स्वधर्मनिरतः सम्यग् निष्कामो धर्मतत्परः । कर्मबन्धविनिर्मुक्तो याति विष्णोः परं पदम् ॥
अकर्मविकर्मत्यागी भक्तियुक्तः समाहितः । संचितं दहते कर्म मुक्तिं चाधिगच्छति ॥
[अनुप गीता (अलबेला पंडित विरचित)]
જે મનુષ્ય પોતાના સ્વધર્મમાં સ્થિર રહી, નિઃસ્વાર્થભાવથી અને ધર્મમાં તત્પર રહી કર્મ કરે છે, તે કર્મબંધનથી મુક્ત થઈ ભગવાનના પરમધામને પ્રાપ્ત કરે છે. જે અકર્મ અને વિકર્મનો ત્યાગ કરી ભક્તિપૂર્વક સ્થિર ચિત્તથી જીવન જીવેછે, તે પોતાના સંચિત કર્મોને દહન કરી અંતે મુક્તિ પ્રાપ્ત કરે છે.
દુર્ગ (કારાગૃહ)ની સ્વામીની દુર્ગા(પ્રકૃતિ)નું આ પૂર્વ આયોજિત યંત્ર (Pre-Programmed Machine) છે. એ કારાગૃહમાં સંસારી જીવો એ કેદીઓ છે. જેઓ ઈશ્વર ભક્તિ ચૂક્યા છે તેઓનો આ કર્મ-ફળ ચક્ર એ દંડ છે.
અંતે મુક્તિ એ જ (પુરાણ કથિત) વૈકુંઠ ધામ કે જ્યાંથી કોઈ પાછું સંસારમાં ફરીને આવતું નથી.

ચાલો કર્મ-યોગી બનીએ. આપણા સંચિત કર્મો (ઈશ્વર ભક્તિ ઈત્યાદી) સાધન દ્વારા બાળીને ખાખ કરીએ , અકર્મ તથા વિકર્મ ટાળીને નવા કર્મ-બંધનમાં ન પડીએ. માત્ર આવી પડેલ કર્મ (સ્વધર્મ) કુશળતાપૂર્વક નીતિથી, ની:સ્વાર્થ ભાવે કરીએ જે એક પ્રકારની ઈશ્વર ભક્તિ જ છે. આ સંસાર રૂપી કારાગૃહમાંથી મુક્તિ મેળવીએ.
