पञ्चकोशमयं देहं प्राणवायुसमन्वितम् । ज्ञानेन्द्रियकर्मयुक्तं चेतनायाः निवेशनम् ॥
मनोबुद्धिसमायुक्तं सूक्ष्मलिङ्गं प्रकीर्तितम् । पञ्चविंशतितत्त्वोत्थं स्थूलदेहं प्रचक्षते ॥
सूक्ष्मस्थूलसमायोगाज्जीवदेहः प्रजायते । देहो साधनरूपोऽयं ब्रह्मज्ञानस्य कारणम् ॥
[अलबेला शतक (अलबेला पंडित विरचित)]
મનુષ્યનું શરીર પંચકોષોથી બનેલું છે, જેમાં પાંચ પ્રાણવાયુઓ કાર્યરત છે. જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોથી યુક્ત આ શરીર ચેતનાનું નિવાસસ્થાન છે. મન અને બુદ્ધિ સાથેનું સત્તર તત્ત્વોથી બનેલું શરીર સૂક્ષ્મ લિંગ શરીર કહેવાય છે, જ્યારે પચ્ચીસ તત્ત્વોથી ઉત્પન્ન થયેલું શરીર સ્થૂળ શરીર કહેવાય છે. સૂક્ષ્મ અને સ્થૂળ શરીરના સંયોગથી જીવનું ચેતનમય શરીર પ્રગટ થાય છે. આ શરીર બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો સાધનરૂપ માર્ગ છે.
વેદાંત અને ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર મનુષ્ય શરીર માત્ર હાડકાં અને માંસનું ભૌતિક બંધારણ નથી, પરંતુ ચેતના, પ્રાણશક્તિ અને આત્મતત્વથી યુક્ત એક અત્યંત ગૂઢ રચના છે. મનુષ્યનું અસ્તિત્વ પંચકોષોથી બનેલું માનવામાં આવે છે — અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોષ. આ કોષો દ્વારા જીવ આત્મા ભૌતિકથી આધ્યાત્મિક યાત્રા કરે છે. શરીરમાં પ્રવર્તમાન પાંચ પ્રાણવાયુ — પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન — સમગ્ર દૈહિક અને માનસિક ક્રિયાઓને સંચાલિત કરે છે.
પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, મન અને બુદ્ધિ — એમ કુલ સત્તર તત્ત્વોથી સૂક્ષ્મ લિંગ શરીર રચાય છે, જ્યારે પંચમહાભૂત સહિતના પચ્ચીસ તત્ત્વો મળીને સ્થૂળ શરીરનું નિર્માણ કરે છે. સૂક્ષ્મ અને સ્થૂળ શરીરનો સંયોગ જ મનુષ્યના ચેતનમય અસ્તિત્વનું કારણ બને છે. વેદાંત મુજબ શરીર સાધન છે અને આત્મા સાધ્ય; શરીર દ્વારા જ જ્ઞાન, સાધના, કર્મ અને અંતે બ્રહ્મસાક્ષાત્કારનો માર્ગ ખુલ્લો બને છે.
મનુષ્યનું પંચકોષ વાળું શરીર

પાંચ કર્મેન્દ્રિયો
ષટ્પદી [વેદાંત પ્રક્રિયા] લેખક – શત્રુઘ્ન ઉરફે બાલાજી મહારાજ (સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય)
