યાખ્યા છે, સંસ્કારોની સંહિતા છતી કરે છે.

4. વેદો એ દેવોની વિશિષ્ટતા હોવા છતાં એમનું ઐક્ય દર્શાવે છે.