બ્રાહ્મણો-એકતા ને દેશપ્રેમ

[अलबेला शतक (अलबेला पंडित विरचित)]

બ્રાહ્મણો જ્ઞાનથી સમૃદ્ધ, દેશ અને ધર્મને અર્પિત, ત્યાગ અને સેવા કરનાર સંતસ્વભાવના મહાન પુરુષો છે; તેઓ ભારતની વિભૂતિ છે. સ્વાતંત્ર્યના યજ્ઞમાં અનેક મહાન પુરુષોએ પોતાના જીવનનું અર્પણ કર્યું. ધર્મ અને રાષ્ટ્રહિત માટે તેમનું યશ સમગ્ર પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. કલિયુગમાં સંગઠનમાં શક્તિ છે. સેવા, સંસ્કાર અને પરોપકારમાં નિરત બ્રાહ્મણો સમાજ માટે કલ્યાણદાયક બને છે. એકતા ક્યારેય દ્વેષ કે હિંસા માટે નથી; પરંતુ લોકકલ્યાણ અને સદુદ્દેશ્ય માટે થયેલી એકતા જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.


ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં અનેક બ્રાહ્મણોએ પોતાના જ્ઞાન, તપ, ત્યાગ અને રાષ્ટ્રપ્રેમ દ્વારા અવિસ્મરણીય યોગદાન આપ્યું. ચન્દ્રશેખર આઝાદ, બાલ ગંગાધર તિલક, વિનાયક દામોદર સાવરકર, પંડિત રામપ્રસાદ બિસ્મિલ, મંગળ પાંડે, ગોપાલ કૃષ્ણ ગોખલે, મદનમોહન માલવિયા, તાત્યા ટોપે, લાલ બહાદુર શાસ્ત્રી, રાજેન્દ્રપ્રસાદ, વિનોબા ભાવે વગેરે મહાન પુરુષોએ ભારતમાતાની સ્વતંત્રતા માટે જીવન સમર્પિત કર્યું. આ પરંપરા દર્શાવે છે કે બ્રાહ્મણત્વનો સાચો અર્થ માત્ર જાતિ નહિ પરંતુ જ્ઞાન, ત્યાગ, કર્તવ્ય, રાષ્ટ્રસેવા અને લોકકલ્યાણ છે.

બ્રાહ્મણ સમાજે માત્ર સ્વાતંત્ર્યસંગ્રામમાં જ નહિ પરંતુ શિક્ષણ, સંસ્કાર, સમાજસેવા, વૈદિક પરંપરાના રક્ષણ અને ગરીબોની સહાયમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વિવિધ બ્રાહ્મણ સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થિઓને સ્કોલરશીપ, સંસ્કૃત શિક્ષણ, વેદાધ્યયન, સમૂહલગ્ન, જનોઈ, ધાર્મિક ઉત્સવો, આરોગ્ય જાગૃતિ તથા સામાજિક સહાયના કાર્યો કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓનો હેતુ સમાજમાં સંસ્કાર, સહકાર અને સ્વાવલંબન વધારવાનો છે.


ભારતના સ્વતંત્રતા સંગ્રામ સેનાની (ભારતના ક્રાન્તિકારીઓ અને નેતૃત્વ કરનાર મુખ્યત્વે બ્રાહ્મણ હતા તે ભુલવું ના જોઈએ).

