વિવાહ-સંસ્કાર સમયે એક તબક્કો “સપ્ત-પદી” નો આવે છે જેમાં પતિ અને પત્ની એક બીજાને નીચે પ્રમાણે વચન બદ્ધ થાય છે.
1. હું મારા જીવન સાથી ને છેતરીશ નહિ અને એનાથી છેતરાઈશ પણ નહિ
2. હું મારા જીવન સાથીના સગા-સંબંધીઓને મારા સગા-સંબંધીઓ સમાન માન આપીશ.
3. અમે અરસપરસ મન-ભેદ કે મત-ભેદ નહિ રાખીએ.
4. મારી સ્થાવર જંગમ મિલકતમાં સરખો ભાગ રાખીશું.
5. પશુધન વ્યવસ્થા, ગૃહિણીનું કાર્ય, ધંધો વ્યાપારમાં વગેરેમાં એક બીજાને મદદ રૂપ થઈશું.
6. ઋતુ પ્રમાણે ધાર્મિક કાર્યો કરીશું.
7. પર-સ્ત્રી કે પર-પુરુષનું ચિંતન નહિ કરીએ.
આવો ફરી એક વાર અને દર વર્ષે પોતાના જીવન સાથીને આ વચનો આપતા-લેતા રહી યાદ દેવડાવતા રહીએ અને પોતાની ફરજો પ્રત્યે સભાનતા કેળવીએ. પ્રમાણિક પણે ઉપર પ્રમાણેના આચરણથી વિશેષ બીજી શું ભેંટ આપી શકો?