પ્રશ્ન –
પરંતુ માત્ર એકલા ૐ નું ઉચ્ચારણ સંસારીઓ માટે નથી, પરંતુ મુમુક્ષુઓ અને સન્યાસીઓ માટે છે. ૐ નું ધ્યાન કરવાથી ઈશ્વર તરફ તીવ્ર ગતિ થઇ, સંસાર પ્રત્યે વૈરાગ આવે છે અને સંસારી પુરુષોનું સંતુલન બગડે છે.
સૌ પ્રથમ તો – સૂત્ર અને તાંતણા એ બંનેમાં તફાવત જાણો. પ્રત્યેક જનોઈમાં એક ગાંઠ હોય છે જેમાં 3 સૂત્રો હોય છે. આમાના પ્રત્યેક સૂત્રમાં 3 તાંતણા હોય છે. એટલે કુલ 9 તંતુઓ હોય છે માટે જ યજ્ઞોપવિત ધારણ વખતે 9 દેવતાઓનું તેમાં આહવાન કરવાનું છે. હવે પરણેલ વ્યક્તિ આવી બે જનોઈ એક સાથે પહેરે અને વેદાભ્યાસી 3 પહેરે.
પ્રશ્ન –
ગુજરાત મા અમાસ પછી નવો મહિનો શરૂ થાય જ્યારે રાજસ્થાન માં પૂનમ પછી. ગુજરાત માં સંદેશ અને જન્મભુમિ પંચાંગ પ્રમાણે ચાલીયે તો અમાસ પછી મહિનો બદલાય છે. તો તે પ્રમાણેજ કાર્ય થાય. જે પ્રદેશમાં જે પંચાંગ પ્રસિદ્ધ હોય તે પ્રમાણે તિથિ અને વાર લેવા જોઈએ.
પ્રશ્ન એ છે –
“પહેલા ધ્યાન કરવું અને પછી આહવાન કરવું?”
કે
“પહેલા આહવાન કરવું અને પછી ધ્યાન કરવું?”
ઘણાના મતમતાંતર જોયા છે.
ઘણા પુસ્તકોમાં ધ્યાન પછી આહવાન છે – પરંતુ અમુક વરિષ્ઠ ભૂદેવોનું કહેવું છે કે પહેલા આહવાન અને પછી ધ્યાન. સાચું અને યોગ્ય શું?
આહવાન ના પહેલા દેવી-દેવતાઓ એમના યથા સ્થાને અપ્રત્યક્ષ, અદ્રશ્ય અને નિરાકાર હોય છે. આવામાં ધ્યાન શેનું કરશો? આહવાન કરવાથી દેવતા પ્રકટ થાય છે જેનું પ્રત્યક્ષ અને ચોક્કસ રૂપ હોય છે. એનું જ ધ્યાન, આસાન, પાદ ઇત્યાદિ સંભવ થાય છે. આહવાન કરતી વખતે એમનો વિચાર થાય છે પરંતુ ધ્યાન તો તેમના રૂપ રંગનું થાય છે જે આહવાન પશ્ચાત જ સંભવ છે. માટે પહેલા આહવાન અને પછી ધ્યાન. ગાયત્રી સંધ્યા કરતી વખતે પહેલા આવાહન થાય છે, પછી ન્યાસ ઇત્યાદિ પછી, જાપ કરતા પહેલા ધ્યાન કરવામાં આવે છે.
આમ છતાં અમુક વિદ્વાન ભૂદેવો ના કહેવા પ્રમાણે ધ્યાન પહેલા કરાય – કારણકે જે સ્વરૂપમાં ધ્યાન કરો એ સ્વરૂપમાં દેવતા પ્રકટ થાય. અને, એક વાર દેવતા આવે તો તુરંત મહેમાન આવ્યા એમ આસાન, પાદ્ય, અર્ઘ્ય ઇત્યાદિ ચાલુ કરી દેવું પડે.
માટે પોતાનો વિવેક વાપરી, પોતાના ગુરુને યાદ કરી કર્મ કરવું.
ઉત્તર-
ચોક્કસ કરી શકે…એમા કોઈ શંકા ને સ્થાન નૈ
પ્રશ્ન-
ઉત્તર-
ઘરના / પાર્થિવના શિવલિંગનો સ્પર્શ દોષ નથી પણ પ્રતિષ્ઠિત લિંગ નો સ્પર્શ ” દોષ ” ગણાય છે
ઉત્તર-
રુદ્રાક્ષ વૈરાગ્યનું પ્રતીક છે ,શાસ્ત્ર પ્રમાણે લગ્ન બાદ સ્ત્રીએ શરીરના દરેક અંગે આભૂષણ તેમજ સૌભાગ્ય દ્રવ્યો ધારણ કરવા. માત્ર બ્રહ્મચર્યાંશ્રમ /સંન્યસ્ત આશ્રમમા અને વિધવા હોઇ તો પહેરી શકાય.
પ્રશ્ન-
ઉત્તર-
મદન ફળનું પૂજન જેવું કાંઈ નથી. એ તો ગ્રહ શાંતિ સમયે રાખવામાં આવે છે જેથી વર / વધુને તકલીફ ન પડે. નવચંડી વખતે મદન ફળ રાખવું એ એક તર્ક માત્ર છે. આવશ્યક નથી.