ક્રમનામબ્રાહ્મણ સમુદાય / પરંપરામુખ્ય યોગદાન
1ચન્દ્રશેખર આઝાદતિવારી બ્રાહ્મણહિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશનના અગ્રણી ક્રાન્તિકારી
2ગોપાલ કૃષ્ણ ગોખલેચિત્પાવન બ્રાહ્મણકોંગ્રેસના અગ્રણી નેતા, સમાજસુધારક
3ગોવિંદ વલ્લભ પંતકુમાઉની બ્રાહ્મણસ્વતંત્રતા સેનાની, સ્વતંત્ર ભારતના ગૃહમંત્રી
4ચક્રવર્તી રાજગોપાલાચારીતામિલ અય્યંગાર બ્રાહ્મણસ્વતંત્રતા સેનાની, ભારતના છેલ્લા ગવર્નર જનરલ
5ચાપેકર ભાઈઓચિત્પાવન બ્રાહ્મણપ્રારંભિક ક્રાન્તિકારી આંદોલનના અગ્રણીઓ
6કેશવ બળીરામ હેડગેવારદેશસ્થ બ્રાહ્મણસ્વતંત્રતા ચળવળમાં સહભાગી
7તાત્યા ટોપેદેશસ્થ બ્રાહ્મણ (વ્યાપક સ્વીકાર)1857ના સ્વાતંત્ર્ય યુદ્ધના મુખ્ય સેનાપતિ
8નરહરિ પારેખબ્રાહ્મણગાંધીવાદી કાર્યકર
9પંડિત મદન મોહન માલવિયાબ્રાહ્મણશિક્ષણવિદ, રાષ્ટ્રવાદી નેતા
10પંડિત રામ પ્રસાદ બિસ્મિલબ્રાહ્મણ તરીકે કેટલાક સ્ત્રોતોમાં ઉલ્લેખ, પરંતુ મતભેદ છેકાકોરી કાંડના ક્રાન્તિકારી
11બાબા રાઘવ દાસબ્રાહ્મણસ્વાતંત્ર્ય સેનાની અને સમાજસેવક
12બાલ ગંગાધર તિલકચિત્પાવન બ્રાહ્મણલોકમાન્ય તિલક, સ્વરાજ્યના પ્રણેતા
13બદ્રી દત્ત પાંડેકુમાઉની બ્રાહ્મણસ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર
14ભોલાદત્ત પાંડેકુમાઉની બ્રાહ્મણરાષ્ટ્રવાદી કાર્યકર
15મંગળ પાંડેસરયૂપારીણ બ્રાહ્મણ (વ્યાપક સ્વીકાર)1857ના વિદ્રોહના અગ્રદૂત
16મહાદેવ ગોવિંદ રાનડેચિત્પાવન બ્રાહ્મણસમાજસુધારક, રાષ્ટ્રવાદી વિચારક
17મોહનલાલ પંડ્યાબ્રાહ્મણખેડા સત્યાગ્રહના અગ્રણી કાર્યકર
18રાણી લક્ષ્મીબાઈમરાઠી બ્રાહ્મણ (તાંબે કુટુંબ)1857ની વીરાંગના
19રવિશંકર મહારાજબ્રાહ્મણગુજરાતના સ્વાતંત્ર્ય સેનાની
20લક્ષ્મીદત્ત શાસ્ત્રીબ્રાહ્મણસ્વાતંત્ર્ય ચળવળ સાથે સંકળાયેલા કાર્યકર
21વિનાયક દામોદર સાવરકરચિત્પાવન બ્રાહ્મણક્રાન્તિકારી, અભિનવ ભારતના સ્થાપક
22વિનોબા ભાવેસારસ્વત બ્રાહ્મણભૂદાન આંદોલનના પ્રણેતા
23વિષ્ણુ ગણેશ પિંગળેચિત્પાવન બ્રાહ્મણગદર આંદોલનના ક્રાન્તિકારી
24વાસુદેવ બળવંત ફડકેચિત્પાવન બ્રાહ્મણસશસ્ત્ર સ્વાતંત્ર્ય ચળવળના અગ્રદૂત
25શિવરામ હરિ રાજગુરુદેશસ્થ બ્રાહ્મણભગતસિંહના સાથી ક્રાન્તિકારી
26સેનાપતિ બાપટ (પાંડુરંગ મહાદેવ બાપટ)ચિત્પાવન બ્રાહ્મણક્રાન્તિકારી અને સ્વાતંત્ર્ય સેનાની
27સ્વામી સહજાનંદ સરસ્વતીભૂમિહાર બ્રાહ્મણખેડૂત આંદોલનના અગ્રણી નેતા

બ્રાહ્મણોની એકતા દર્શાવતા અનેક અતુલનીય ઉદાહરણો


ગુજરાત સરયૂપારીન બ્રાહ્મણ સમાજ 

http://saryupareenbrahman.com/index.aspx

બ્રાહ્મણોના ઉત્થાન માટે કાર્યરત એવી સંસ્થા


દંઢાવ્ય ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ

દર વર્ષે બાળકોને સ્કોલરશીપ અને ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકો તથા નાણકીય મદદ કરે છે.

શ્રાવણી પર્વ, ગરબા ઇત્યાદિ જેવા સામાજિક, ધાર્મિક ઉત્સવો યોજે છે.


શ્રી દંઢાવ્ય ઔદીચ્ય સહસ્ત્ર છોંતેર બ્રહ્મ સમાજ

https://das76bs.wordpress.com/

પ્રસન્નતા, વિકાસ અને સમૃદ્ધિમાં વિશ્વાસ ધરાવનાર એક નવી ઉભરતી સંસ્થા.

