|| अलबेली गीता ||

(अलबेला पंडित विरचित) લખાઈ રહી છે…

  1. પ્રકરણ – ઈશ્વર તત્વ ચિંતન અને ભક્તિ મહિમા
    1. આધ્યાત્મિકતા
    2. ઈશ્વર તત્વ પ્રબોધ
    3. ભક્તિમાન એ જ શક્તિમાન
    4. અધ્યાત્મ એક ઉચ્ચતમ સાધન
    5. વિવેક છે ઈશ્વર પ્રાપ્તિ નો માર્ગદર્શક.
  2. પ્રકરણ –
    1. મનને મિત્ર કેવી રીતે બનાવવું
    2. મનશાંતિ જ સુખ
    3. અવિદ્યાનિવૃત્તિથી બ્રહ્મદર્શનનો દૃષ્ટાંત
    4. વિવેકથી યથાર્થદર્શનનું તત્ત્વ
  3. પ્રકરણ –
    1. ગ્રહદશામાં શાસ્ત્રોક્ત નિવારણ કરવું
  4. પ્રકરણ –
  5. પ્રકરણ – વેદ
    1. ઋગ્વેદ
    2. યજુર્વેદ
    3. અથર્વવેદ
    4. સામવેદ
  6. પ્રકરણ – પુરાણ
    1. પુરાણ અને વિજ્ઞાનનું કાળચક્ર
  7. પ્રકરણ – ભારતીય જીવન

પ્રકરણ – ઈશ્વર તત્વ ચિંતન અને ભક્તિ મહિમા

આધ્યાત્મિકતા

મહાત્મ્યજ્ઞાનથી પૂર્વિત, વિવેકયુક્ત શ્રદ્ધાભક્તિ જ વૈરાગ્ય, ઈશ્વરસામીપ્ય અને આત્મપુષ્ટિ માટે યોગ્ય બને છે. આ આધ્યાત્મિક માર્ગ ભોગ, લોકપ્રદર્શન કે અંધ તર્ક માટે નહિ, પરંતુ આધ્યાત્મિક તત્ત્વના બોધ માટેનો “સતર્ક” સમુચ્ચય છે.

ઈશ્વર તત્વ પ્રબોધ

આ સમગ્ર જગત માયાના ચક્રમાં સતત ભ્રમતું દેખાય છે. એકમાત્ર બ્રહ્મ જ નિત્ય સત્ય છે; આ વિશ્વ તો તેની લીલારૂપ કલ્પના છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક સદા ભગવાનના સન્મુખ રહે છે, તે માયાના બંધનને છોડીને શાંતિ અને મોક્ષને પ્રાપ્ત કરે છે.

ઈશ્વર ઇન્દ્રિયો, બુદ્ધિ, યંત્રો કે માત્ર વિચારોથી જાણી શકાય એવા નથી. શુદ્ધ ભક્તિ અને પવિત્ર હૃદયથી જ સર્વવ્યાપક અને અવિનાશી ઈશ્વરને જાણી શકાય છે. જે મનુષ્ય માયા અને મોહથી મુક્ત થઈ પોતાના આત્મામાં પરમાત્માને જુએ છે, તે જ પરમ શાંતિ અને બ્રહ્મભાવને પ્રાપ્ત કરે છે.

ભક્તિમાન એ જ શક્તિમાન

જેમ રામનું નામ રામ કરતાં પણ મહાન છે, તે જ રીતે હનુમાનજીની રામ પ્રત્યેની ભક્તિ હનુમાનજી કરતાં પણ વધુ મહિમાવાન છે.

અધ્યાત્મ એક ઉચ્ચતમ સાધન

અધ્યાત્મ દુનિયાને સુધારવા માટેનું સાધન નથી; પણ પોતાનાં મનની નિવૃત્તિ અને દુનિયા ઉપરની આધારતા દૂર કરવા માટે છે.

Spirituality doesn’t make things in physical world better for observer. It rather makes the observer himself better who is observing all this physicality and deluded by it. Why should Shastras care for and bring any value to the mundane life of ignorant Jiva in physical world? Never! It is not designed for that. It is designed for upliftment of the Jiva, not better his ignorant life. Its purpose then, otherwise would be self-defeating.

