બ્રહ્માંડની રચનાનું (પૌરાણિક) વર્ણન

[अलबेला शतक (अलबेला पंडित विरचित)]

આ સનાતન બ્રહ્માંડ દસ દિશાઓમાં અંડાકાર સ્વરૂપે સ્થિત છે. દિક્પાલો તેનું રક્ષણ કરે છે અને શેષનાગ તેને પોતાના ફણાઓ ઉપર ધારણ કરે છે. વૈકુંઠથી નીચે ચૌદ લોકોની રચના વર્ણવાઈ છે. તેમાં ભૂલોક કર્મભૂમિ અને મોક્ષપ્રાપ્તિનું વિશેષ સ્થાન છે. અતળથી પાતાળ સુધીના લોકોમાં દૈત્ય અને નાગો વસે છે. પાતાળમાં બલિરાજાનું રાજ્ય છે અને શેષનાગ સમગ્ર આધારરૂપ છે. પૃથ્વી જળમાં, જળ વાયુમાં સ્થિત છે; અંતે સમગ્ર સૃષ્ટિ બ્રહ્મમાં વ્યાપ્ત છે, જે સર્વથી પર અને નિર્મળ છે.



સમસ્ત બ્રહ્માંડ અંડાકારે દસે દિશાઓમાં વ્યાપેલું છે.

1. પૂર્વ  2. પશ્ચિમ  3. ઉત્તર  4. દક્ષીણ  5. ઇશાન  6. અગ્નિ  7. નૈઋત્રય  8. વાયવ્ય  9. ઉર્ધ્વ  (ઉપર)  10. અધ: (નીચે)

અને એ બ્રહ્માંડના રક્ષણાર્થે 10 (દશ) દિશામાં 10 મહાનગરીઓ સ્થપાયેલી છે. પ્રત્યેક દિશાના સ્વામિ એમ આ દસ દિક્પાલ એનું રક્ષણ કરે છે

૧. ઇન્દ્રની અમરાવતી

  • પૂર્વ દિશાની રાજધાની.
  • દેવોનું મુખ્ય શહેર.
  • અહીં Indra, દેવો, અપ્સરાઓ અને ગંધર્વો રહે છે.
  • નંદનવન અહીં આવેલું છે.
  • ઐરાવત, ઉચ્ચૈઃશ્રવા વગેરે દિવ્ય રત્નોનું સ્થાન.

૨. અગ્નિની અશોકવતી

  • આગ્નેય દિશાનું નગર.
  • અગ્નિદેવ યજ્ઞોના મુખ છે.
  • “અશોકવતી” એટલે શોકરહિત નગરી.
  • યજ્ઞફળ અહીંથી દેવો સુધી પહોંચે છે.

૩. યમની ભોગવતી

  • દક્ષિણ દિશા.
  • યમનું ન્યાયાલય.
  • ચિત્રગુપ્ત કર્મોની નોંધ રાખે છે.
  • પાપ-પુણ્યનું વિવેચન.

કેટલાક ગ્રંથોમાં ભોગવતી નાગલોકની રાજધાની તરીકે પણ મળે છે.


૪. નિઋતિની સિદ્ધવતી

  • નૈઋત્ય દિશા.
  • અધર્મ, પતન અને વિનાશના ક્ષેત્ર ઉપર નિયંત્રણ.
  • દુષ્ટ શક્તિઓને મર્યાદામાં રાખવાનું કાર્ય.

૫. વરુણની ગાંધર્વવતી

  • પશ્ચિમ દિશા.
  • જળના સ્વામી.
  • સમુદ્રો અને નદીઓના અધિપતિ.
  • સત્ય અને ઋતના રક્ષક.

૬. વાયુની કાંચી

  • વાયવ્ય દિશા.
  • પ્રાણ અને ગતિનું કેન્દ્ર.
  • સમગ્ર બ્રહ્માંડમાં જીવનશક્તિનો પ્રવાહ.

