યજુર્વેદ


[अनुप गीता (अलबेला पंडित विरचित)]

યજ્ઞભાવથી યુક્ત અને કૃતજ્ઞ હૃદયવાળાને યજુર્વેદ શુભ માર્ગ બતાવી બ્રહ્મતત્ત્વ તરફ દોરી જાય છે. તેની શાખાઓ દ્વારા જ્ઞાનનો વિસ્તાર થયો છે અને મંત્રો દ્વારા તત્ત્વનો બોધ થાય છે. કર્મ અને ભક્તિના સંયોગથી તે મોક્ષમાર્ગનો પ્રદર્શક બને છે.


યજુર્વેદ એટલે – ઈશ્વરની સંનિધિની ભાવના સહીત, ઉત્તમોત્તમ ગુણવત્તા વાળા વિચારો ધારણ કરી, કૃતજ્ઞતાથી ભરપૂર મન બનાવી, યજ્ઞ-કર્મ રૂપી ભક્તિ દ્વારા પરમતત્વ સુધી પહોંચવા માટેનો સુસંસ્કારી, સુશિક્ષિત અને વૈજ્ઞાનિક માર્ગ. [અનુપ બાળકૃષ્ણ જાની]


યજુર્વેદ ધ્યાન 

ભગવાન યજુર્વેદ બકરાના સમાન મુખ વાળા, પીતવર્ણ વાળા તથા અક્ષમાળા ધારણ કરવા વાળા છે. તેઓએ એમના ડાબા હાથમાં વજ્ર ધારણ કરેલ છે. એ સર્વ પ્રકારના ઐશ્વર્ય અને મંગળ પ્રદાન કરનારા છે.

(શુક્લ)યજુર્વેદમાં કુલ 1975 મંત્રો છે.


યજ્ઞ-કર્મ ઉપરનો આ વેદ બે પ્રકારના સંપ્રદાયોમાં વહેંચાયેલો છે.

કૃષ્ણ યજુર્વેદ [બ્રહ્મ-સંપ્રદાય] (અને તેની ચાર શાખાઓ)

1. તૈત્તેરીય શાખા

2. મૈત્રાયણી શાખા

3. કઠ શાખા

4. કપીષ્ઠલ- કઠ શાખા

શુક્લ યજુર્વેદ [આદિત્ય-સંપ્રદાય] (અને તેની બે શાખાઓ)

1. માધ્યન્દિન શાખા – 40 અધ્યાય, 303 અનુવાક, 1975 કંડિકાઓ (મંત્રો)

2. કાણ્વ શાખા – 40 અધ્યાય, 328 અનુવાક, 2086 કંડિકાઓ (મંત્રો)


મંત્રાનુક્રમસૂચિ

યજુર્વેદના અભ્યાસીઓ માટે સરળતાથી શ્લોકો શોધવા માટે મંત્રાનુક્રમસૂચિ એક પ્રકારની અનુક્રમણિકા જેવી જ છે. ધારીલો કે તમારી પાસે અર્થસહિત યજુર્વેદનું આખું પુસ્તક છે ધારોકે તમને “गणानांत्वा गणपति  … ” શ્લોક શોધવો છે કે કયા અધ્યાયમાં કેટલામો છે. અને એનો અર્થ પણ. (ક, ખ, ગ  … કક્કો પ્રમાણે મંત્રાનુક્રમસૂચિમાં શ્લોક શોધી લો.અને તેનો અધ્યાય ઇત્યાદિ જાણી લો). આ મંત્રાનુક્રમસૂચિ તમે તમારા સ્માર્ટફોનમાં પણ રાખી શખો છો. આવશ્યકતા મુજબ શ્લોક શોધી લેવાય.

indexstart


538


539


540


541


542
543


544
545


546


547
548


549


550


551


552


હે વેદાભ્યાસીઓ! ખૂંદી વળો વેદોને. ડૂબકી લગાવો આ અમૃત સાગરમાં !!