કુંડળી

[अलबेला शतक (अलबेला पंडित विरचित)]

બાર ભાવો દ્વારા મનુષ્યજીવનના વિવિધ વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે. વિવિધ કુંડળીઓ સુખ અને દુઃખના ફળનો વિચાર કરાવે છે. કેન્દ્ર અને ત્રિકોણમાં રહેલા ગ્રહો વિશેષ શક્તિ અને પ્રભાવ આપે છે, જ્યારે ષષ્ઠ, અષ્ટમ અને વ્યય (દ્વાદશ) ભાવમાં રહેલા ગ્રહો જીવનમાં અવરોધ અને કષ્ટો ઉત્પન્ન કરે છે.


જ્યોતિષમાં વિવિધ પ્રકારની કુંડળીઓ દ્વારા મનુષ્યજીવનના અલગ અલગ ક્ષેત્રોનું સૂક્ષ્મ ચિંતન કરવામાં આવે છે. જન્મકુંડળી દેહ અને સ્વભાવ દર્શાવે છે, જ્યારે નવમાંશ, દશમાંશ, સપ્તાંશ વગેરે વિશિષ્ટ વિષયો જેમ કે દામ્પત્ય, આજીવિકા, સંતતિ અને સંપત્તિનો વિચાર કરે છે. દરેક કુંડળીમાં બાર ભાવ હોય છે, જે જીવનના વિવિધ ક્ષેત્રોને સૂચવે છે. કેન્દ્ર અને ત્રિકોણ ભાવો શુભ અને શક્તિશાળી માનવામાં આવે છે, જ્યારે ષષ્ઠ, અષ્ટમ અને દ્વાદશ ભાવ પડકારો તથા દુઃખ સાથે સંબંધિત છે. ગ્રહોનું ફળ માત્ર સ્થાનથી નક્કી થતું નથી, પરંતુ અનેક પરિબળોના સંયોજનથી ફલાદેશ થાય છે. તેથી જ્યોતિષમાં વિચારપૂર્વક અને સમગ્ર દૃષ્ટિથી નિર્ણય કરવો આવશ્યક છે.


 કુંડળી પ્રકારો
1લગ્ન કુંડળી (જન્મ કુંડળી) – દેહ ભાવનું ચિંતન.
2દ્રેષકાણ કુંડળી – ભાઈના સુખનું ચિંતન.
3ત્રિશાંશ કુંડળી – અકસ્માત / હાનિ / ક્ષતિ ચિંતન.
4ચતુર્થાંશ કુંડળી – સ્થાવર મિલકત સંબંધિત સૂક્ષ્મ માહિતી ચિંતન.
5હોરા કુંડળી – સંપદા આદિ સુખ ચિંતન.
6સપ્તાંશ કુંડળી – સંતતિ, પુત્ર પૌત્રી ચિંતન.
7નવમાંશ કુંડળી – દામ્પત્ય સુખ ચિંતન.
8દશમાંશ કુંડળી – નોકરી, પદ-પ્રતિષ્ઠા, ધંધો, આજીવિકા, માન સન્માન ચિંતન.
9દ્વાદશાંશ કુંડળી – માતા પિતા સુખ ચિંતન.
10ષોડષાંશ કુંડળી – ભૌતિક સુખ અને સમૃદ્ધિ ચિંતન.

 


ભાવ પરિચય

પ્રત્યેક કુંડળીમાં 12 ખાના (Houses) હોય છે જેને “ભાવ” કહે છે. પ્રત્યેક ભાવ જાતકને અને તેના જીવનને લગતી બાબતો સૂચવે છે. ભિન્ન ભિન્ન ગ્રહોની ઉપસ્થિતિ એ બાબતોને અસર કરે છે.

KundliBhav

BhavEmptyKundli

જુદા જુદા ભાવોમાં ગ્રહોનું શુભાશુભ ફળ 
 
1. પ્રથમ, ચતુર્થ, સપ્તમ અને દશમ ભાવ (1,4,7,10) ને કુંડળીનું “કેન્દ્ર” કહે છે – જ્યાં બેઠેલા ગ્રહો વધુ શક્તિશાળી હોઈ પૂર્ણ ફળ પ્રદાન કરે છે.
 
2. પંચમ અને નવમ (5,9) ભાવને “ત્રિકોણ” કહે છે – જેમાં રહેલ ગ્રહો પણ જાતક ઉપર પોતાની શક્તિ અને સામર્થ્યનો પુરે પૂરો પ્રભાવ નાખે છે.
 
3. ષષ્ટમ, અષ્ટમ અને દ્વાદશ (6,8,12) સ્થાન ને “ખાડા” સ્થાન કહે છે કારણકે અનુક્રમે તેઓ રિપુ (શત્રુ), આયુષ્ય અને વ્યય ને દર્શાવે છે. એમાં રહેલ ગ્રહો જાતક માટે ત્રાસ ઉત્પન્ન કરે છે.
 
4. ધન અને લાભ માટે અનુક્રમે દ્વિતીય અને એકાદશ (2, 11) ભાવ છે જેમાં રહેલ ગ્રહો જાતકને ખાસ લાભ આપે છે.
 
5. તૃતીય (3) ભાવ પરાક્રમ દર્શાવે છે જેમાં બેઠેલ ગ્રહ જાતકના પરાક્રમમાં વધારો કરી સફળતા અપાવે છે.
 
નોંધ – સારા સ્થાનમાં રહેલ ગ્રહો સારું ફળ અને ખરાબ સ્થાનમાં રહેલ ગ્રહો ખરાબ ફળ આપે એવું સદા હોતું નથી. ફલાદેશ માટે અનેક પરિબળો હોય છે. જુઓ – “ફલાદેશ નિર્ધારણ
 

[ભૃગુ સંહિતા, પં. રાધાકૃષ્ણ શ્રીમાળી]

 
ખરું જોતા ગ્રહો તો એટલા જ પ્રભાવશાળી છે પરંતુ –
કેન્દ્ર અને ત્રિકોણમાં રહેલ ગ્રહો વધુ પ્રભાવ બતાવે છે એમ કહેવા કરતા,
કેન્દ્ર અને ત્રિકોણમાં રહેલ ભાવ ગ્રહોના વધુ પ્રભાવમાં આવે છે એમ કહેવું યોગ્ય ગણાય.
 

DesireToSuccess