આપણા ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનમાં અમુક ખોટી માન્યતાઓએ ઘર કરી લીધું છે. એને માટે આપણે પોતે જ જવાબદાર છીએ.
ખોટી માન્યતા = વાઘ બારસ – માતાજીના વાઘને લગતું છે.
વાક + દેવી = વાગ્દેવી (સરસ્વતી)
વાક + બારસ = વાગબારસ (નહિ કે વાઘ બારસ)
અર્થાત વાગબારસ ને વાગબારસ જ કહો.
એને વાક-બારસ કહેવાની આવશ્યકતા નથી.
માત્ર અર્થ “વાગ” નો “વાઘ” નથી કરવાનો
ઉચ્ચારણ બદલવાની આવશ્યકતા નથી.
માત્ર અર્થ નો અનર્થ ન કરવો.
જો કોઈ કેલેન્ડર કે પંચાંગ માં “વાઘ બારસ” લખ્યું હોય તો તે ખોટું છે.
“વાગબારસ” હોવું જોઈએ.
જોઈ લો ઓનલાઇન સંસ્કૃત ડીક્ષનેરીમાં “વાગ્દેવી”
http://spokensanskrit.org/index.php?mode=3&script=hk&tran_input=vagh&direct=au
ખોટી માન્યતા = કૃષ્ણ મહાન નહોતા, અવતારી પુરુષ નહોતા, પરમાત્મા કે ભગવાન નહોતા, એક રાજકારણી હતા, મનુષ્ય હતા.
ખોટી માન્યતાને ખંડિત કરતુ પ્રમાણ
દુ:ખની વાત છે કે અમુક ભણેલ ગણેલ છતાં મૂઢ બુદ્ધિ લોકો એવું માને છે. અમુક પોતાને શિવભક્તો કહેડાવનાર પણ આવી ભૂલ કરી બેસે છે. ભગવાન શ્રીકૃષ્ણ સાક્ષાત પરમાત્મા અને અવતારી પુરુષ હતા. તેઓ મહાન હતા. આ રહયા અનંતમાંથી ભેગા કરેલ સંક્ષિપ્તમાં અમુક પ્રમાણોં.
પ્રભુ શ્રીરામનું પ્રમાણ
દશાવતાર માં ભગવાન વિષ્ણુનો જ અવતાર શ્રીરામ અને શ્રીકૃષ્ણ હતા. કૃષ્ણ અને રામમાં ભેદ નથી. તો જો રામ મહાન હતા તો કૃષ્ણ કઈ રીતે ખરાબ હોઈ શકે? અને અવતારોમાં પણ જો ભેદ જુઓ છો.
ગોપીઓનું પ્રમાણ
તો શું ગોપીઓ ખોટી અને ખરાબ હતી કે જે કૃષ્ણની અનન્ય ભક્ત હતી?
રાધાજી નું પ્રમાણ – પાપ મોચક 11 નામો (રાધા યશોદાજીને કહે છે).
राम नारायणाSनन्त मुकुन्द मधुसूदन | कृष्ण केशव कन्सारे हरे वैकुण्ठ वामन ||
इत्येकादश नामानि पठेद् वा पाठयेदिति | जन्मकोटिसहस्त्राणां पातकादेव मुच्यते ||
રામ, નારાયણ, અનંત, મુકુંદ, મધુસુદન, કૃષ્ણ, કેશવ, કંસારે, હરે, વૈકુંઠ, વામન આ અગ્યાર નામોનું જે પાઠ કે પઠન કરે છે તે સહસ્ત્ર કોટી (એક હજાર કરોડ) જન્મોના પાપોથી મુક્ત થઇ જાય છે.
[ब्रह्मवैवर्तपुराण – 111.19-20]
મહાભારત યુદ્ધના પરિણામનું નું પ્રમાણ
|| सत्मेव जयते || જો શ્રીકૃષ્ણ અસત્ય અને અધર્મના પક્ષમાં હોત, તો પાંડવોની હાર અને કૌરવોની જીત થઇ હોત.
હનુમાનજી નું પ્રમાણ
જો શ્રીકૃષ્ણ તથા અર્જુન એટલા ધિક્કારને પાત્ર હતા, તો પછી એમના રથની ધજા ઉપર સ્વયં હનુમાનજી વિરાજમાન કેમ થયા? ન જ થાય. પરંતુ એવું નથી, તે આવ્યા અને અર્જુનના રથને વિજયરથ બનાવ્યો.
ભગવદગીતા નું પ્રમાણ
શું ભગવદગીતાના જ્ઞાનનું પ્રમાણ પર્યાપ્ત નથી શ્રીકૃષ્ણની મહાનતા જાણવા માટે?
