ગોત્ર-પ્રવર કોષ્ટક

તથા સંપૂર્ણ સચોટ ગોત્રોચ્ચાર

||  गाय:त्रायन्ते यत्र इति गौत्रम्  ||

પ્રત્યેક ઋષિના આશ્રમમાં ગાયોના રક્ષણાર્થે ગાયોના સમૂહના વાડા હતા જેને “ગૌત્ર” કહેતા. તેને ગોષ્ઠ અથવા “ગોઠો” પણ કહે છે. આમ આગળ જતાં તે ઋષિના વંશજો પણ તે ગૌત્રથી ઓળખાવા લાગ્યા જેમકે વશિષ્ઠ ઋષિના વંશજ “વશિષ્ઠ-ગૌત્રના” કહેવાયા.


 ગોત્રોચ્ચાર

(તમે જો ઉ.દા. ભારદ્વાજ ગોત્રના હોવ તો) “ભારદ્વાજ” માત્ર બોલવાને ગોત્રોચ્ચાર ન કહેવાય, માટે જ ગોત્ર સાથે પ્રવર, વેદ, શાખા, પિતા, રાશી અને છેલ્લે તમારું નામ પણ આવે [ યાદ રહે, જેમ સગોત્રે લગ્ન ન થાય એમ સપ્રવરે પણ લગ્ન  વર્જિત છે ]

भारद्वाज गोत्रोत्पन्नोहम्
भारद्वाज आंगिरस बार्हस्पत्य त्रिप्रवरान्वितोहम्
शुक्ल यजुर्वेद आन्तर्गतो
वाजसनेयी माध्यन्दिन शाखाध्यायी
जानी बाळकृष्ण आत्मज: / तस्य पुत्र:
मेष नाम राशि:
अनुप कुमार शर्मा
 
 
ગોત્ર
भारद्वाज गोत्रोत्पन्नोहम् 
હું ભારદ્વાજ ગોત્રમાં ઉત્પન્ન થયેલો
 
પ્રવર 
भारद्वाज आंगिरस बार्हस्पत्य त्रिप्रवरान्वितोहम् 
ભારદ્વાજ, આંગિરસ, અને બાર્હસ્પત્ય એમ ત્રણે પ્રવરો (પ્રવર્તકમાં) નો
 
વેદ
शुक्ल यजुर्वेद आन्तर्गतो
શુક્લ યજુર્વેદની અંદર
 
શાખા
वाजसनेयी माध्यन्दिन शाखाध्यायी
વાજસનેયી માંધ્યન્દીન શાખાનો અધ્યાયી
 
પિતા
जानी बाळकृष्ण तस्य पुत्र:
બાળકૃષ્ણ જાનીનો પુત્ર
 
રાશિ
मेष नाम राशि: 
મેષ નામની રાશી વાળો
 
નામ 
अनुप कुमार शर्मा
અનુપ કુમાર શર્મા(બ્રાહ્મણ)
[બ્રાહ્મણ  માટે શર્મા, ક્ષત્રીય માટે  વર્મા, વૈશ્ય માટે ગુપ્તા અને શુદ્ર માટે દાસ]

 


CLICK – DOWNLOAD – Gotra Kuldevi of Samast Brahamans

CLICK – DOWNLOAD – KULDEVI


ગોત્ર-પ્રવર કોષ્ટક [મંજુલ-સ્મરણાંજલિ, કર્મકાંડ-ભાસ્કર, પાથેય, ઔદીચ્ય-સહસ્ત્ર બ્રહ્મસમાજ પરિવાર, વિશ્વકર્મા-પુરાણ]

  ગોત્ર પ્રવર  વેદ શાખા
1 અગસ્ત્ય      
2 અઘમર્ષણ (2) વિશ્વામિત્ર, અઘમર્ષણ    
3 અજના (3) વિશ્વામિત્ર, માધુરવદ, અજ    
4 અત્રિ (3) અત્રિ, વસિષ્ઠ, આપૂર્વાતિથ્ય શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
5 અત્રિકૌશિક (3) આત્રેય, આયાર્યનાસ, શાવાશ્ચ શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
6 અયાસ્ય (3) આંગિરસ, શારદ્વત, ગૌતમ    
7 અહ્ભુન      
8 આત્રેય (3) કૃષ્ણાત્રિ, ઉદ્દાલક, , અત્રિ    
    આત્રેય, આર્ચનાનસ, શ્યાવાસ્વ    
9 આર્ષ્ટિષેણ (5) ભાર્ગવ, ચ્યવન, આપ્નવાન, ઔર્વ, વેદ    
10 ઔદ્વાહક (3) વસિષ્ઠ, ઇન્દ્રપ્રમદ, ભરદ્વસુ શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
11 ઇદમવાહ (3) અગસ્ત્ય, દીર્ઘચ્યુત, ઇદમવાહ    
12 ઇન્દ્રકૌશિક (2) વિશ્વામિત્ર, ઇન્દ્રકૌશિક    
13 ઉતિથ્ય (3) આંગીરસ, ઉતિથ્ય, ગૌતમ    
14 ઉદ્દાલક 3 શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
15 ઉદ્વાહ 3 શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
16 ઉપમન્યુ (3) વસિષ્ઠ, ઇન્દ્રપ્રમદ, ભરદ્વસુ ઋગ્વેદ આશ્વલાયન
17 ઋક્ષ (5) ભારદ્વાજ, આંગીરસ, બાર્હસ્પત્ય, વાંદન, માવનયસ    
18 ઔશનસ (3) ઔશનસ    
19 કપી (3) આંગીરસ, મહિયત્ર, રૂક્ષયસ    
20 કરુણેપાલ (1) કરુણેપાલ    
21 કશક (2) વિશ્વામિત્ર, દેવરાજ    
22 કશ્યપ (3) કશ્યપ, વત્સાર, નૈધ્રુવ ઋગ્વેદ,
યજુર્વેદ,
સામવેદ,
અથર્વવેદ
શ્રોતિયા,
માધ્યન્દિની
    (3) કશ્યપ, અસિત, દેવલ શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
    (3) કાશ્યપેય, કુશિક, કૌશિક શુક્લ યજુર્વેદ,
સામવેદ
માધ્યન્દિની,
કૌશિક
23 કાત્યાયન (3) વિશ્વામિત્ર, વસિષ્ઠ, કિલ શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
24 કામકાયનિ (3) વિશ્વામિત્ર, દેવશ્રવસ, દેવતરસ    
25 કાશ્યપ (3) કાશ્યપ, વત્સાર, નૈધ્રુવ સામવેદ કૌથુમીય
26 કુશ્નામી 3 શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
27 કૃત્સસ (3) કૌત્સ, આંગીરસ, માંધાતા શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
28 કૃષ્ણાત્રિ (3) કૃષ્ણ, અત્રિ, ઉદ્દાલક ઋગ્વેદ આશ્વલાયન
29 કૌન્ડિન્ય (3) વસિષ્ઠ, મેતાવરણ (મીત્રાવરુણ), કૌન્ડિન્ય શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
    (5) કૌન્ડિન્ય, જૈમિની, કૃશતંતુ, વત્સારણ્ય, વસિષ્ઠ કૃષ્ણ યજુર્વેદ તૈતરીયા
30 કૌમંડ (3) આંગીરસ, ઉતિથ્ય, દીર્ઘતમાસ    
31 કૌશલ્ય (3) વિશ્વામિત્ર, અઘમર્ષણ, મધુચ્છંદસ કૃષ્ણ યજુર્વેદ તૈતરીયા
32 કૌશિક (3) વિશ્વામિત્ર, દેવલ, ઔદલ્ય ઋગ્વેદ આશ્વલાયન
    (3) કૌશિક, અજતિથ્ય, દેવર ઋગ્વેદ,
શુક્લ યજુર્વેદ
તૈતરીયા, માધ્યન્દિની
    6 શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
33 ગર્ગ (5) ગર્ગ, ચ્યવન, આપ્નવાન, ઔર્વ, જમદગ્ની અથર્વવેદ પિપ્પલાયની
    (4) ગર્ગ, ગાણેય, વત્સભવિષ્ય, કરણ શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
    (3) આંગીરસ, સૈન્ય, ગાર્ગ્ય    
    6 સામવેદ કૌથુમીય
34 ગોભિલ (3) ગોભિલ, અસિત, દેવલ સામવેદ કૌથુમીય
35 ગૌતમ (3) ગૌતમ, આંગીરસ, શારદ્વત શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
    (3) ભારદ્વાજ, આંગીરસ, બાર્હસ્પત્ય સામવેદ કૌથુમીય
      ઋગ્વેદ આશ્વલાયન
36 ચંદ્રાત્રિ (5) પાદભુતક, આત્રેય, આર્ચનાનસ, આતિથ્ય, કાવિરાર    
37 જમદગ્ની      
38 જાતુકર્ણ (3) વસિષ્ઠ, આત્ર, જાતુકર્ણ    
39 દાર્ભવાહ (3) અગસ્ત્ય, દીર્ઘચ્યુત, દાર્ભવાહ    
40 દાલ્ભ્ય (5) દાલ્ભ્ય, ચ્યવન, આપ્નવાન, ઔર્વ, જમદગ્ની સામવેદ કૌથુમીય
41 ધનંજય (3) વિશ્વામિત્ર, માધુરચ્છંદ, અઘમર્ષણ    
42 નીધ્રુવ (3) કાશ્યપ, વત્સાર, નૈધ્રુવ    
43 પારાશર (3) પારાશર, વસિષ્ઠ, સાંકૃત્ય શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
    (3) વસિષ્ઠ, શાર્ક્ય, પારાશર    
44 પુત (3) વિશ્વામિત્ર, કાત્ય, અક્ષિત    
45 પુષણ (3) વિશ્વામિત્ર, દેવરાજ, પુષણ    
46 પુત્રાયદત્ત પિત્રેદત્ત
47 પ્રત્ન      
48 બૃહદ્કથા (3) આંગીરસ, બૃહદ્કથા, ગૌતમ    
49 ભારદ્વાજ (3) ભારદ્વાજ, આંગીરસ, બાર્હસ્પત્ય શુક્લ યજુર્વેદ

