(अलबेला पंडित विरचित) લખાઈ રહી છે…
ભક્તિમાન એ જ શક્તિમાન
रामनामापि रामादधिकं जगतः स्मृतम्। तद्वद् हि हनुमद्भक्तिर्हनूमदपि गौरवी॥
જેમ રામનું નામ રામ કરતાં પણ મહાન છે, તે જ રીતે હનુમાનજીની રામ પ્રત્યેની ભક્તિ હનુમાનજી કરતાં પણ વધુ મહિમાવાન છે.
અધ્યાત્મ એક ઉચ્ચતમ સાધન
न लोकस्यानुकूल्याय अध्यात्मं साधनं मतम् । स्वचित्तनिवृत्त्यर्थं तदाश्रयविवर्जनम् ॥
અધ્યાત્મ દુનિયાને સુધારવા માટેનું સાધન નથી; પણ પોતાનાં મનની નિવૃત્તિ અને દુનિયા ઉપરની આધારતા દૂર કરવા માટે છે.
Spirituality doesn’t make things in physical world better for observer. It rather makes the observer himself better who is observing all this physicality and deluded by it. Why should Shastras care for and bring any value to the mundane life of ignorant Jiva in physical world? Never! It is not designed for that. It is designed for upliftment of the Jiva, not better his ignorant life. Its purpose then, otherwise would be self-defeating.
મનશાંતિ જ સુખ
न घटनाफलं सुखं नापि तस्य स्थितिर्मता । चित्तविक्षेपशान्त्यैव सुखमित्यभिधीयते ॥
સુખ ઘટના કે તેના પરિણામથી નથી મળતું, ન તો તેની સ્થિતિથી; પણ માત્ર મનના વિકષેપની શાંતિથી જ સુખ કહેવાય છે.
અવિદ્યાનિવૃત્તિથી બ્રહ્મદર્શનનો દૃષ્ટાંત
रङ्गोपनेत्रनिवृत्तौ यथार्थं दृश्यते जगत् । अविद्यानिवृत्तौ तु ब्रह्मरूपं जगद्भवेत् ॥
જ્યારે રંગીન ચશ્મા દૂર થાય છે ત્યારે જગત જેમ છે તેમ દેખાય છે; અને જ્યારે અવિદ્યા દૂર થાય છે ત્યારે જગત બ્રહ્મરૂપ તરીકે અનુભવાય છે.
વિવેકથી યથાર્થદર્શનનું તત્ત્વ
दृष्ट्या भौतिकया वस्तु मनोविषयतां व्रजेत् । विवेकेन तु तत्त्वं स्यात् यथाभूतं प्रकाशते ॥
ભૌતિક દૃષ્ટિથી વસ્તુ મનનો વિષય બની જાય છે; પણ વિવેકથી તત્વ જેમ છે તેમ સ્પષ્ટરૂપે પ્રગટ થાય છે.
यथा ऋतूनां परिवर्तमाने शीतोष्णदुःखं शमयन्ति धीराः ।
तथा ग्रहाणां परिवर्तकाले दुःखस्य शान्त्यै विधयः क्रियन्ते ॥
ગ્રહદશામાં શાસ્ત્રોક્ત નિવારણ કરવું
જેમ ઋતુ બદલાય ત્યારે ઠંડી અને ગરમીના કષ્ટને ઓછા કરવા માટે ઉપાય કરીએ છીએ,
તેમ જ ગ્રહોની દશા બદલાય ત્યારે કષ્ટને શાંત કરવા માટે શાસ્ત્રોક્ત ઉપાય કરવો જોઈએ.
