વેદના મંત્રો વિના યજ્ઞનું અનુષ્ઠાન શક્ય નથી, અને યજ્ઞ વિના વેદ ના રહસ્યાર્થને પામી શકાય તેમ નથી. યજ્ઞહીન વ્યક્તિ વિદ્વાન હોય તો પણ તેની સમક્ષ ભગવતી શ્રુતિ પોતાના સ્વરૂપને અનાવરિત કરતી નથી, વેદનું અધ્યયન યજ્ઞહીન પુરુષ માટે નથી, યાજ્ઞિકો માટે છે, વેદ માત્ર વિદ્વાનો માટે નથી.
યજ્ઞ = ત્યજ -> યજ + જ્ઞ
24 અવતારોમાંના એક યજ્ઞાવતર પણ છે જેને વિષ્ણુનું જ સ્વરૂપ માનવામાં આવે છે.
” यज्ञो वै विष्णु: | ”
અહીં “આદિ યજ્ઞ” – એટલે “સૃષ્ટિ રચના”, જે યજ્ઞનું સર્વોચ્ચ એવું સ્વરૂપ છે અને શુક્લ યજુર્વેદ અધ્યાય 31 (પુરુષ સૂક્ત) માં વર્ણવેલું છે.
યજ્ઞનું સાંગોપાંગ અનુષ્ઠાનના પરિણામ સ્વરૂપ એક “અપૂર્વ” નામનું સૂક્ષ્મ તત્વ ઉત્પન્ન થાય છે જે કદી નિષ્ફળ જતું નથી અને યજમાનને આ જન્મે અથવા જન્માંતરે અવશ્ય પ્રાપ્ત થાય છે.
આહુતિ દ્રવ્ય કોઈ પણ પદાર્થનું ન બની શકે.
જે બુદ્ધિને સર્વથા અગમ્ય છે, તેને આર્ષદૃષ્ટિ જોઈ શકે છે. “પ્રતીક અને પ્રતીકમાન વચ્ચે રહસ્યપૂર્ણ સૂક્ષ્મ તંતુ હોય છે જેની ગોઠવણ મનની કલ્પના કે બુદ્ધિ પૂર્વક વિચારીને થતી નથી. સૂક્ષ્મ જગતના રહસ્યોને ભેદનારી આર્ષ (ઋષિ સંબંધી) દ્રષ્ટિથી પ્રતીક યોજનાનું દર્શન થાય છે. બહિરરંગ યજ્ઞક્રિયા વિકસતા વિકસતા અંતરંગ યજ્ઞનું સ્વરૂપ ધારણ કરે છે અને તે સાથે જ સ્થૂળ ક્રિયા ધીમે ધીમે સૂક્ષ્મ ક્રિયામાં પરિણમે છે. અને આ સૂક્ષ્મ ઘટના પ્રતીક દ્વારા પ્રતીકમાન સુધી પહોંચે છે. આ ઘટનાનો સ્થૂળ રીતે સાબિત કરવાનો આપણી પાસે કોઈ ઉપાય નથી. અધ્યાત્મજગતમાં તો અનુભૂતિ અને શ્રુતિ જ પ્રમાણ છે. માટે શ્રદ્ધાપૂર્વક ઉપાસના દ્વારા આ ઘટનાને અનુભવીને સમજી શકાય છે. આમ વ્યક્તિનો પરમતત્વ સાથે સંબંધ સિદ્ધ કરવા માટેનું સાધન બનવાનું સામર્થ્ય યજ્ઞમાં છે”. [ભાણદેવ, યજુર્વેદ દર્શન]
[આશ્વલાયન શ્રૌતસૂત્ર (4-16) ની સોમયજ્ઞ-સંસ્થા અંતર્ગત]
જેમ વાછરડું જન્મે ને તરત જ તે ગાયના સ્તનને ઈચ્છે છે, તેમ જ જન્મ ધારણ કરતા જ અગ્નિ, અધ્વર્યુ અને યજમાન તરફ જુએ છે. તે વખતે ગૃહસ્થ હોમ કરીને અગ્નિને તેનો ભાગ આપીને શમાવે છે. [ભાણદેવ, યજુર્વેદ દર્શન]
1. હોતા –સ્તુતિપરક મંત્રો દ્વારા દેવતાઓનું આહવાન કરે, જેના મંત્રોનું સંકલન “ઋગ્વેદ – સંહિતા” કહેવાઈ. આનો ઉપદેશ ભગવાન વેદવ્યાસે તેમના શિષ્ય “પૈલ” ને કર્યો.
2. અધ્વર્યુ – યજ્ઞનું સંપાદન કરે તથા ગદ્યાત્મક યજુષોનું ઉપાંશુ રૂપે ઉચ્ચારણ કરે, જેના મંત્રોનું સંકલન “યજુર્વેદ – સંહિતા” કહેવાઈ. આનો ઉપદેશ ભગવાન વેદવ્યાસે તેમના શિષ્ય “વૈશમ્પાયન” ને કર્યો.
વસોર્ધારા, બહીષ્પવમાન, હોમાંત-પ્રાર્થના, સ્વિષ્ટકૃત હોમ, સાંગતા હોમ, અગ્નિ-ઉપસ્થાન, વિભૂતિ ગ્રહણ, ઉત્તર-અગ્નિપૂજન, સમારોપ, અભિવાદન, ઇત્યાદિ.
હવન વિધિ
સંખ્યા | યજ્ઞનું નામ | અધ્યાય – કંડિકા |
1 | દર્શપૌર્ણમાસ | 1.1 – 2.28 |
2 | પિતૃયજ્ઞ | 2.29 – 2.34 |
3 | અગ્ન્યાધેય | 3.1 – 3.8 |
4 | અગ્નિહોત્ર | 3.9 – 3.10 |
5 | યજમાનાગ્નિ | 3.11 – 3.36 |
6 | આગતોપસ્થાન | 3.37 – 3.43 |
7 | ચાતુર્માસ્ય | 3.44 – 3.63 |
8 | અગ્નિષ્ટોમ | 4.1 – 8.32 |
9 | સત્રોપસ્થાન | 8.51 – 8.53 |
10 | નૈમિત્તિક | 8.54 – 8.63 |
11 | વાજપેય | 9.1 – 9.34 |
12 | રાજસૂય | 9.35 – 10.30 |
13 | ચરક સૌત્રામણી | 10.31 – 10.34 |
14 | અગ્નિચયન | 11 – 18 |
15 | સૌત્રામણી | 19 – 21 અને 28 |
16 | અશ્વમેધ | 22 – 25 અને 29 |
17 | અગ્નિ-અધ્યાય | 27 |
18 | પુરુષમેધ | 30 અને 31 |
19 | સર્વમેધ | 32 |
20 | અનારભ્યાતીત | 33.55 – 34.58 |
21 | પિત્રોઅધ્યાય | 35 |
22 | પ્રવર્ગ્યાગ્નિકાશ્ચ મેઘોપનિષત | 36 |
23 | મહાવીર-સંભરણ | 37 |
24 | મહાવીર-નિરૂપણે ધર્મધુગદોહન | 38 |
25 | પ્રવર્ગ્યે ધર્મભેદે પ્રાયશ્ચિત | 39 |
26 | ઈશાવાસ્યોપનિષદ | 40 |
સંદર્ભ: