द्वादशैर्भावभेदैश्च जीवितं परिकीर्तितम् । कुण्डलीभिर्विचारोऽयं सुखदुःखफलप्रदः ॥
केन्द्रत्रिकोणसंस्थाश्च ग्रहाः शक्तिप्रदायकाः । षष्ठाष्टव्ययभावस्था बाधां कुर्वन्ति देहिनाम् ॥
[अलबेला शतक (अलबेला पंडित विरचित)]
બાર ભાવો દ્વારા મનુષ્યજીવનના વિવિધ વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે. વિવિધ કુંડળીઓ સુખ અને દુઃખના ફળનો વિચાર કરાવે છે. કેન્દ્ર અને ત્રિકોણમાં રહેલા ગ્રહો વિશેષ શક્તિ અને પ્રભાવ આપે છે, જ્યારે ષષ્ઠ, અષ્ટમ અને વ્યય (દ્વાદશ) ભાવમાં રહેલા ગ્રહો જીવનમાં અવરોધ અને કષ્ટો ઉત્પન્ન કરે છે.
જ્યોતિષમાં વિવિધ પ્રકારની કુંડળીઓ દ્વારા મનુષ્યજીવનના અલગ અલગ ક્ષેત્રોનું સૂક્ષ્મ ચિંતન કરવામાં આવે છે. જન્મકુંડળી દેહ અને સ્વભાવ દર્શાવે છે, જ્યારે નવમાંશ, દશમાંશ, સપ્તાંશ વગેરે વિશિષ્ટ વિષયો જેમ કે દામ્પત્ય, આજીવિકા, સંતતિ અને સંપત્તિનો વિચાર કરે છે. દરેક કુંડળીમાં બાર ભાવ હોય છે, જે જીવનના વિવિધ ક્ષેત્રોને સૂચવે છે. કેન્દ્ર અને ત્રિકોણ ભાવો શુભ અને શક્તિશાળી માનવામાં આવે છે, જ્યારે ષષ્ઠ, અષ્ટમ અને દ્વાદશ ભાવ પડકારો તથા દુઃખ સાથે સંબંધિત છે. ગ્રહોનું ફળ માત્ર સ્થાનથી નક્કી થતું નથી, પરંતુ અનેક પરિબળોના સંયોજનથી ફલાદેશ થાય છે. તેથી જ્યોતિષમાં વિચારપૂર્વક અને સમગ્ર દૃષ્ટિથી નિર્ણય કરવો આવશ્યક છે.
| કુંડળી પ્રકારો | |
| 1 | લગ્ન કુંડળી (જન્મ કુંડળી) – દેહ ભાવનું ચિંતન. |
| 2 | દ્રેષકાણ કુંડળી – ભાઈના સુખનું ચિંતન. |
| 3 | ત્રિશાંશ કુંડળી – અકસ્માત / હાનિ / ક્ષતિ ચિંતન. |
| 4 | ચતુર્થાંશ કુંડળી – સ્થાવર મિલકત સંબંધિત સૂક્ષ્મ માહિતી ચિંતન. |
| 5 | હોરા કુંડળી – સંપદા આદિ સુખ ચિંતન. |
| 6 | સપ્તાંશ કુંડળી – સંતતિ, પુત્ર પૌત્રી ચિંતન. |
| 7 | નવમાંશ કુંડળી – દામ્પત્ય સુખ ચિંતન. |
| 8 | દશમાંશ કુંડળી – નોકરી, પદ-પ્રતિષ્ઠા, ધંધો, આજીવિકા, માન સન્માન ચિંતન. |
| 9 | દ્વાદશાંશ કુંડળી – માતા પિતા સુખ ચિંતન. |
| 10 | ષોડષાંશ કુંડળી – ભૌતિક સુખ અને સમૃદ્ધિ ચિંતન. |
ભાવ પરિચય
પ્રત્યેક કુંડળીમાં 12 ખાના (Houses) હોય છે જેને “ભાવ” કહે છે. પ્રત્યેક ભાવ જાતકને અને તેના જીવનને લગતી બાબતો સૂચવે છે. ભિન્ન ભિન્ન ગ્રહોની ઉપસ્થિતિ એ બાબતોને અસર કરે છે.


[ભૃગુ સંહિતા, પં. રાધાકૃષ્ણ શ્રીમાળી]

