यज्ञभावसमायुक्तं कृतज्ञहृदयान्वितम् । यजुर्वेदः शुभं मार्गं ब्रह्मतत्त्वे नियच्छति ॥
शाखाभिर्विस्तृतं ज्ञानं मन्त्रैरर्थप्रबोधितम् । कर्मभक्तिसमायोगाद् मोक्षमार्गप्रदायकम् ॥
[अनुप गीता (अलबेला पंडित विरचित)]
યજ્ઞભાવથી યુક્ત અને કૃતજ્ઞ હૃદયવાળાને યજુર્વેદ શુભ માર્ગ બતાવી બ્રહ્મતત્ત્વ તરફ દોરી જાય છે. તેની શાખાઓ દ્વારા જ્ઞાનનો વિસ્તાર થયો છે અને મંત્રો દ્વારા તત્ત્વનો બોધ થાય છે. કર્મ અને ભક્તિના સંયોગથી તે મોક્ષમાર્ગનો પ્રદર્શક બને છે.
યજુર્વેદ એટલે – ઈશ્વરની સંનિધિની ભાવના સહીત, ઉત્તમોત્તમ ગુણવત્તા વાળા વિચારો ધારણ કરી, કૃતજ્ઞતાથી ભરપૂર મન બનાવી, યજ્ઞ-કર્મ રૂપી ભક્તિ દ્વારા પરમતત્વ સુધી પહોંચવા માટેનો સુસંસ્કારી, સુશિક્ષિત અને વૈજ્ઞાનિક માર્ગ. [અનુપ બાળકૃષ્ણ જાની]
યજુર્વેદ ધ્યાન
अजास्य: पीतवर्ण: स्याध्यजुर्वेदोSक्षसूत्रधृक् । वामे कुलिशपाणिस्तु भूतिदो मङ्गलप्रद: ।।
(શુક્લ)યજુર્વેદમાં કુલ 1975 મંત્રો છે.
યજ્ઞ-કર્મ ઉપરનો આ વેદ બે પ્રકારના સંપ્રદાયોમાં વહેંચાયેલો છે.
કૃષ્ણ યજુર્વેદ [બ્રહ્મ-સંપ્રદાય] (અને તેની ચાર શાખાઓ)
1. તૈત્તેરીય શાખા
2. મૈત્રાયણી શાખા
3. કઠ શાખા
4. કપીષ્ઠલ- કઠ શાખા
શુક્લ યજુર્વેદ [આદિત્ય-સંપ્રદાય] (અને તેની બે શાખાઓ)
1. માધ્યન્દિન શાખા – 40 અધ્યાય, 303 અનુવાક, 1975 કંડિકાઓ (મંત્રો)
2. કાણ્વ શાખા – 40 અધ્યાય, 328 અનુવાક, 2086 કંડિકાઓ (મંત્રો)
મંત્રાનુક્રમસૂચિ
















હે વેદાભ્યાસીઓ! ખૂંદી વળો વેદોને. ડૂબકી લગાવો આ અમૃત સાગરમાં !!