Vision

  • સંગઠન
  • સેવા
  • સહકાર

Mission

  • ઈશ્વરના સંદેશનો ભાગવત ઇત્યાદિ સાધનો દ્વારા પ્રાદુર્ભાવ કરવો
  • સમસ્ત સૃષ્ટિના કલ્યાણાર્થે બ્રાહ્મણોનું ઉત્થાન કરવું
  • સુસ્વાસ્થ્ય માટે જન જાગૃતિ લાવવી
  • સુસંસ્કૃત એવી ગુજરાતી ભાષાને વિસ્તરણાર્થે સમર્થન આપવું
  • ઉત્તમોત્તમ હેતુ સમાજના વધુમાં વધુ લોકોને સંમિલિત કરવા
  • ગરીબ, વૃદ્ધ તથા અપંગને યથાર્થ સ્વરૂપમાં મદદ પહોંચાડવી.

સમસ્ત બ્રાહ્મણ મહાસંઘ

http://www.samastabrahman.org/

સમૂહ લગ્ન, જનોઈ, સંસ્કૃત ક્લાસ સ્કોલરશીપ આપનાર આ સંઘ સમાજનો દરેક નાગરિક સુરક્ષિત, સંસ્કારી અને સુશીલ, સ્વાવલંબી, અણી સદ્ધાર, સેવા માટે સદૈવ તત્પર હોય, સમૃદ્ધ વિચારોથી સભર હોય, એવા સમાજની રચના માટે પ્રતિબદ્ધ છે.

શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ 
ગુજરાતના જરેક બ્રાહ્મણને આવકારનાર આ સંસ્થા પ્રત્યેક જરૂરતમંદને (લીગલ, મેડિકલ કે સામાજિક) શક્ય એટલી મદદ કરે છે.

વલ્લભ હોલ, સોલા ભાગવત વિદ્યાપીઠ, સોલા- સરખેજ હાઇવે, અમદાવાદ.

વેદ પાઠનો અભ્યાસ, ભારતીય સંસ્કૃતિની જાળવણી અને પ્રસાર, બ્રાહ્મણોનું ઉત્થાન, કર્મ-કાંડ ઇત્યાદિની શિક્ષા અને અભ્યાસના કાર્યક્રમો કરતી એક કીર્તિમાન સંસ્થા.


પરશુરામ પરિવાર

સરનામું :- સુમતિ હાઈસ્કુલ, ગણેશ મેરેડિયન બિલ્ડીંગની પાછળ, એમ.કે.ઝાલા કૉલેજની બાજુમાં, ચાણાક્યપુરી, અમદાવાદ.

બ્રહ્મ-સમાજના વિધ્યાર્થીઓ માટે અમદાવાદ ખાતે જી.પી.એસ.સી અને યુ.પી.એસ.સી ના તાલીમ વર્ગો જેવા કે વનરક્ષક, તલાટીમંત્રી, મામલતદાર, સચિવાલય અને બિન-સચિવાલય કલાર્ક જેવી પરિક્ષા માટે નિ:શુલ્ક ક્લાસ ચલાવે છે.

એકતા માત્ર સંખ્યાબળ માટે નહિ પરંતુ સદુદ્દેશ્ય માટે હોવી જોઈએ. સનાતન પરંપરામાં બ્રાહ્મણોનો આદર્શ હંમેશાં જ્ઞાન, શાંતિ, સેવા અને સમસ્ત સૃષ્ટિના કલ્યાણનો રહ્યો છે. આથી બ્રાહ્મણ એકતા કોઈ વિરુદ્ધભાવ કે આક્રમકતાનો માર્ગ નહિ પરંતુ પરસ્પર સહકાર, શિક્ષણ, ધર્મરક્ષણ અને સમાજઉન્નતિનું સાધન બનવી જોઈએ.


મિત્રો – ઉદાહરણો આપણી સમક્ષ છે. એક થવું એ એટલું મહત્વનું નથી જેટલું મહત્વનું છે કે “તમે કયા ઉદ્દેશ્ય હેતુ એક થાવ છો”. બ્રાહ્મણો કદીયે નકારાત્મક, હાનિ પહોંચાડે એવા, આક્રમક વિચારોને લઈને એક નહિ થાય. પરંતુ ઘણા સારા ઉદ્દેશ્ય માટે એક થઇ એક બીજાને મદદરૂપ પણ અવશ્ય થશે.