૭. કુબેરની અવન્તી

  • ઉત્તર દિશા.
  • Kubera નું રાજ્ય.
  • યક્ષો અને નિધિઓનું સ્થાન.
  • નવ નિધિઓના અધિપતિ.

૮. ઈશાનની અલકાવતી

  • ઈશાન ખૂણો.
  • શિવના ઈશાન સ્વરૂપનું સ્થાન.
  • અલકાપુરી સાથે ક્યારેક સમાનતા બતાવવામાં આવે છે.
  • તંત્ર અને જ્ઞાનનું ક્ષેત્ર.

૯. બ્રહ્માની યશોવતી

  • ઊર્ધ્વ દિશા.
  • બ્રહ્માજીનું દિવ્ય નગર.
  • સૃષ્ટિના સૂક્ષ્મ તત્ત્વોનું નિયંત્રણ.

૧૦. અનંતની પુણ્યપુરી

  • અધોદિશા.
  • અનંત શેષનાગ નું નિવાસ.
  • સમગ્ર બ્રહ્માંડનો આધાર.
  • પ્રલય પછી પણ અનંતનું અસ્તિત્વ રહે છે.
ક્રમદિશાદિક્પાલનગરીવાહનઆયુધવિશેષ કાર્ય
1પૂર્વઇન્દ્રઅમરાવતીઐરાવતવજ્રદેવોના રાજા, વર્ષા અને વિજય
2આગ્નેયઅગ્નિઅશોકવતીમેષશક્તિયજ્ઞના દેવ, પવિત્રતા
3દક્ષિણયમભોગવતીમહિષદંડ, પાશકર્મફળ અને ન્યાય
4નૈઋત્યનિઋતિસિદ્ધવતીગધેડો/માનવખડ્ગવિનાશ અને અધર્મનો નાશ
5પશ્ચિમવરુણગાંધર્વવતીમકરપાશજળ અને ઋત (Cosmic Order)
6વાયવ્યવાયુકાંચીહરણધ્વજપ્રાણશક્તિ અને ગતિ
7ઉત્તરકુબેરઅવન્તીમનુષ્ય/ઘોડોગદાધન, યક્ષોના સ્વામી
8ઈશાનઈશાન (શિવ)અલકાવતીવૃષભત્રિશૂલજ્ઞાન અને આધ્યાત્મિક શક્તિ
9ઊર્ધ્વબ્રહ્માયશોવતીહંસકમંડલુસૃષ્ટિ
10અધઃઅનંતપુણ્યપુરીસ્વયં નાગસહસ્ર ફણાબ્રહ્માંડનો આધાર
-------------------------------------------------------------------------------
આ બ્રહ્માંડ ક્રમશ: 14 (ચૌદ) વિભાગો (લોક) માં વહેચાયેલું છે
-------------------------------------------------------------------------------
0. વૈકુંઠ લોક
આ લોકનું કોઈ પ્રલય કશું બગાડી શકતો નથી. અક્ષર છે. ભગવાન શ્રી નારાયણ સ્વયં અહીં બિરાજમાન છે.
અહીં એક વાર જે જાય છે તે ફરી પાછો નથી આવતો
એક કરોડ યોજન દૂર [128,000,000 km / 1.28 × 10²¹ Å Angstrom Units]
.
1. સત્યલોક
અહીં ચતુર્મુખી સર્વજ્ઞ (સંપૂર્ણ પદાર્થો નું જ્ઞાન રાખનારા) એવા સરસ્વતીયુક્ત બ્રહ્માજી બિરાજમાન છે.
તેઓ મૂર્ત-સ્વરૂપ વેદો થી ઘેરાયેલા છે અને પોતે બાળસૂર્ય સમાન પ્રભાથી એમના સભા-ભવનને પૂર્ણતયા દેદીપ્યમાન કરે છે.
બ્રહ્મસભામાં વેદો, દેવર્ષિઓ છે.
બાર કરોડ યોજન દૂર
.
.
.
.
.
.
.
.
.
.
.
.
2. તપલોક
પ્રખર તપ વડે અધિકાર પામેલા મહાતપસ્વીઓ અને વૈરાજ દેવો અહીં વસે છે.
આઠ કરોડ યોજન દૂર [1,024,000,000 km / 1.024 × 10²² A˚ Angstrom Units]
