બ્રાહ્મણે કર્મ કાંડી બનવું હોય તો


આપણા પુરાણ ઇતિહાસમાં એવા દ્રષ્ટાંતો છે જે દર્શાવે છે કે જેમ જન્મથી એક બ્રાહ્મણ પોતાના કર્મ થી ક્ષત્રિય બની શકે છે (ભગવાન પરશુરામ) એવી જ રીતે જન્મથી એક ક્ષત્રિય પોતાના કર્મ થી બ્રાહ્મણ બની શકે છે (મહર્ષિ વિશ્વામિત્ર), પરંતુ એ અતિ કઠિન છે અને અનેક પરીક્ષાઓમાં થી પસાર થવું પડતું હોય છે.

એક કર્મ કાંડી બનવા માટે સહુથી પહેલા “બ્રાહ્મણ” હોવું જરૂરી છે.

જો જન્મથી ન હોય તો કર્મથી સૌ પ્રથમ બ્રાહ્મણ બનો. ઈશ્વરમાં દ્રઢ શ્રદ્ધા કેળવો. ગુરુ દ્વારા પોતાનુઁ ગોત્ર, વેદ, શાખા નિશ્ચિત કરો. એના (યજ્ઞોપવિત ઇત્યાદિ) સંસ્કાર, (સાત્વિક) ખોરાક, (લગ્ન પહેલા) બ્રહ્મચર્ય, વેદાભ્યાસ, સદાચરણ અને ધાર્મિક જીવન પદ્ધતિ, ઇત્યાદિ …બ્રાહ્મણ જેવા જ  હોવા જોઈએ.

જુઓ – આદર્શ બ્રાહ્મણ – Click Here


karmakandi
એક બ્રાહ્મણ ને કર્મ કાંડી બનવા માટે નીચેની મુખ્ય બાબતો આવડવી જોઈએ.
1. સંસ્કૃત ભાષા જ્ઞાન
2. પંચાંગમાં થી સારો દિવસ, સારું મુહૂર્ત, સારું ચોઘડિયું જોઈ શકવું
3. સંકલ્પ લેવો અને લેવડાવવો
4. ત્રિકાળ સંધ્યા પદ્ધતિ
5. વિવિધ દેવતાઓનું સ્થાન અને સ્થાપન
6. ભદ્રં સૂક્ત (આ નો ભદ્રા  …)
7. દેવતા નમસ્કાર (શ્રીમનમહા ….)
8. પુરુષ સૂક્ત
9. શ્રી સૂક્ત
10. ચંડી પાઠ
11. રુદ્રી (વેદિક)
12. શિવ મહિમ્ન સ્તોત્ર (પૌરાણિક)
13. પંચાયતન દેવતા (ગણેશ, વિષ્ણુ, શંકર, માતાજી અને સૂર્ય) પૂજા
14. આખું ગ્રહ શાંતિ / ગ્રહમખ અને તેના 44 મંત્રો (યાજ્ઞિક રત્નમ), વિશેષ રીતે ગ્રહમખમાં આવતા પાંચ અંગો – પંચાંગ કર્મ
      14.1 – ગણેશ પૂજા
      14.2 – સંપૂર્ણ પુણ્યાહ વાંચન
      14.3 – કુળદેવી પૂજન
      14.4 – આયુષ્ય મંત્ર પાઠ
      14.5 – નાન્દીશ્રાદ્ધ
15. હસ્ત ક્રિયા (યજમાન જોડે બેસી એમના દ્વારા કર્મો કરાવવા)

એક બ્રાહ્મણ બનવું ખૂબ અઘરું છે, અને કર્મ કાંડી બનવું એથીય અઘરું છે. જીવનમાં દુન્યવી ઈચ્છાઓ અને મહાત્વાંકાંક્ષાઓ નું બલિદાન આપવું પડે છે. સ્વાર્થ ત્યજી પરમાર્થ અપનાવવો પડે છે. ઈશ્વરમાં દ્રઢ શ્રદ્ધા સહીત ધર્મપાલન કરવું પડે છે. પરંતુ એ જ ભૂદેવો આ પૃથ્વી ઉપર રત્નો સમાન છે, દેવ તુલ્ય છે અને ઈશ્વરને અત્યંત પ્રિય છે.


DoSomething