વિવેક છે ઈશ્વર પ્રાપ્તિ નો માર્ગદર્શક.

જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સાથે વિવેક મનુષ્યને માર્ગદર્શન આપે છે. ગુરુકૃપાના પ્રસાદથી મનુષ્ય બ્રહ્મ સાથેનું ઐક્ય પ્રાપ્ત કરે છે. શ્રદ્ધા અને ભક્તિયોગથી યુક્ત, સમર્પણભાવ ધરાવતો અને સમાધિરૂપ યોગમાં સ્થિર થયેલો આત્મા અંતે બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે.

ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ મુખ્યત્વે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય — આ ત્રણ સ્તંભો પર આધારિત છે. જ્ઞાનથી મનુષ્ય “હું કોણ?” એનું તત્ત્વચિંતન કરી આત્મસ્વરૂપને ઓળખે છે. ભક્તિથી અહંતા અને મમતા ઓગળી આત્માનું પરમાત્મા સાથે મિલન થાય છે. વૈરાગ્ય મનુષ્યને સંસારની અસારતાનો બોધ કરાવી, વિવેક દ્વારા તેને માર્ગભ્રષ્ટ થવાથી બચાવે છે. સાત્વિક ગુણો — સંયમ, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, સદાચાર અને સંતોષ — વિવેકને પ્રબળ બનાવે છે. ગુરુકૃપા દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે, પરંતુ પ્રેમ અને શ્રદ્ધા વિના જ્ઞાન શુષ્ક બની જાય છે. વૈરાગ્યને વિશ્વાસ અને સમર્પણનો આધાર જોઈએ, નહિતર નિરાશા ઉત્પન્ન થાય છે. ભક્તિ, સેવા અને સ્મરણથી ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે, જે અંતે દિવ્યદ્રષ્ટિ, યોગ, સમાધિ અને બ્રહ્મસાક્ષાત્કાર તરફ દોરી જાય છે. યોગ અને સમાધિના અભ્યાસથી જીવ ધીમે ધીમે તુરીય અને તુરીયાતીત અવસ્થામાં પ્રવેશે છે, જ્યાં જીવ અને બ્રહ્મનો ભેદ વિલીન થઈ જાય છે. સમગ્ર માર્ગમાં “વિવેક” એ જ સૌથી મહત્ત્વનું સાધન છે, જે મનુષ્યને દરેક તબક્કે ઈશ્વરમાર્ગમાં સ્થિર રાખે છે.

વિવેક વાપરો

અધર્મી અને દુષ્ટ મનુષ્યોમાં પણ ક્યારેક થોડાક સદ્ગુણો જોવા મળે છે, પરંતુ તેથી તેઓ પૂજનીય અથવા આદર્શ બની જતા નથી. સજ્જનો તો માત્ર ગ્રહણ કરવા યોગ્ય ગુણોને જ સ્વીકારે છે. બુદ્ધિમાન લોકોનું ચિત્ત સર્વગુણોના ભંડાર એવા પ્રભુ શ્રી રામ માં સ્થિર થવું જોઈએ. જો દુષ્ટોમાં કોઈ સદ્ગુણ હોય, તો માત્ર તે ગુણ જ ગ્રહણ કરવો — તેમના દોષો અને સમગ્ર દુષ્ટ વ્યક્તિત્વને ક્યારેય સ્વીકારવું નહીં.

પ્રકરણ –

મનને મિત્ર કેવી રીતે બનાવવું

મન બુદ્ધિ અને ઇન્દ્રિયો વચ્ચેનો સેતુ છે. જો તે વિષયોમાં દોડે તો પતન તરફ જાય અને જો વિવેકમાં સ્થિર થાય તો પ્રગતિ કરે છે. જે મનુષ્ય વર્તમાનનું ચિંતન કરે છે, તેનું મન શાંત બની મિત્રરૂપ થાય છે.