.
.
.
.
.
.
.
.
3. જનલોક
ગાંધર્વો અને વિદ્યાધરો અહીં રહે છે. ચાર કુમારો: સનક, સનંદન, સનાતન, સનત્કુમાર અહીંના નિવાસી.
ગંધર્વોનું મુખ્ય સ્થાન નથી, જોકે કેટલાક ગ્રંથોમાં તેનો ઉલ્લેખ છે.
બે કરોડ યોજન દૂર [256,000,000 km / 2.56 × 10²¹ Å]
.
.
4. મહર્લોક
સિધ્ધો અહીં વસે છે. ભૃગુ વગેરે મહર્ષિઓ. પ્રલય સમયે જનલોકમાં જાય છે.
એક કરોડ યોજન દૂર [128,000,000 km / 1.28 × 10²¹ Å Angstrom Units]
.
5. સ્વર્લોક
આ દેવોનું અને મહર્ષિઓનું સ્થાન (સ્વર્ગ) છે. ઇન્દ્રનું રાજ્ય. નંદનવન. અપ્સરાઓ. ગંધર્વો અને દેવો વસે છે.
6. ભુવર્લોક
અહીં પિતૃઓ નો વાસ છે.
શ્રાદ્ધ પક્ષમાં એમને ઉદ્દેશીને પુત્રો દ્વારા ભણેલી ગીતા થી થનારી તેમની ઉર્ધ્વ ગતિથી પ્રસન્ન થઇ આ જ પિતૃઓ
ઉપરના લોકમાં થી નીચે અહીં આવી આશીર્વાદ આપે છે જેથી આપણું જીવન સુખી થાય છે.
પિતૃઓ ઉપરાંત અહીં સિદ્ધ, ચારણ, યક્ષ, ગંધર્વ, કેટલાક પ્રેત પણ વસે છે.
ભૂ લોકનો સો યોજન [729.6 km] ઉપરનો ભાગ અંતરીક્ષ કહેવાય છે જેમાં ભૂત-પ્રેતોનું સ્થાન છે.
7. ભૂ લોક / મૃત્યુલોક / કર્મભૂમિ.
અહીં મનુષ્યો વસે છે અને મોક્ષ પ્રાપ્તિ અહીંજ છે. માટે દેવોને પણ અહીં અવતરવું પડે છે.
દસ હજાર યોજન દૂર [72,960 Km]
નીચેના આ સાતેય પાતાળો માં સર્પો, નાગ, અસુરો, દૈત્યો, દાનવો, રાક્ષસો, પિશાચો આદિને બ્રહ્માજી એ સ્થાન આપેલા છે.
8. અતળ
અહીની જમીન કાળી છે.
દસ હજાર યોજન દૂર [72,960 Km]
9. વિતળ
અહીની જમીન રાતી / લાલ છે. અહીં હાટકેશ્વર શિવનું સ્થાન કહેવાય છે.
દસ હજાર યોજન દૂર [72,960 Km]
10. સુતળ
અહીની જમીન પાંડુ વર્ણની છે.
દસ હજાર યોજન દૂર [72,960 Km]
11. તળાતળ
મય દાનવાનું સ્થાન.
દસ હજાર યોજન દૂર [72,960 Km]
12. મહાતળ
મહાનાગો. કાંકરા વાળું છે.
દસ હજાર યોજન દૂર [72,960 Km]
13. રસાતળ
દૈત્ય અને દાનવો.
દસ હજાર યોજન દૂર [72,960 Km]
14. પાતાળ
સુવર્ણનું છે. બલી રાજા રાજ્ય કરે છે. વાસુકિ વગેરે નાગો.
દસ હજાર યોજન દૂર [72,960 Km]
--------- શેષનાગ ---------
સાત પાતાળ પછી અનંત શેષ. હજારો ફણાં. તેમના ઉપર બ્રહ્માંડ ટકેલું છે.
ભાગવત કહે છે: તેમના એક ફણાં ઉપર સમગ્ર પૃથ્વી સરસવના દાણા જેવી લાગે છે.
-------------------------------------------------------------------------------

