भूमिं केन्द्रं समाश्रित्य ज्योतिःशास्त्रं प्रवर्तते । ग्रहगत्या फलज्ञानं दृश्यतत्त्वानुसारतः ॥
राशिद्वादशभेदेन भावचक्रं विनिर्मितम् । ईश्वराधीनबुद्धिः स्याज्ज्योतिषे नातिनिर्भरः ॥
[अलबेला शतक (अलबेला पंडित विरचित)]
પૃથ્વીને કેન્દ્રમાં રાખીને જ્યોતિષશાસ્ત્ર કાર્ય કરે છે અને ગ્રહોની દૃશ્ય ગતિ અનુસાર ફળજ્ઞાન આપે છે. બાર રાશિઓ દ્વારા ભાવચક્ર (કુંડળી) ની રચના કરવામાં આવી છે. મનુષ્યએ જ્યોતિષનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ અતિ નિર્ભર ન બની અંતે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવો જોઈએ.
આત્મા જ જેમ સૃષ્ટિનું કેન્દ્ર છે, જેમ સર્વ બાબતોને સ્વકેન્દ્રી બની જોઈએ છીએ એ જ રીતે પૃથ્વીની ગણના કેન્દ્ર તરીકે કરી છે કારણકે જ્યોતિષ શાસ્ત્ર દ્રશ્ય સ્થિતિને સ્વીકારે છે. અને અન્ય પિંડો (સૂર્ય સહીત) ગતિમાન દેખાવાથી તેની ગણના ગ્રહો તરીકે કરવામાં આવી છે. (રાહુ અને કેતુ એ બંને છાયા ગ્રહ છે, પિંડ નથી). જ્યોતિષ એક વિજ્ઞાન છે, અને વિજ્ઞાન વર્ણન માટે એક સ્થિર વસ્તુ અનિવાર્ય છે જે પૃથ્વીને ગણી છે.
જ્યોતિષ શાસ્ત્ર ઉપર લગભગ 40% જેટલું નિર્ભર રહેવું બાકી ભગવાન ઉપર છોડી દેવું, ખૂબ ઊંડા ઉતરી અને જીવન એકદમ જ્યોતિષમય બનાવી દેશો તો જીવન જીવવું અઘરું થઇ પડશે અને ડગલે પગલે ઉપાધિઓ દેખાશે અને જીવનમાં તમારી પોતાની નિર્ણય લેવાની શક્તિ ક્ષીણ થઇ જશે. પાછા પડી જશો.
આજનો અંગ્રેજી શબ્દ “હોરો સ્કોપ” (HOROSCOPE) આપણા “હોરા-ચક્ર” ઉપરથી લેવામાં આવ્યો છે. અને “હોરા” એ સંસ્કૃત શબ્દ “અહો-રાત્ર” (દિવસ – રાત્ર) ઉપરથી આવ્યો છે.
મનુષ્યના જીવનને મહદંશે આવરી લેનાર બાબતો 12 રાશિઓમાં અલગ અલગ 12 કુંડ (ખાના / ભાવ) માં વહેંચી દીધી છે. કુંડોના આ સમૂહ ને જ કુંડળી કહે છે.
કુંડલીના એક જ ભાવમાં એકથી વધુ ગ્રહો હોય તેને યુતિ કહે છે. યુતિ, બે ગ્રહો થી માંડીને સાત ગ્રહો સુધી હોઈ શકે, જેના ફળ તે પ્રમાણે અલગ અલગ હોય છે.
જ્યોતિષ શાસ્ત્ર પૃથ્વીને કેન્દ્રમાં રાખીને દૃશ્યમાન ગ્રહગતિના આધારે ફળવિચાર કરતું વિજ્ઞાન છે. સૂર્ય સહિતના ગ્રહો ગતિમાન દેખાતા હોવાથી તેમને ગ્રહરૂપે ગણવામાં આવ્યા છે, જ્યારે રાહુ અને કેતુ છાયા ગ્રહો છે. જ્યોતિષ જીવનના વિવિધ ક્ષેત્રોને બાર રાશિ અને બાર ભાવોમાં વિભાજિત કરીને મનુષ્યજીવનનું વિશ્લેષણ કરે છે. એક જ ભાવમાં એકથી વધુ ગ્રહોની સ્થિતિને યુતિ કહેવામાં આવે છે, જેના વિવિધ ફળ જણાવ્યા છે. જ્યોતિષનો યોગ્ય પ્રમાણમાં આશ્રય લેવો શ્રેયસ્કર છે, પરંતુ અતિ નિર્ભરતા મનુષ્યની સ્વનિર્ણય શક્તિને નબળી બનાવી શકે છે. તેથી જ્યોતિષને માર્ગદર્શનરૂપ માનવું અને અંતિમ વિશ્વાસ ઈશ્વર ઉપર રાખવો જોઈએ.