મનશાંતિ જ સુખ

સુખ ઘટના કે તેના પરિણામથી નથી મળતું, ન તો તેની સ્થિતિથી; પણ માત્ર મનના વિકષેપની શાંતિથી જ સુખ કહેવાય છે.

અવિદ્યાનિવૃત્તિથી બ્રહ્મદર્શનનો દૃષ્ટાંત

જ્યારે રંગીન ચશ્મા દૂર થાય છે ત્યારે જગત જેમ છે તેમ દેખાય છે; અને જ્યારે અવિદ્યા દૂર થાય છે ત્યારે જગત બ્રહ્મરૂપ તરીકે અનુભવાય છે.

વિવેકથી યથાર્થદર્શનનું તત્ત્વ

ભૌતિક દૃષ્ટિથી વસ્તુ મનનો વિષય બની જાય છે; પણ વિવેકથી તત્વ જેમ છે તેમ સ્પષ્ટરૂપે પ્રગટ થાય છે.

પ્રકરણ –

ગ્રહદશામાં શાસ્ત્રોક્ત નિવારણ કરવું

જેમ ઋતુ બદલાય ત્યારે ઠંડી અને ગરમીના કષ્ટને ઓછા કરવા માટે ઉપાય કરીએ છીએ, તેમ જ ગ્રહોની દશા બદલાય ત્યારે કષ્ટને શાંત કરવા માટે શાસ્ત્રોક્ત ઉપાય કરવો જોઈએ.

પ્રકરણ –

ઋચાઓનો મહાન ભંડારરૂપ ઋગ્વેદ જ્ઞાનના દીપકને પ્રગટ કરનાર છે. તે આધ્યાત્મિકતા, પ્રાર્થના વગેરે દ્વારા લોકધર્મનો બોધ કરાવે છે. તેની શાખાઓ દ્વારા જ્ઞાનનો વિસ્તાર થયો છે અને સૂક્તો દ્વારા અર્થની સુંદર અભિવ્યક્તિ થાય છે. ઋગ્વેદ સનાતન શ્રુતિમાર્ગનો માર્ગદર્શક છે.

ઋગ્વેદ

ઋગ્વેદ વૈદિક સાહિત્યનો આદિ અને પ્રાચીન જ્ઞાનપ્રવાહ છે. તેમાં બ્રહ્મજ્ઞાન, યજ્ઞ, પ્રાર્થના, દાર્શનિક ચિંતન, દેવતાઓની ઉપાસના અને માનવજીવનના આધ્યાત્મિક તથા સામાજિક તત્ત્વોનું સંકલન થયેલું છે. ઋગ્વેદ માત્ર મંત્રસંગ્રહ નથી, પરંતુ — જ્ઞાનનું પ્રતીક, અધ્યયનનું પ્રેરણાસ્ત્રોત, શાસ્ત્રીય પરંપરાનું મૂળ અને આધ્યાત્મિક ચેતનાનું વૈદિક સ્વરૂપ છે. તેની વિવિધ શાખાઓ વૈદિક જ્ઞાનની પરંપરા અને ગુરુ-શિષ્ય સંરક્ષણ વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે તેના સૂક્તો દર્શાવે છે કે વૈદિક દૃષ્ટિ માત્ર ઉપાસનાત્મક જ નહીં પરંતુ દાર્શનિક, માનસિક, કાવ્યાત્મક અને સામાજિક પણ હતી.

યજુર્વેદ

યજ્ઞભાવથી યુક્ત અને કૃતજ્ઞ હૃદયવાળાને યજુર્વેદ શુભ માર્ગ બતાવી બ્રહ્મતત્ત્વ તરફ દોરી જાય છે. તેની શાખાઓ દ્વારા જ્ઞાનનો વિસ્તાર થયો છે અને મંત્રો દ્વારા તત્ત્વનો બોધ થાય છે. કર્મ અને ભક્તિના સંયોગથી તે મોક્ષમાર્ગનો પ્રદર્શક બને છે.

