કર્મ-કાંડ ક્ષેત્રની અડચણો

A – જજમાનો તરફના ખોટા આચરણ – 
1. જજમાનો 10 બીજી અલગ અલગ જગ્યાએથી કોટેશન લઇ, જ્યા સસ્તું થતું હોય તે ભૂદેવ જોડે કર્મ કરાવે છે.
2. નક્કી કર્યા પ્રમાણે ની દક્ષિણા આપતા નથી અને ભૂદેવો અસંતુષ્ટ રહે છે.
3. જજમાનો સમય સાચવતા નથી જેથી કરીને ભૂદેવોએ ટૂંક સમયમાં સંક્ષિપ્તમાં વિધિ સમાપ્ત કરવી પડે છે. વરરાજા આવે એટલે વેદી ઉપર આવતા પહેલા બહુ વાર લગાડે છે, ઢોલીડાઓ આગળ બહુ ટાઈમ પાસ કરે છે અને પંડિતને ઉતાવળ કરાવે છે.
4. ભજન ગાયક અને ઢોલીડાઓ આગળ પૈસા ઉડાડે છે પરંતુ ભૂદેવને ઓછી દક્ષિણા આપે છે.
5. કર્મ સમાપ્ત થયા પછી ભૂદેવોની કોઈ કિંમત જ નથી  કરતા દક્ષિણા આપી દીધા પછી તો બિલકુલ નહિ. જરા 10 મિનિટ પાસે બેસીને કર્મ સંબંધી વાર્તાલાપ કરવો જોઈએ. સારું લાગે.
6. જજમાનો બ્રાહ્મણોને તુચ્છ દ્રષ્ટિથી જોવે છે. બ્રાહ્મણ ભલે તમારે ઘેર આવીને બે મંત્રો બોલે પરંતુ હંમેશ તે પૂજ્ય જ હોવો જોઈએ આવું જજમાનોએ સમજવું જોઈએ.
7. હોટેલમાં તો જજમાન (કેટલું વાસી છે તે ન પૂછતા) બધું ખાઈ પીને ટીપ આપે છે. અને બ્રાહ્મણને કર્મ વખતે વખોડે છે. એવું ના કરવું જોઈએ.
8. દશેરા જેવા કોઈ દિવસે જજમાનને કોઈ કર્મ કરાવવું હોય અને જો એક ભૂદેવ કહે કે કોઈ મુહૂર્ત નથી, તો પછી તે બીજા ભૂદેવ પાસેથી મુહૂર્ત કઢાવી ને કરી નાખે છે.
9. કર્મ કરતા પહેલા કર્મ કાંડી બ્રાહ્મણોનું નામ, ગોત્ર, મૂળ ગામ ઇત્યાદિ પૂછવા જોઈએ, શું ખબર જે બ્રાહ્મણો નથી હોતા તેઓ પણ આ ક્ષેત્રમાં ઉતરી જાય છે અને કર્મ કાંડી બ્રાહ્મણોની આજીવિકા ઉપર તરાપ મારે છે. તેઓને શાસ્ત્રો અને વેદો વિષે ખાસ લગાવ ન હોવાથી ગમે તેમ નીતિ નિયમોને તોડે મરોડે છે.

B – ભૂદેવો તરફના ખોટા આચરણ – 
જેમ ઊંટ બીજા પ્રાણીઓની ખોટ કાઢતું હતું અને શિયાળે કીધું કે બધાના તો 1 અંગ વાંકા અને આપના અઢાર અંગ વાંકા છે, એવી રીતે કોઈ શિયાળ કહે એ પહેલા આપણા પોતાના 18 અંગો સરખા કરવાની જરૂર છે.

