ઋગ્વેદ

ઋગ્વેદ એટલે “વૈદિક સાહિત્ય” નો વેદ 


ઋગ્વેદ ધ્યાન 

ऋग्वेद: श्वेतवर्ण: स्याद् द्विभुजो रासभानन: |
अक्षमालायुत: सौम्य: प्रीतश्चाध्ययनोद्यत:  ||
ભગવાન ઋગ્વેદ શ્વેત વર્ણ વાળા છે. એમની બે ભુજાઓ છે અને મુખાકૃતિ ગર્દભના સમાન છે. એ અક્ષમાળાથી સમન્વિત, સૌમ્ય સ્વભાવ વાળા, પ્રસન્ન રહેવા વાળા અને સદા અધ્યયનમાં નિરત રહેવા વાળા છે.

ઋગ્વેદમાં કુલ  10650 મંત્રો છે.


ઋગ્વેદની શાખાઓ

વ્યાકરણ મહાભાષ્ય પ્રમાણે ઋગ્વેદની 21 શાખાઓ હતી જેમાંથી શૌનક ઋષિના સમય સુધી પાંચ શાખાઓ સચવાઈ રહી હતી.

1. શાક્લ શાખા

2. વાષ્ક્લ શાખા

3. આશ્વલાયન શાખા

4. શાંખાયન શાખા

5. માન્ડૂકાયન શાખા


ઋગ્વેદના સૂક્તો પાંચ વિભાગમાં વહેંચાયેલ છે.

1. આધ્યાત્મિક – દાર્શનિક સૂક્તો
2. સંવાદ સૂક્તો
3. ઊર્મિપ્રધાન સૂક્તો
4. પ્રાર્થના પ્રધાન સૂક્તો
5. ધર્મનિરપેક્ષ સૂક્તો