 

ઋગ્વેદ

માધ્યન્દિની

 

આશ્વલાયન

50 ભાર્ગવ (5) ભૃગુ, ચ્યવન, આપ્નવાન, ઔર્વ, જમદગ્ની ઋગ્વેદ શાંખાયન , આશ્વલાયન
    6 ઋગ્વેદ આશ્વલાયન
    3 શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
    6 શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
51 મિત્રયુવ (3) ભાર્ગવ, ચ્યવન, આપ્નવાન    
52 મુદ્ગલ (3) આવ,મુદ્ગલ, શ્યાવાસ્વ    
    (4) મુદ્ગલ,  ભાર્ગવ, આમવાન, ભાર્વગચ્યવન યજુર્વેદ, સામવેદ માધ્યન્દિની, કૌથુમીય
53 માંડવ્ય 3 શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
54 મૌનસ (3) મૌનસ, સહવ્ય સાવય શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
55 યજ્ઞવાહ (3) અગસ્ત્ય, દીર્ઘચ્યુત, યજ્ઞવાહ    
56 યાસ્ક (3) ભાર્ગવ, ચ્યવન, આપ્નવાન    
57 રૈભ્ય (3) કાશ્યપ, વત્સાર, રૈભ્ય    
58 રાહુગણ (2) આંગીરસ, રાહુગણ,    
59 રૌક્ષક (3) વિશ્વામિત્ર, ગથિત, રૈણ્વ    
60 લેગાક્ષી (3) કાશ્યપ, વત્સાર, વસિષ્ઠ    
61 લોહિત (3) દેવરાજ, લોહિત, અટાટક    
62 વત્સસ (5) વત્સ, ચ્યવન, આપ્નવાન, ઔર્વ, જમદગ્ની શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
    6 શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
63 વસિષ્ઠ (3) વસિષ્ઠ, ઇન્દ્રપ્રમદ, ભરદ્વસુ શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
    (3) વસિષ્ઠ, નૈપુણ્ય, દેવાગ્નિ શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
    3 સામવેદ કૌથુમીય
64 વાદ્બૃતક (2) આત્રેય, આર્ચનાનસ    
65 વામદેવ (3) વામદેવ, આંગિરસ,  ગૌતમ    
66 વિશ્વામિત્ર      
67 વેદ (3) ભાર્ગવ, ચ્યવન, આપ્નવાન    
68 વૈન્ય (3) ભાર્ગવ, વૈજય, પર્થ    
69 શારદ્વત (3) શારદ્વત, આંગિરસ,  ગૌતમ    
70 શાંડિલ્ય (3) શાંડિલ્ય, કશ્યપ, અવત્સાર શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
    (3) કાશ્યપ, વત્સાર, નૈધ્રુવ    
    (3) શાંડિલ્ય, અસિત, દેવલ સામવેદ કૌથુમીય
71 શુનવ (1) શૌનક    
72 શૌનક (3) શૌનક, શાલિહોત્ર, ગાત્સમદ શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
    (3) શુનક, રુરુ, ભાનુમતી શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
    (3) શૌનક, સૌવ, ભાવન કૃષ્ણ યજુર્વેદ તૈતરીયા
    (3) સુનક, રૌરવ, ગૃત્સમદ ઋગ્વેદ એતરીયા
73 શ્વેતામિ 3 શુક્લ યજુર્વેદ માધ્યન્દિની
74 સનાતન      
75 સાનગ      
76 સોમવાહ (3) અગસ્ત્ય, દીર્ઘચ્યુત, સોમવાહ    
77 સુવર્ણ      
78 સોમરાજ (3) આંગીરસ, સોમરાજ, ગૌતમ    


प्रत्येक ब्राह्मण को ये ११ चीजें पता होनी चाहिए

प्रत्येक सनातनधर्मलम्बी को अपनी कुल परम्परा का सम्पूर्ण परिचय निम्न  ११ (एकादश) बिन्दुओं के माध्यम से ज्ञात होना चाहिए –

[१ ]  गोत्र ।
[२ ]  प्रवर ।
[३ ]  वेद ।
[४]  उपवेद ।
[५]  शाखा ।
[६]  सूत्र ।
[७]  छन्द ।
[८]  शिखा ।
[९]  पाद  ।
[१०]  देवता ।
[११]  द्वार ।