યજુર્વેદ એ યજ્ઞ, કર્તવ્ય, ઉપાસના અને સંસ્કારનું વૈદિક વિજ્ઞાન છે. તે મનુષ્યને માત્ર ક્રિયા શીખવતો નથી, પરંતુ શુદ્ધ ભાવના, કૃતજ્ઞતા, ઉત્તમ વિચાર,અને ઈશ્વરસન્નિધિની અનુભૂતિ સાથે કર્મ કરવા પ્રેરિત કરે છે. યજુર્વેદનો મર્મ એ છે કે — જ્યારે કર્મ ભક્તિરૂપ બને, ભાવના પવિત્ર બને, અને જીવન યજ્ઞમય બને, ત્યારે મનુષ્ય પરમતત્ત્વ તરફ ગતિ કરે છે. તેની વિવિધ શાખાઓ વૈદિક પરંપરાની ઊંડાણપૂર્ણ શિક્ષણપ્રણાલીનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે મંત્રાનુક્રમસૂચિ દર્શાવે છે કે વૈદિક અભ્યાસ માત્ર ભાવનાત્મક નહીં પરંતુ અત્યંત વ્યવસ્થિત, સંરચિત અને વૈજ્ઞાનિક પણ હતો.

અથર્વવેદ

અથર્વવેદ બ્રહ્મવિદ્યા આપનાર, શાંતિ અને રક્ષાનો પ્રચારક તથા લોકહિતનો માર્ગ દર્શાવનાર છે. તે આરોગ્ય, ધર્મ, લોકજીવન અને પરલૌકિક કલ્યાણ સાથે સંકળાયેલ શુભ જ્ઞાનથી ભરપૂર છે. મંત્રો અને સૂક્તોથી સમૃદ્ધ એવો અથર્વવેદ મહાન જ્ઞાનસાગર છે.

અથર્વવેદ જીવનના આધ્યાત્મિક અને વ્યવહારિક બંને ક્ષેત્રોને આવરી લેતો સ્થિરજ્ઞાનનો વૈદિક ભંડાર છે. તે માત્ર બ્રહ્મવિદ્યાનો જ નહીં પરંતુ શાંતિ, રક્ષા, આરોગ્ય, ઉપચાર, ગૃહસ્થજીવન, રાજ્યવ્યવસ્થા, અને લોકકલ્યાણનો પણ વેદ છે. અથર્વવેદ દર્શાવે છે કે સનાતન વૈદિક દૃષ્ટિ જીવનને દ્વિખંડિત કરતી નથી. ઈહલોક અને પરલોક, ઉપચાર અને ઉપાસના, વિજ્ઞાન અને આધ્યાત્મ — આ બધાનો સમન્વય એમાં રહેલો છે. તેમાં મનુષ્યના શરીર, મન, સમાજ અને બ્રહ્મચેતનાના કલ્યાણ માટેના મંત્રો, સૂક્તો અને તત્ત્વજ્ઞાનનું વિશાળ સંકલન છે. આથી અથર્વવેદને “લોકજીવનનો વેદ” અને “બ્રહ્મવિદ્યાનો વેદ” બંને કહેવાય છે.

સામવેદ

નાદ અને સ્વરથી યુક્ત સામવેદ ઉપાસનાનો પ્રવર્તક બની પરબ્રહ્મ તરફનો ભાવમાર્ગ પ્રકાશિત કરે છે. મંત્રો ગાનરૂપ ધારણ કરતા ચિત્તની ઉર્ધ્વગતિ થાય છે. ભક્તિરસના પ્રવાહ દ્વારા તે મોક્ષમાર્ગનું પ્રદર્શન કરે છે.

સામવેદ ઉપાસના, નાદ અને ચેતનાની ઉર્ધ્વગતિનો વેદ છે. તે વૈદિક જ્ઞાનને સ્વર, સંગીત અને આંતરિક ભાવજાગૃતિ દ્વારા જીવંત બનાવે છે. સામવેદનો મુખ્ય મર્મ એ છે કે — મંત્ર જ્યારે સ્વર સાથે જોડાય, ભાવ જ્યારે ઉપાસનામાં રૂપાંતરિત થાય, અને ચિત્ત જ્યારે નાદમાં લીન થાય, ત્યારે મનુષ્યની ચેતના પરમાત્મા તરફ ઉર્ધ્વગતિ કરે છે. આથી સામવેદને ઉપાસના-પ્રધાન વેદ, ગાનમય વેદ, અને ભારતીય સંગીતનું મૂળ કહેવાય છે. તેના ગાનભેદ, સ્વરપરંપરા અને આચાર્યપ્રવાહ દર્શાવે છે કે વૈદિક સંસ્કૃતિમાં ધ્વનિ, છંદ અને સ્વર માત્ર કળા નહીં પરંતુ આધ્યાત્મિક સાધના હતા.