ભાગવતનું પ્રમાણ
ભાગવત પુરાણ ૧.૩.૨૮ “ઉપર જણાવેલાં બધાજ અવતારો ભગવાનનાં અંશાવતાર છે, અથવાતો અંશાવતારનાં અંશ છે, પરંતુ શ્રી કૃષ્ણ તે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે.” [https://gu.wikipedia.org/wiki/કૃષ્ણ#જીવનનો_ઉત્તરાર્ધ]
શીવપુરાણ નું પ્રમાણ
કૃષ્ણ જ્યારે શિવભક્ત બાણાસુરને તેની 996 ભુજાઓ કાપી દીધા પશ્ચાત તેને મારી નાખવા ઉદ્ધત થયા ત્યારે શિવે એમને રોક્યા કારણ બાણાસુર એમનો ભક્ત હતો અને એને અભય આપેલ. ત્યારે શિવ સ્વયં કહે છે – હે કૃષ્ણ ! તમે “સાક્ષાત પરમાત્મા” અને સંપૂર્ણ પ્રાણીઓના હિતમાં રત રહેનાર છો.
[शिवपुराण रुद्रसंहिता – पञ्चम (युध्दः) खण्ड अध्याय 55-56]
ખોટી માન્યતા = ભગવાન શ્રી રામ ક્ષત્રિય હતા એટલે માંસાહારી હતા.
कोई भी रघुवंशी न तो मांस खाता है और न मधुका ही सेवन करता है; फिर भगवान् श्रीराम इन वस्तुओ का सेवन क्यों करते? वे सदा चार समय उपवास करके पांचवे समय शास्त्रविहित जंगली फल-मूल और नीवार आदि भोजन करते हैं|
ખોટી માન્યતા = હનુમાનજી ને કદી દંડવત પ્રણામ ન કરવા, નહીતો તેમના ચરણોમાં રહેલ શનિની પનોતી લાગે.
ખોટી માન્યતાને ખંડિત કરતુ પ્રમાણ
હનુમાનજીને શનિદેવે વચન આપ્યું છે કે – હનુમાનજીના ભક્તોને શનિદેવ કદી હેરાન નહિ કરે. દંડવત પ્રણામ એ નવધા ભક્તિનું એક સ્વરૂપ છે (વંદન). એટલે નિર્ભય બની, શ્રધ્ધાસહિત હનુમાનજીને દંડવત પ્રણામ કરી શકાય છે. એમાં કોઈ દોષ ન લાગે. અને, શનિદેવ સ્વયં કોઈનું બૂરું નથી કરતા, એમની વક્રદ્રષ્ટિ મનુષ્યોના કુકર્મોનું ફળ એક સાથે આપી દે છે. બસ! માટે દેવો પણ નિર્દોષ છે, દોષ આપણા કરેલા કર્મોનો જ છે.
ખોટી માન્યતા = શ્રાદ્ધ પક્ષમાં નિત્ય પૂજા વર્જિત છે.
ખોટી માન્યતા = ઈશ્વર નથી
ખોટી માન્યતા = પોતાનું નામ રાશિ ઉપરથી ન રાખતા ઘણા લોકો બીજી રાશિ ઉપરથી નામ રાખતા હોય છે જેથી કરીને બીજા દ્વારા કરતા “ટોટકા” જાદુ ટોણા ની અસર ઓછી થાય. જો પોતાની રાશિ ઉપરથી નામ હોય તો અસર વધુ થાય.
ખોટી માન્યતાને ખંડિત કરતુ પ્રમાણ
ગ્રહો, રાશિ અને ફળ સાથે છેડછાડ ન થાય. જો બીજી રાશિનું નામ રાખે, તો ચન્દ્ર નું ફળ બંને રાશિ માં ભોગવવું પડે જે સારૂ અને ખરાબ બંને હોઈ શકે. એટલે કે કોઈ છટકબારી નથી આમ નહિ તો તેમ તમારે ભાગ્યમાં સંચિત રહેલ કર્મફળ તો ભોગવવું જ રહ્યું. ખાસ કરીને ત્યારે કે જ્યારે પનોતી આવે. બે રાશિ વાળાએ બે પનોતી ભોગવવી પડે છે જે બહુ કષ્ટદાયક હોય છે.
ખોટી માન્યતા = “વેદમાતા ગાયત્રી” એટલે “વેદોની માતા ગાયત્રી”
ચાલો આ ખોટી માન્યતાઓ રૂપી કરોળિયાના જાળામાંથી મુક્ત થઈએ, આપણા જીવનને સરળ બનાવીએ.