શયનખંડ (બેડરૂમ) નું વાસ્તુ સુવાનો ખંડ નૈઋત્ય ખૂણે રાખવો અને શક્ય ન હોય તો દક્ષિણની દિશાને પલંગ અડાડેલો રાખવો. અગ્નિકોણમાં કદીયે સૂવું નહિ. સૂતી વખતે માથું દક્ષિણ દિશામાં જ રાખવું અથવા પૂર્વ દિશામાં પણ ચાલે. પગ હંમેશા ઉત્તર અથવા પૂર્વ તરફ રહે સૂતી વખતે. બીમ ની નીચે ન સૂવું. સૂતી વખતે અરીસામાં આપણું પ્રતિબિંબ પડે એવું ન રાખવું અને જો અરીસો ન હટાવી શકાય તો સૂતી વખતે તેના ઉપર પડદો ઢાંકી દેવો નહીતો બીમારી આવે. રંગ શયન ખંડ માં પીળો રંગ ન વાપરવો અન્યથા પ્રેમ નથી રહેતો. બને એટલો લાલ રંગ વાપરો. બેડ / પલંગ દરવાજાની સામે પલંગ ન રાખવો. પલંગ પર માળિયું ન રાખવું. બેડકદીયે કાળો ન રાખવો. બેડ લોખંડ કે પ્લાસ્ટિક નો ન રાખવો. બેડ લાકડાનો રાખવો. સુવાની પથારી ચાદરમાં જંગલી જાનવરો (જેવાકે સિંહ, હાથી ઇત્યાદિ) ના ચિત્રો નહી રાખવા. Share this Now!શેર છાપવું (Opens in new window) Print Tweet Share on Telegram (Opens in new window) ટેલિગ્રામ Share on WhatsApp (Opens in new window) વોટ્સેપ Email a link to a friend (Opens in new window) Email PocketLike Loading...