[१] गोत्र –

गोत्र का अर्थ है कि वह कौन से ऋषिकुल का है या उसका जन्म किस ऋषिकुल से सम्बन्धित है । किसी व्यक्ति की वंश-परम्परा जहां से प्रारम्भ होती है, उस वंश का गोत्र भी वहीं से प्रचलित होता गया है। हम सभी जानते हें की हम किसी न किसी ऋषि की ही संतान है, इस प्रकार से जो जिस ऋषि से प्रारम्भ हुआ वह उस ऋषि का वंशज कहा गया । इन गोत्रों के मूल ऋषि – विश्वामित्र, जमदग्नि, भारद्वाज, गौतम, अत्रि, वशिष्ठ, कश्यप- इन सप्तऋषियों और आठवें ऋषि अगस्त्य की संतान गोत्र कहलाती है। यानी जिस व्यक्ति का गौत्र भारद्वाज है, उसके पूर्वज ऋषि भारद्वाज थे और वह व्यक्ति इस ऋषि का वंशज है। इन गोत्रों के अनुसार इकाई को । इस प्रकार कालांतर में ब्राह्मणो की संख्या बढ़ते जाने पर पक्ष ओर शाखाये बनाई गई । इस तरह इन सप्त ऋषियों पश्चात उनकी संतानों के विद्वान ऋषियों के नामो से अन्य गोत्रों का नामकरण हुआ यथा पाराशर गोत्र वशिष्ट गोत्र से ही संबंधित है।
[२ ] प्रवर –
प्रवर का अर्थ हे ‘श्रेष्ठ” । अपनी कुल परम्परा के पूर्वजों एवं महान ऋषियों को प्रवर कहते हें । अपने कर्मो द्वारा ऋषिकुल में प्राप्‍त की गई श्रेष्‍ठता के अनुसार उन गोत्र प्रवर्तक मूल ऋषि के बाद होने वाले व्यक्ति, जो महान हो गए वे उस गोत्र के प्रवर कहलाते हें। इसका अर्थ है कि आपके कुल में आपके गोत्रप्रवर्त्तक मूल ऋषि के अनन्तर तीन अथवा पाँच आदि अन्य ऋषि भी विशेष महान हुए थे ।
[३ ] वेद –
वेदों का साक्षात्कार ऋषियों ने लाभ किया है , इनको सुनकर  कंठस्थ किया जाता है , इन वेदों के उपदेशक गोत्रकार ऋषियों के जिस भाग का अध्ययन, अध्यापन, प्रचार प्रसार, आदि किया, उसकी रक्षा का भार उसकी संतान पर पड़ता गया इससे उनके पूर्व पुरूष जिस वेद ज्ञाता थे तदनुसार वेदाभ्‍यासी कहलाते हैं। प्रत्येक  का अपना एक विशिष्ट वेद होता है , जिसे वह अध्ययन -अध्यापन करता है ।
[४] उपवेद –
प्रत्येक वेद  से  सम्बद्ध  विशिष्ट  उपवेद  का  भी  ज्ञान  होना  चाहिये  ।
[५]  शाखा –
वेदो के विस्तार के साथ ऋषियों ने प्रत्येक एक गोत्र के लिए एक वेद के अध्ययन की परंपरा डाली है , कालान्तर में जब एक व्यक्ति उसके गोत्र के लिए निर्धारित वेद पढने में असमर्थ हो जाता था तो ऋषियों ने वैदिक परम्परा को जीवित रखने के लिए शाखाओं का निर्माण किया। इस प्रकार से प्रत्येक गोत्र के लिए अपने वेद की उस शाखा का पूर्ण अध्ययन करना आवश्यक कर दिया। इस प्रकार से उन्‍होने जिसका अध्‍ययन किया, वह उस वेद की शाखा के नाम से पहचाना गया।
[६]  सूत्र –
प्रत्येक वेद के अपने 2 प्रकार के सूत्र हैं।श्रौत सूत्र और ग्राह्य सूत्र।यथा  शुक्ल यजुर्वेद का कात्यायन श्रौत सूत्र और पारस्कर ग्राह्य सूत्र है।
[७]  छन्द  –
उक्तानुसार ही प्रत्येक ब्राह्मण को  अपने परम्परासम्मत   छन्द का  भी  ज्ञान  होना  चाहिए  ।
[८]  शिखा –
अपनी कुल परम्परा के अनुरूप शिखा को दक्षिणावर्त अथवा वामावार्त्त रूप से बांधने  की परम्परा शिखा कहलाती है ।
[९]  पाद –
अपने-अपने गोत्रानुसार लोग अपना पाद प्रक्षालन करते हैं । ये भी अपनी एक पहचान बनाने के लिए ही, बनाया गया एक नियम है । अपने -अपने गोत्र के अनुसार ब्राह्मण लोग पहले अपना बायाँ पैर धोते, तो किसी गोत्र के लोग पहले अपना दायाँ पैर धोते, इसे ही पाद कहते हैं ।
[१०]  देवता – 
प्रत्येक वेद या शाखा का पठन, पाठन करने वाले उसी शाखा के वेद का आराध्य ही  किसी विशेष देव की आराधना करते है वही उनका कुल देवता  विष्णु, शिव , दुर्गा ,सूर्य इत्यादि  देवों में से कोई एक ] उनके आराध्‍य देव है ।
[११]  द्वार – 
यज्ञ मण्डप में अध्वर्यु (यज्ञकर्त्ता )  जिस दिशा अथवा द्वार से प्रवेश करता है अथवा जिस दिशा में बैठता है, वही उस गोत्र वालों की द्वार या दिशा  कही जाती है।
श्रोत स्मार्त हमारी मूल वैदिक परंपरा हे । 
शैव , वैष्णव , शाक्त विगेरे इष्टदेव प्राधान्य दर्शाता है , मगर स्वधर्म स्वशाखा में ही हे , इष्ट पांच में से एक हो शकते है मगर परंपरा तो स्मार्त ही है जो मूल वैदिक है । पंथवादि,  मतवादी , में फस कर हिंदू बिखर गये हे , स्मार्त सब को एक जुठ बनाता हे ।
स्वशाखा के ग्रंथों पर पठन मनन चिंतन आचरण और उन पर कहे सुने प्रवचन व्याख्या और वित्सार ही सत्संग हे ।
सनातन संस्कृति की चार पीठ मूल वैदिक पीठ है वो सिर्फ शांकर पीठ नही , मूल वैदिक पीठ है ये चारों पीठ ही हमारी मुख्य धारा है हम सब उनकी शाखा ।