આપણે માત્ર અંદર અંદર ભૂદેવો વચ્ચે સમજવા જેવી બાબતો-

1. કર્મ લેવા ખાતર ઓછા / કાચા જ્ઞાનથી કદી કરવું નહિ. જે લો એને પાક્કું સારી રીતે કરો.
2. સસ્તામાં પતાવીને દક્ષિણાનો રેટ તોડી નાખવો નહિ.
3. જનોઈ, નૈવેદ્ય, શ્રીફળ જેવી વસ્તુઓ એક કર્મ માટે વાપરી હોય તે ફરીથી વાપરવી નહિ.
4. કર્મ કરતા પહેલા યજમાનોને વર્ણન કરીને કર્મનું મહાત્મ્ય સમજાવવું.
5. કર્મકાંડી ભૂદેવોએ બહારનું હોટેલનું ખાવાનું ટાળવું
6. ભૂદેવો નિયમિત સંધ્યા ઇત્યાદિ જેવા નિત્ય કર્મો કરતા રહેવા
7. તમ્બાકુ અને માવો ખાવાનું બંધ કરો, અને યજમાન ની સામે તો બિલકુલ નહિ.
8. કર્મ વખતે (યજમાન ને કંટાળો ન આવે માટે) હાસ્યરસ કરો પણ અતિશય મર્યાદામાં.
9. બ્રાહ્મણોએ જ બ્રાહ્મણોની ભૂલો લોકોની સામે કદી ન કાઢવી
10. સિનિયર લોકો એ જુનિયરને યજમાન સમક્ષ પોતાનું પ્રભુત્વ પુરવાર કરવા એને નીચો પાડવા તિરસ્કૃત વર્તન કરવું નહિ. ન આવડે તો શીખવાડવું, પરંતુ લોકોની સમક્ષ એનું અપમાન ન જ કરવું.
11. પોતાની વિદ્વતા બતાવવા માટે યજમાનનું ચાલુ કર્મ છોડી પોતાની સંધ્યા કરવા બેસી ન જવું.
12. બીજા ભૂદેવોને કમાવાનો મોકો આપવો, જો તમારા કરતા એ કર્મ સારી રીતે કરી જાણે, તો એને મોકો આપો. અને તમે બીજી વાર માટે વધુ સારી રીતે તૈયાર થાવ
13. મારી મચડીને યજમાનની પ્રસન્નતા માટે જબરદસ્તીના મુહૂર્ત કદી કાઢી ન આપવા.
14. કર્મકાંડી બ્રાહ્મણો પોતાના સંતાનોને વેદ પાઠ, સંધ્યા કરાવો.
15. યજમાન પક્ષે જાણકાર ઘણા હોય છે પરંતુ કઈ બોલતા નથી અને મૌન રહી બધું નિરીક્ષણ કરતા હોય છે. ઘણાના ઉચ્ચારણ ખોટા અને અધૂરા હોય છે. આ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે.
16. કર્મ શરુ કરતા પહેલા યજમાનની અનુમતિ માંગતા હોય છે કે કર્મ પૂરેપૂરું કરું કે સંક્ષિપ્તમાં કરું? એવું ન પૂછવું જોઈએ, જેટલો સમય લાગે એટલો લાગે જ.
17. યજમાનની સામે પોતે “મને અમુક નથી આવડતું” એ પૂછ્યું ન હોય તો પણ સામેથી કહી દે છે. આવું ટાળવું જોઈએ. છાપ સારી ન પડે.
18. યાત્રા દરમ્યાન શર્ટ પેન્ટ ઠીક છે પણ કર્મ કરવા હોય તો ધોતિયું પહેરવાનું રાખો. મારા મોટીબાના અગ્નિસંસ્કાર વખતે ભૂદેવ પેન્ટ પહેરી ને આવેલ. અને પેન્ટ પહેરીને કર્મ કર્યું હતું જે અમારા બધા લોકોએ ખૂબ વખોડ્યું.
આટલું કર્યું, તો બ્રાહ્મણ ની છાપ ઉત્તમ પડશે સમાજમાં, યાદ રાખો આપણે જ શાસ્ત્રો ને અને ધર્મને સમાજમાં રી-પ્રેઝન્ટ કરીએ છીએ. જો આપણામાં કચાશ દેખાશે, તો લોકો શાસ્ત્રો અને ધર્મો ની ઉપેક્ષા કરતા થઇ જશે. અને આપણેજ આપણા પગ ઉપર કુહાડી મારશું.

 

C – અન્ય બાહ્ય અડચણો અને મુશ્કેલીઓ 

1. પટેલો અને વાણિયાઓ જ્યોતિષ શીખી લે છે અને સાથે સાથે કર્મ કાંડ કરતા થઇ જાય છે.
2. લગ્ન ઇત્યાદિ પ્રસંગ વખતે કેમેરા વાળા બહુ જ ડિસ્ટર્બ કરતા હોય છે અને કર્મની લિંક તૂટી જાય છે.
3. માર્કેટમાં હરીફાઈ એટલી બધી છે કે જ્ઞાની વિદ્વાનોને ભાગે વારુણી આવે છે અને નૌશીખીયાઓ મોટા કર્મ લઇ જાય છે.

4. કોઈ વાર મુખ્ય ભૂદેવ સાથે જજમાનનું ન જામે તો બીજા ભૂદેવની સાથે એને એ જ જજમાનના કર્મમાં વારુણી માટે આવવું પડે છે જે ખૂબ શરમજનક અને દુ:ખદાયી બાબત છે.