પ્રકરણ – પુરાણ

પુરાણ અને વિજ્ઞાનનું કાળચક્ર

સનાતન ભારતીય વિદ્યા પુરાણોમાં સ્થાપિત છે. આજે વિશ્વમાં જે કંઈ દેખાય છે, તે પ્રાચીન રૂપે ત્યાં પહેલેથી જ રહેલું છે. કારણ કે કાળનું સ્વરૂપ ચક્રાકાર છે અને વસ્તુઓ ફરી ફરી પ્રગટ થાય છે, તેથી આધુનિક વિજ્ઞાનની ઘટનાઓ પણ પુરાણોમાં પ્રતિબિંબિત જોવા મળે છે.

ઋષિઓ અને દેવતાઓ સૃષ્ટિમાં ધર્મપ્રવાહને આગળ વધારનાર છે; અને પુરાણોમાં વર્ણવાતી તેમની વંશપરંપરાઓ ભારતીય સંસ્કૃતિની કીર્તિ અને અખંડ પરંપરાના આધારરૂપ છે.

પ્રકરણ – ભારતીય જીવન

સંસ્કારથી વિકાર જાય

સંસ્કારો દ્વારા મનના મલિન ભાવો ધીમે ધીમે શુદ્ધ થાય છે. સુસંસ્કારી મનુષ્ય ધર્મમાર્ગમાં પ્રવૃત્ત થાય છે. સંસ્કારો આત્મબળ અને વિવેક પ્રદાન કરે છે. અને એ જ દ્વારા મનુષ્ય દિવ્યભાવને પ્રાપ્ત કરે છે.

વ્રતોપવાસ

હરિપ્રિય એવી એકાદશીઓ પાપ, મોહ અને ભયનો નાશ કરનારી છે. તે વૈરાગ્ય, ભક્તિ, મોક્ષ અને પુણ્યલોક પ્રદાન કરનારી શુભ તિથિઓ છે. યજ્ઞ, દાન, તપ અને તીર્થોના સારરૂપ ફળોથી યુક્ત આ તમામ એકાદશીઓ કલિયુગમાં ધર્મનું જીવંત સ્વરૂપ બની, અંતે વિષ્ણુસાયુંજ્ય પ્રદાન કરે છે.

વાર-તહેવાર

વાર, તહેવાર અને વ્રતો ભારતીય સંસ્કૃતિ અને ધર્મના પાલનનું શુભ સાધન છે. માસ, પક્ષ અને તિથિ અનુસાર વિવિધ ઉત્સવો ધર્મમાર્ગને જીવંત રાખે છે. દેવપૂજા, ગુરુસ્મરણ, પિતૃતર્પણ, ઉપવાસ અને સ્નેહદાન મન અને સમાજની શુદ્ધિ કરે છે. રામ, કૃષ્ણ, શિવ વગેરેના ઉત્સવો ભક્તિ અને સંસ્કારને વધારતા સમાજ અને રાષ્ટ્રને પોષણ આપે છે. આવા ઉત્સવો જીવનમાં આનંદ, સૌહાર્દ અને સંસ્કૃતિનું રક્ષણ કરે છે.

“આહાર એ જ ઔષધ” એ ભારતીય દૃષ્ટિનું કેન્દ્ર.

આહાર જ આરોગ્યનું મૂળ છે; હિતકારક અને પથ્ય ખોરાકનું નિત્ય સેવન કરવું જોઈએ. આયુર્વેદરૂપ દીપકના પ્રકાશથી જીવનમાં નિરોગિતા પ્રાપ્ત થાય છે.