એકાદશીઓ

[अनुप गीता (अलबेला पंडित विरचित)]

હરિપ્રિય એવી એકાદશીઓ પાપ, મોહ અને ભયનો નાશ કરનારી છે. તે વૈરાગ્ય, ભક્તિ, મોક્ષ અને પુણ્યલોક પ્રદાન કરનારી શુભ તિથિઓ છે. યજ્ઞ, દાન, તપ અને તીર્થોના સારરૂપ ફળોથી યુક્ત આ તમામ એકાદશીઓ કલિયુગમાં ધર્મનું જીવંત સ્વરૂપ બની, અંતે વિષ્ણુસાયુંજ્ય પ્રદાન કરે છે.


PDF List ડાઉનલોડ કરવા ક્લિક કરો >>> EkadashiList


એકાદશીવિશેષ માસપક્ષ
પ્રબોધિનીદેવ ઉઠી એકાદશી (ચાતુર્માસ પૂરા થાય). હજાર અશ્વમેઘ, સો રાજસૂય યજ્ઞ, ગોદાન નું પુણ્ય ફળ મળેકારતકશુક્લ (સુદ)
ઉત્પત્તિશત્રુ હણાય, વિઘ્નો દૂર થાયકારતકકૃષ્ણ (વદ)
મોક્ષદા (ગીતા જયંતિ)વાજપેય યજ્ઞ ફળ, માતા-પિતા પુત્ર નરકમાંથી સ્વર્ગમાં જાય, મોક્ષ મળેમાગશરશુક્લ (સુદ)
સફલાતે જ જન્મમાં મોક્ષ મળે, રાજસૂય યજ્ઞનું ફળ મળે.માગશરકૃષ્ણ (વદ)
પુત્રદાપુત્ર સુખ મળે, સ્વર્ગ પ્રાપ્ત થાય, અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે.પોષશુક્લ (સુદ)
ષટ્તિલાનિર્ભય બનાય, દારિદ્ર કે દુઃખ કે દુર્ભાગ્ય આવતા નથી.પોષકૃષ્ણ (વદ)
જયાબ્રહ્મા હત્યાનો નાશ થાય, પિશાચપણામાંથી મુક્તિ મળે, અગ્નિષ્ટોમ નું ફળ મળે.મહાશુક્લ (સુદ)
વિજયાજય મળે, વાજપેય યજ્ઞનું ફળ મળે, અવિનાશી લોકમાં જાય.મહાકૃષ્ણ (વદ)
આમલકીવિષ્ણુલોકમાં જાય.ફાગણશુક્લ (સુદ)
પાપમોચનીપિશાચપણાનો નાશ, સર્વ પાપ નાશ, હજાર ગો દાન પુણ્ય, બ્રહ્મહત્યા, સોનુ ચોરે, મદ્યપાન, ગુરુ-સ્ત્રી ગમન વગેરે પાપોમાંથી મુક્તિ મળે.ફાગણકૃષ્ણ (વદ)
કામદારાક્ષસપણું છૂટે, પિશાચપણું જાય, વાજપેય યજ્ઞનું ફળ મળે.ચૈત્રશુક્લ (સુદ)
વરુથિની10 હજાર વર્ષનું તપ, કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સ્નાનનું પુણ્ય, 1 ભાર સોનુ દાન, વિદ્યા દાન, 100 કન્યા દાન જેટલું પુણ્ય મળે. વૈકુંઠમાં પૂજાય.ચૈત્રકૃષ્ણ (વદ)
મોહિનીમોહ નાશ પામે, 1000 ગો દાન પુણ્ય મળે.વૈશાખશુક્લ (સુદ)
અપરાજગ પ્રખ્યાત થાય, બ્રહ્મહત્યા, ગોત્રનાશ, ગર્ભહણનાર, પરનિંદા, પરસ્ત્રી ગમનનું પાપ જાય.વૈશાખકૃષ્ણ (વદ)
નિર્જળા / ભીમઆજના સૂર્યોદય થી આવતી કાલના સૂર્યોદય સુધી જળ અન્નનો ત્યાગ. [તુલસીને જળમાં મુકવી / તુલસીને જળ ન ચઢાવવું]. સર્વ એકાદશીનું ફળ મળે, સેંકડો વંશજો વૈંકુંઠમાં જાય, સૂર્ય ગ્રહણ સ્નાન ફળ અને શ્રાદ્ધ કર્યાનું ફળ મળે.જેઠશુક્લ (સુદ)
યોગીની88 બ્રાહ્મણ જમાડયાનું ફળ મળે. કોઢ મટે.જેઠકૃષ્ણ (વદ)
અષાઢી (દેવ પોઢી) / પદ્મામેળો થાય છે, ફરાળ કરવો.અષાઢશુક્લ (સુદ)
કામિકાવાજપેય યજ્ઞનું ફળ મળે, બ્રહ્મહત્યા અને ગર્ભહત્યાના પાપથી મુક્ત થઇ વૈંકુંઠ જાય.અષાઢકૃષ્ણ (વદ)
પુત્રદાવાજપેય યજ્ઞનું ફળ મળે, પુત્ર સુખ મળે, મૃત્યુ બાદ સ્વર્ગ મળે.શ્રાવણશુક્લ (સુદ)
અજાઅશ્વમેઘ યજ્ઞફળ મળે, પાપ મુક્ત થઇ સ્વર્ગ જાય.શ્રાવણકૃષ્ણ (વદ)
પરિવર્તિનીવામન એકાદશી. પાપ હરે, મોક્ષ આપે, હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. સ્વર્ગમાં જઈ ચંદ્રની જેમ શોભે.ભાદરવોશુક્લ (સુદ)
ઇન્દિરાઅધોગતિ માપેલનો ઉદ્ધાર થાય. સઘળા ભોગ ભોગવી વૈંકુંઠમાં ચિરકાળ સુધી વસે છે.ભાદરવોકૃષ્ણ (વદ)
પાસાંકુશાયમલોક કદી જોવો પડતો નથી. પૃથ્વીના બધા તીર્થોનું ફળ મળે, હજારો અશ્વમેઘ યજ્ઞો, સેંકડો વાજસૂય યજ્ઞો કરતા પણ વિશેષ ફળ મળે.આસોશુક્લ (સુદ)
રમા (દીવાળી)[મંદિર દ્વારને ઉંબરે સાથિયા થાય]. બ્રહ્મા હત્યાના પાપો નષ્ટ થાય. પાપ મુક્ત થઇ વૈંકુંઠ જાય.આસોકૃષ્ણ (વદ)
પદ્મિનીમહાપુણ્યકારક, સ્વયં બ્રહ્મા પણ ન કરી શકે, જન્મ સફળ થાય, સઘળા વ્રતોનું ફળ, ધારેલા કર્મો સિદ્ધ થાય, સ્વર્ગે જઈ ઇન્દ્રના જેવા ભોગ ભોગવી, વૈંકુંઠ જાય.અધિક માસશુક્લ (સુદ)
પરમાસ્વર્ગે જાય, ઇન્દ્રના જેવો વૈભવ ભોગવી, વૈંકુંઠ જાય.અધિક માસકૃષ્ણ (વદ)