એકાદશીઓ

PDF List ડાઉનલોડ કરવા ક્લિક કરો >>> EkadashiList


એકાદશી વિશેષ  માસ પક્ષ
પ્રબોધિની દેવ ઉઠી એકાદશી (ચાતુર્માસ પૂરા થાય). હજાર અશ્વમેઘ, સો રાજસૂય યજ્ઞ, ગોદાન નું પુણ્ય ફળ મળે કારતક શુક્લ (સુદ)
ઉત્પત્તિ શત્રુ હણાય, વિઘ્નો દૂર થાય કારતક કૃષ્ણ (વદ)
મોક્ષદા (ગીતા જયંતિ) વાજપેય યજ્ઞ ફળ, માતા-પિતા પુત્ર નરકમાંથી સ્વર્ગમાં જાય, મોક્ષ મળે માગશર શુક્લ (સુદ)
સફલા તે જ જન્મમાં મોક્ષ મળે, રાજસૂય યજ્ઞનું ફળ મળે. માગશર કૃષ્ણ (વદ)
પુત્રદા પુત્ર સુખ મળે, સ્વર્ગ પ્રાપ્ત થાય, અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. પોષ શુક્લ (સુદ)
ષટ્તિલા નિર્ભય બનાય, દારિદ્ર કે દુઃખ કે દુર્ભાગ્ય આવતા નથી. પોષ કૃષ્ણ (વદ)
જયા બ્રહ્મા હત્યાનો નાશ થાય, પિશાચપણામાંથી મુક્તિ મળે, અગ્નિષ્ટોમ નું ફળ મળે. મહા શુક્લ (સુદ)
વિજયા જય મળે, વાજપેય યજ્ઞનું ફળ મળે, અવિનાશી લોકમાં જાય. મહા કૃષ્ણ (વદ)
આમલકી વિષ્ણુલોકમાં જાય. ફાગણ શુક્લ (સુદ)
પાપમોચની પિશાચપણાનો નાશ, સર્વ પાપ નાશ, હજાર ગો દાન પુણ્ય, બ્રહ્મહત્યા, સોનુ ચોરે, મદ્યપાન, ગુરુ-સ્ત્રી ગમન વગેરે પાપોમાંથી મુક્તિ મળે. ફાગણ કૃષ્ણ (વદ)
કામદા રાક્ષસપણું છૂટે, પિશાચપણું જાય, વાજપેય યજ્ઞનું ફળ મળે. ચૈત્ર શુક્લ (સુદ)
વરુથિની 10 હજાર વર્ષનું તપ, કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સ્નાનનું પુણ્ય, 1 ભાર સોનુ દાન, વિદ્યા દાન, 100 કન્યા દાન જેટલું પુણ્ય મળે. વૈકુંઠમાં પૂજાય. ચૈત્ર કૃષ્ણ (વદ)
મોહિની મોહ નાશ પામે, 1000 ગો દાન પુણ્ય મળે. વૈશાખ શુક્લ (સુદ)
અપરા જગ પ્રખ્યાત થાય, બ્રહ્મહત્યા, ગોત્રનાશ, ગર્ભહણનાર, પરનિંદા, પરસ્ત્રી ગમનનું પાપ જાય. વૈશાખ કૃષ્ણ (વદ)
નિર્જળા / ભીમ આજના સૂર્યોદય થી આવતી કાલના સૂર્યોદય સુધી જળ અન્નનો ત્યાગ. [તુલસીને જળમાં મુકવી / તુલસીને જળ ન ચઢાવવું]. સર્વ એકાદશીનું ફળ મળે, સેંકડો વંશજો વૈંકુંઠમાં જાય, સૂર્ય ગ્રહણ સ્નાન ફળ અને શ્રાદ્ધ કર્યાનું ફળ મળે. જેઠ શુક્લ (સુદ)
યોગીની 88 બ્રાહ્મણ જમાડયાનું ફળ મળે. કોઢ મટે. જેઠ કૃષ્ણ (વદ)
અષાઢી (દેવ પોઢી) / પદ્મા મેળો થાય છે, ફરાળ કરવો. અષાઢ શુક્લ (સુદ)
કામિકા વાજપેય યજ્ઞનું ફળ મળે, બ્રહ્મહત્યા અને ગર્ભહત્યાના પાપથી મુક્ત થઇ વૈંકુંઠ જાય. અષાઢ કૃષ્ણ (વદ)
પુત્રદા વાજપેય યજ્ઞનું ફળ મળે, પુત્ર સુખ મળે, મૃત્યુ બાદ સ્વર્ગ મળે. શ્રાવણ શુક્લ (સુદ)
અજા અશ્વમેઘ યજ્ઞફળ મળે, પાપ મુક્ત થઇ સ્વર્ગ જાય. શ્રાવણ કૃષ્ણ (વદ)
પરિવર્તિની વામન એકાદશી. પાપ હરે, મોક્ષ આપે, હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. સ્વર્ગમાં જઈ ચંદ્રની જેમ શોભે. ભાદરવો શુક્લ (સુદ)
ઇન્દિરા અધોગતિ માપેલનો ઉદ્ધાર થાય. સઘળા ભોગ ભોગવી વૈંકુંઠમાં ચિરકાળ સુધી વસે છે. ભાદરવો કૃષ્ણ (વદ)
પાસાંકુશા યમલોક કદી જોવો પડતો નથી. પૃથ્વીના બધા તીર્થોનું ફળ મળે, હજારો અશ્વમેઘ યજ્ઞો, સેંકડો વાજસૂય યજ્ઞો કરતા પણ વિશેષ ફળ મળે. આસો શુક્લ (સુદ)
રમા (દીવાળી) [મંદિર દ્વારને ઉંબરે સાથિયા થાય]. બ્રહ્મા હત્યાના પાપો નષ્ટ થાય. પાપ મુક્ત થઇ વૈંકુંઠ જાય. આસો કૃષ્ણ (વદ)
પદ્મિની મહાપુણ્યકારક, સ્વયં બ્રહ્મા પણ ન કરી શકે, જન્મ સફળ થાય, સઘળા વ્રતોનું ફળ, ધારેલા કર્મો સિદ્ધ થાય, સ્વર્ગે જઈ ઇન્દ્રના જેવા ભોગ ભોગવી, વૈંકુંઠ જાય. અધિક માસ શુક્લ (સુદ)
પરમા સ્વર્ગે જાય, ઇન્દ્રના જેવો વૈભવ ભોગવી, વૈંકુંઠ જાય. અધિક માસ કૃષ્ણ (વદ)

SaugandhHaiMujhe