સામવેદ એટલે “ઉપાસના” નો વેદ
સામવેદ ધ્યાન
निलोत्पलदलाभास: सामवेदो हयानन: |
अक्षमालान्वितो दक्षे वामे कंबुधर: स्मृत: ||
જે નીલકમળ દળની સમાન કાંતિ વાળા છે, અશ્વ સમાન મુખવાળા છે, તથા જેમણે જમણા હાથમાં અક્ષમાળા અને ડાબા હાથમાં શંખ ધારણ કરેલ છે, એવા સામવેદ ભગવાન કહેલા છે.
वेदानां सामवेदोSस्मि |
“વેદોમાં સામવેદ હું છું.”
[श्रीकृष्ण, श्रिमद्भग्वद्गिता – 10.22]
સામવેદમાં કુલ 1869 મંત્રો છે.
મહાભાષ્ય પ્રમાણે સામવેદની 1000 શાખાઓ છે, જેના 13 પ્રવર્તક ઋષિઓ સામતર્પણાર્થે સામગાયન કરે છે.
1. રાણાયન આચાર્ય
2. સાત્યમુગ્નિ વ્યાસ આચાર્ય
3. ભાગુરુઔલુન્ડિ આચાર્ય
4. ગૌલમુલવી આચાર્ય
5. ભાનુમાન આચાર્ય
6. ઔપમન્યવ આચાર્ય
7. દારાલ આચાર્ય
8. ગાર્ગ્ય આચાર્ય
9. સાવર્ણિ આચાર્ય
10. વાર્ષગણિ આચાર્ય
11. કુથુમિ આચાર્ય
12. શાલિહોત્ર આચાર્ય
13. જૈમિની આચાર્ય
સામવેદ [ઉપાસના] (ના બે વિભાગો)
1. પૂર્વાર્ચિક વિભાગ (બે ગાન વાળો)
1. ગ્રામીણ ગાન (તેનાપાંચ પ્રપાઠકો)
1. પ્રપાઠક-1 (આગ્નેય કાંડ)
2. પ્રપાઠક-2 (આગ્નેય કાંડ)
3. પ્રપાઠક-3 (ઈન્દ્ર કાંડ)
4. પ્રપાઠક-4
5. પ્રપાઠક-5 (પવમાન પર્વ)
2. અરણ્ય ગાન (તેનો એક પ્રપાઠક)
1. પ્રપાઠક-6
2. ઉત્તરાર્ચિક વિભાગ