16 સંસ્કાર (ષોડસંસ્કાર) – ને લગતા પ્રશ્નો
પ્રશ્ન –
છોકરીની ગ્રહશાંતિ લગ્નના આગલા દિવસે કરી શકાય? કે લગ્નના દિવસે જ કરવી?
ઉત્તર –
પેલાનાં જમાનામાં અઠવાડિયું કે 15 દિવસ પહેલા ગ્રહ શાંતિ થતી હતી. એટલે જરૂરી નથી કે એ જ દિવસે કરો, પરંતુ સમસ્યા એ છે કે, એક વાર લગ્ન માટે ગ્રહ શાંતિ થાય, પછી છોકરી કે છોકરાથી લગ્નના દિવસ પહેલા ઘરની બહાર જવાય નહિ. માટે સગવડ સાચવવા આગલા દિવસે કે એ દિવસે કરતા થયા.
એટલું જ નહિ, પહેલા તો લગન નક્કી થયાં પછી જાન લઇ ને આવવાનો દિવસ નક્કી થતો જાન આવી જાય પછી જ છોકરી ની પીઠી ચૉળાતિ અને ગ્રહશાંતિ થતી એક વાર જો પીઠી ચોળાઇ જાય તૌ લગ્ન કરવાજ પડે એ નિયમ ને કારણે જાન આવ્યાં પછી જ બધુ કરતા હતાં.
પ્રશ્ન –
વિઘવા માતા ગ્રહશાન્તિ અને દીકરી ના વિવાહ સંસ્કાર કરાવી શકે ?
ઉત્તર –
કન્યા દાન સંકલ્પમાં સહભાગી થઇ શકે. પરંતુ અખંડ “સૌભાગ્યવતી ભવ:” ના આશીર્વાદ એક સૌભાગ્યવતી આપે એ સારું.