પૂજામાં પોતાનો કંઠસ્થ કરેલો સંપૂર્ણ અને સચોટ ગોત્રોચ્ચાર કરો. સગોત્રે અને સપ્રવરમાં થતા લગ્ન ટાળી પ્રજા નબળી ઉત્પન્ન થતા અટકાવો. પોતાના લીધેલા જન્મનું પ્રયોજન પોતાના વેદની શાખાના સુકતોના મૂળમાં શોધી કાઢો.

 

15 thoughts on “ગોત્ર-પ્રવર કોષ્ટક

  1. અમારા સગામાં ચીભડીયા જોષી છે, તેઓનું ગોત્ર વત્સસ છે. કૂળદેવી વિષે કોઇ માહિતી નથી. ચીભડીયા જોષી વિશે જે કાંઇ માહિતી હોય તે મહેરબાની કરીને જણાવશોજી.

    Like

  2. ખૂબ સુંદર અત્યંત ઉપયોગી અને વિસ્તૃત માહિતી બદ્દલ ખૂબ ખૂબ આભાર તપોધન બ્રાહ્મણના દધિચી પ્રવર શાખા વિશે માહિતી આપશો એવી નમ્ર વિનંતી છે.
    9998817499

    Like

  3. મારું ગૌત્ર ભાનુમતી છે તેવું મને અમુક વડીલબંધુ અને બીજા પ્રકાશિત ચોપાનિયા દ્વારા જાણવા મળ્યું , પણ મને હજુ સંતોષ નથી થયો. અમે પિઠવા ( લુહાર સુથાર વિશ્ર્વકર્મા પુત્ર ) છીએ તેવું બારોટ ના ચોપડે લખેલ છે પણ ગૌત્ર માટે હજુ પણ મૂંઝવણ છે. વિનંતી છે કે આ બાબતે સચોટ જાણકારી આપશો.
    આભાર સહ,
    આનંદ પંચાલ

    Like

  4. અમારું ઋષિ ગોત્ર બારોટ ના ચોપડે વશિષ્ઠ અને કુલ દેવી સાહરમાતા લખેલું છે અમુક જગ્યાએ પારસર ઋષિ અને કુળદેવી ભૂઆલ માતા નીંબજ વાળા છે અમારા પૂર્વજ ૮/૦વર્ષ પહેલાં નિંબજ રાજસ્થાન હતું પણ હવે અમારે કુળદેવી વિશે શું જાણવું કેવી રીતે જાણવું તે જણાવશો.અમો વંશ સુથાર છીએ

    Like

Leave a comment