મહત્વપૂર્ણ તત્ત્વજ્ઞાનિક નોંધ. પુરાણોમાં બ્રહ્માંડનું વર્ણન માત્ર ભૌતિક નકશો નથી. તે: આધ્યાત્મિક સ્તરો, ચેતનાના ક્ષેત્રો, કર્મફળની અવસ્થાઓ, યોગિક અનુભવો, દેવિક વ્યવસ્થા નો પણ સંકેત છે. આથી: “લોક” = માત્ર ગ્રહ નહિ પણ “અસ્તિત્વનો સ્તર” પણ હોઈ શકે.


વાચકનુ ઋષિ પુત્રી ગાર્ગી સાથેનો યાજ્ઞવલ્ક્યનો સંવાદ પ્રમાણેની રચના 

પૃથ્વી જળ માં ઓતપ્રોત છે. જળ વાયુમાં માં ઓતપ્રોત છે. વાયુ અંતરિક્ષમાં માં ઓતપ્રોત છે. અંતરિક્ષ ગંધર્વ લોક [જનલોક]માં ઓતપ્રોત છે. ગંધર્વ લોક [જનલોક] આદિત્યલોકમાં ઓતપ્રોત છે. આદિત્યલોક ચંદ્રલોકમાં ઓતપ્રોત છે. ચંદ્રલોક નક્ષત્રલોકમાં ઓતપ્રોત છે. નક્ષત્રલોક દેવલોકમાં ઓતપ્રોત છે. દેવલોક ઇન્દ્રલોકમાં ઓતપ્રોત છે. ઇન્દ્રલોક પ્રજાપતિલોકમાં ઓતપ્રોત છે. પ્રજાપતિલોક બ્રહ્મલોકમાં ઓતપ્રોત છે. બ્રહ્મલોક અંતિમ તત્વ છે અને એ સર્વને વ્યાપીને અતિક્રમીને અવસ્થિત છે. માટે બ્રહ્મલોક શામાં ઓતપ્રોત છે એ અતિપ્રશ્ન કહેવાય માટે ન કરાય.

મુખ્ય ગ્રંથપ્રમાણ

આ દશ દિક્પાલો અને તેમની નગરીઓના વર્ણનો વિવિધ પુરાણોમાં વિખરાયેલા મળે છે, ખાસ કરીને:

  • Vishnu Purana
  • Matsya Purana
  • Vayu Purana
  • Brahmanda Purana
  • Agni Purana

એક રસપ્રદ બાબત એ છે કે પુરાણિક બ્રહ્માંડવિજ્ઞાનમાં આ દશ દિક્પાલો માત્ર દિશાના રક્ષક જ નથી, પરંતુ સમગ્ર બ્રહ્માંડની વ્યવસ્થા, તત્ત્વો અને ધર્મના વિવિધ પાસાઓના સંરક્ષક તરીકે પણ કાર્ય કરે છે.


ઈશ્વરની આ મહાન રચનાના પ્રતીકાત્મક વર્ણન પાછળના ગહન સિદ્ધાંતો જાણી  લો. સાંકેતિક ભાષા પાછળના અકળ રહસ્યો શોધી કાઢો. અપ્રત્યક્ષ ની શોધની શરૂઆત શ્રધ્ધાથી થાય છે માટે જ Aliens ને ખોળનારા S.E.T.I. (Search of Extra Terrestrial Intelligence) project ના વૈજ્ઞાનિકો પોતાના માથા ઉપર કેપ પહેરેછે જેમાં લખ્યું હોય છે: “I BELIEVE”.




2 thoughts on “બ્રહ્માંડની રચનાનું (પૌરાણિક) વર્ણન

Leave a comment